Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૦ કર્મગ્રંથ-૩ - પ્ર. ૫૪૪. પ્રત્યાખ્યાનીય ૪ કષાયના બંધ કરનાર કરેલી માર્ગણાવાળા જીવો હોય છે ? ક્યા ક્યા ? ઉ : પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો બંધ કરનાર ૫૪ માર્ગણાવાળા જીવો હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૪ થાય છે. પ્ર. ૫૪૫. સંજવલન ૪ કષાયો કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ સંજવલન ૪ કષાયને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય,. ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૪૬. હાસ્ય ષક તથા પુરૂષવેદ એ ૭ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : હાસ્ય પર્ક તથા પુરૂષવેદ એ સાત પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૪૭. નપુંસકવેદ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નપુંસકવેદ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરત ચારિત્રદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સસી, અસત્રી, આહારી તથા અણાહારી એ ૪૪ થાય છે. પ્ર. ૫૪૮. સ્ત્રીવેદ પ્રકૃતિ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: સ્ત્રીવેદ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160