Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 13
________________ પાટલીપુત્ર જવાની તૈયારી કરી. ત્યાં તેમના શિષ્ય શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે આવા એક નાનકડા કામ માટે આપને પાટલીપુત્ર જવાની શી જરૂર છે? મને આજ્ઞા કરો તો હું એ કામ પતાવી દઈશ. આચાર્ય તેમને આ કાર્ય માટે આર્શીવાદ આપ્યા. | શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય આકાશ માર્ગે પાટલીપુત્ર પહોચ્યાં. આ વખતે તેઓ પોતાની સાથે કરેણની નાની મંત્રેલી બે લાકડીઓ લઈ ગયા હતા. પાટલીપુત્રનો સંઘ તેમના ત્વરિત આગમનથી ઘણો ખૂશ થયો. પછી શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયના સૂચનથી તેમણે રાજાને . કહેવડાવ્યું. ( હે રાજન્ ! અમારા જૈન મુનિઓ આપના બ્રાહ્મણો-પંડિતોને વિધિસર વંદન કરવા ઈચ્છે છે. તો આવતી કાલે સહુને રાજ સભામાં એકત્ર કરો. આ સાંભળી રાજા હર્ષ પામ્યો. તેણે બીજા દિવસે રીતસર રાજસભા ભરી. તેમાં પ૦૦ બ્રાહ્મણ વિદ્ધાનોને હાજર રાખ્યા. ** અહીં શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય, થોડા જૈન મુનિઓ તથા સંઘના કેટલાક આગેવાનોને લઈ રાજસભામાં હાજર થયા. ત્યાં શ્રી દેવેન્દ્ર કથાની યારીની | લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194