Book Title: Jain_Satyaprakash 1956 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ આકાલકના સાથી નિથા સહજ ઉપહાસ કરતાં આ કાલકને કહે શિષ્યા તેા આવે અને જાય ! એને શાચ શૈા કરવા ? નિભાડાના પારમાં ઘડા થોડા સલામત નીકળે છે! એ તે જેવા ભાષીભાવ!' : ૨૨ [ વર્ષ : છે ઃ સૂરિવર 1 નાખેલા બધાય આ કાલક કશા જ ઉત્તર નથી આપતા. એ તા વિચારમાં મગ્ન છે. એમની ગંભીરતા વધુ ઘેરી બને છે. પણ ઉપહાસને માર્ગે ચઢેલા શ્રમણા વળી કહે છે: 'રિવર, આપ શાસ્ત્રો તો બહુ ભણ્યા, આપે શાસ્ત્ર રચ્યાં પણ ખરાં; પણ જ્યાંસુધી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન નથી મેળવ્યું ત્યાં ત્યાં સુધી બધું અધુ રું જ સમજો ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી આપ શુભ મુ` નક્કી કરો, દીક્ષાથી ના ભાવીભાવનું દર્શન કરે, અને પછી દીક્ષા આપે! તો આપની મહેનત કદી અફળ નહીં જાય ! નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન એ તો સફળતાને માત્ર દાખવતા દીવે છે, દીવા I આર્યકાલકના અંતરને જાણે ચોટ લાગી ગઈ: ‘હું નિમિત્તજ્ઞાનથી અનભિન્ન ! આટલું પણ અજ્ઞાન શાને નભાવવું ?’ અને નિત્ર થાએ ઉપહાસમાં કરેલી વાત સાચી બનીને ખડી થઈ. ખે વીશી કરતાં પણ વધુ ઉમર વટાવી ગયેલ આર્યકાલકે એક બાળ વિદ્યાર્થીની જેમ નિમિત્તશાસ્ત્રના અધ્યયનના દૃઢ સંકલ્પ કરી લીધે. પણ એ માટે ગુરુ કર્યાંથી મળે ? * કઈ એ કહ્યું : આવક પંથના શ્રમ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનમાં પારંગત હાય છે; દક્ષિણમાં ગાદાવરીને તારે આવેલ પ્રતિષ્ઠાનપુર (હાલનું પૈઠન) નગરમાં જર્કને એમની પાસેથી એ જ્ઞાન મેળવી શકશે. ’ ભાવતું ભોજન મળી ગયું. પણ વળી એક કાડા ખડા થયા: આજીવક પંથ તા ગાશાલકના અનુયાયી અને ગોશાલક તા શ્રમણ ભગવાન મહાવીરના—એના ધમ'ને વિધી । એમની પાસે વિદ્યાલાભ માટે કેમ જવાય? પણ આ વિચારનું વમળ ઝાઝો વખત ન ટકયુ, મને તરત ઉકેલ આપ્યા વિદ્યા તે ગમે તેની પાસેથી લેવાય. એમાં ભારા-તારાને ભેદ ન હોય ! અને એમણે પ્રતિષ્ઠાનપુર તરફ વિહરવાના સ’કલ્પ પણ કરી લીધા. અન્ય શ્રમણા તો હજી પણ ઉપહાસવૃત્તિમાં જ પડયા હતા. એમને થયું : ‘આ ઉમ્મરે તે વિદ્યાસાધના થતી હશે? પાકે ધડે તે કાંડા ચડતા કદી જોયા કે સાંભળ્યા છે?' પણ મનમાં નિર્ણય કર્યા બાદ પાછા પગ ભરે એ આકાલક નહી. એ તો લીધું પાર કર્યે જ છૂટકા ! For Private And Personal Use Only અને એક દિવસ એ ઉપહાસ કરતા નિગ્રંથી અને નગરજતાએ જોયુ કે આધેડ ઉમ્મરના આર્ય કાલક, એક વિદ્યાર્થીના જેવા ઉત્સાહથી, નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે, દૂર વસેલા પ્રતિષ્ઠાનપુર તરફ વિચરી ગયા. વિમાસણનો અંત આવી ગયા હતા.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28