Book Title: Jain_Satyaprakash 1946 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩ ] છન્દાનુશાસન - છન્દના વિભાગો–વૃત્ત અર્થમાં વપરાતા ઇન્દસૂના અનેક પ્રકાર છે. વેદ અર્થને ત્યાગ કરીએ તે પણ વેદમાં વપરાયેલ વૃત્તો માટે ખાસ શબ્દ છન્દર્ છે. * કાળ વેદમાં વપરાયેલ છન્દસનું વિવેચન કરતો પિંગલાચાર્યને “છન્દઃ શાસ્ત્ર” નામને વિસ્તૃત ગ્રન્થ વિખ્યાત છે. વેદના છન્ડસને વૈદિક છન્દર્ કહેવામાં આવે છે ને તે સિવાયના લૌકિક છન્દર્ કહેવાય છે. એ રીતે છન્દસૂના મુખ્ય બે વિભાગ પડે છે. ૧ વૈદિક, ૨ લૌકિક તેમાં વૈદિક છન્દસના મુખ્ય સાત ભદ છે. ૧ ગાયત્રી, ૨ ઉષ્ણગ, ૩ અનુષ્ય, ૪ બહતી, ૫ પંક્તિ, ૬ ત્રિદ્બૂ અને ૭ જગતી. તે દરેક ભેદોના આર્ષ, દૈવ, આસુર, પ્રાજાપત્ય, યાજુષ, સામ્ર, આર્ચ ને બ્રાહ્મ એમ આઠ આઠ ભેદો પડે છે. એ રીતે વૈદિક છન્દસૂના પ્રધાનપણે ૫૬ ભેદો થાય છે. લૌકિક છન્દાસના મુખ્ય બે ભેદ છે. ૧ પદ્યકાવ્યપગી ને ૨ ગદ્યકાવ્યોપયેગી. જો કે ગદ્યકાવ્ય છન્દોબન્ધન રહિત હોય છે, ને તેથી તેમાં - છન્ડસની આવશ્યકતા નથી હોતી. બહુ પ્રચલિત મત પ્રમાણે જ છે. પૂ. શ્રી. હેમચન્દ્રસૂરિજી મહારાજ પણ છન્દાનુશાસનના પ્રારંભમાં वाचं ध्यात्वाऽऽर्हतीं सिद्ध-शब्दकाव्यानुशासनः ॥ काव्योपयोगिनां वक्ष्ये, छन्दसामनुशासनम् ॥ १ ॥ એ મંગલશ્લોકની વૃત્તિમાં ભાજપના ' એ પદનું સ્પષ્ટીકરણ કરતાં नावे छ रे 'काव्योपयोगिनामिति गद्यकाव्येन छन्दसामुपयोग इत्यर्थात् પાં મિદ્ ઘરે ! તાપણું વાગવલ્લભ વગેરે છન્દોગ્રન્થમાં+ ગણુમાત્રા કે અક્ષરના મેળ વગરનું ગદ્ય ચાર પ્રકારનું ગણવેલ છે. ૧ મુકત, ૨ ચૂર્ણક, ૩ વૃધિ ને ૪ ઉત્કલિકાકાય. તેમાં ૧ સમાસ બિલકુલ ન હોય એવું ગદ્ય મુકતક કહેવાય છે, ૨ ઓછા સમાસ હોય તે ચૂર્ણક, ૩ પદ્યના કેઈ કઈ ચરણુ બંધ બેસતાં આવતાં હોય તે વૃત્તગન્ધિ અને ૪ ઘણું સમાસ હોય તે ઉત્કલિકાપ્રાય કહેવાય છે. પોપયોગી છન્દના ત્રણ પ્રકાર છેઃ ગણમેળવાળા, માત્રામેળવાળા ને અક્ષરમેળવાળા. તે ત્રણેના સમ, અર્ધ સમ અને વિષમ એમ ત્રણ ત્રણ ભેદે છે. પછી તો તેના ઉક્તાદિ ઘણા ભેદો થાય છે. એ રીતે આ સર્વ ભેદોનો વિસ્તાર નીચે પ્રમાણે થાય છે: વૈદિક લૌકિક ગદ્યકાપો લાયત્રી,ઉણિગ,અનુષ્યબ, બહતી, પકિત,ત્રિપ્ટબુ, જગતી. પઘકાવ્યોપયોગી દરેકના આર્ષ વગેરે આઠ આઠ ભેદ. અક્ષરમેળ ગણુમેળ માત્રામેળ દરેક સમ અર્ધસમ ને વિષમ મુક્તક ચૂર્ણક વૃત્તગધિ ઉત્કલિકાપ્રાયઃ છન્દ શાસ્ત્રના ચોથા અધ્યાયના આઠમા સૂત્રથી લૌકિક છત્ત્વનું સ્વરૂપ પણ “સમગ્ર સ્રૌમ્' છે ૪ ૮ કે કરીને દર્શાવેલ છે. પણ પ્રધાનતા વિદક છસની હોવાથી આ પ્રમાણે કહેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36