Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] આનંદ શ્રાવક ક્ષત્રિય હતા? [ પ૧ ઉપરાંત જ્યારે તે નિવૃત્તિ જીવન ગાળવા માટે પોસહસાલામાં રહેવાનું નકકી કરે છે ત્યારે તે પોતાના પરિવારની આજ્ઞા માગે છે. એ આજ્ઞા માગવા વાણિજ્યગ્રામમાં આવે છે. વાણિજ્યગ્રામમાં પોતાના પરિવારની, સગાસંબંધી નાતીલાની આજ્ઞા માગે છે, પણ કેલ્લાકના સગાસંબંધીઓની આજ્ઞા માગવાનું તો એને જરૂરી નથી લાગ્યું. જે ખરેખર એ કલ્લાકનો હેત તો કલાકમાં તો એના મુરબ્બીઓ ને વડીલે પણ રહેતા હેત એમની આજ્ઞા માગવી તેણે પહેલી જરૂરી માની હોત પણ નિર્દેશ તે વાણિજ્યમાં તેના પરિવારની આજ્ઞા માગવાનો છે. આ બધા પ્રશ્નો બાદ રાખીને કે એ તરફ ઉપેક્ષા કરીને કેવળ કલ્લાકમાં તેના સગાસંબંધીઓ હતા એટલા ઉપરથી તેને કોલાકનો રહેવાસી માની લેવો અને બીજી જ્ઞાતિનો પણ માની લેવો એ અત્યંત આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે. વારૂ. હવે ‘જોહાવિરૂ’ ઉપર વિચાર કરીએ કે એ શું છે ? “નાદાર' એટલે ગૃહપતિ=ઘરધણી એ અર્થ મનાતે આવે છે. એ અર્થ તો છે જ ઉપરાંત એને બીજો અર્થ ‘કુળ” તરીકે પણ આગમોમાં છે. જાવ જાથાતિગુરુ વગેરે. - વાસ્તવમાં “જાવ” એમને કહેવામાં આવતા હતા જેમની પાસે વાડીવજીફા, ઢોરઢાંખર, જમીનજાગીર અને બહોળા પરિવાર વગેરે સામગ્રીઓ રહેતી. અર્થાત જાગીરદારને જાવા તરીકે કહેવામાં આવતા હતા. અને જાગીરદાર બધા ક્ષત્રિયો હતા એવું તો નહીં માની શકાય. આજે પણ ઘણું જેનો, શિખા, બ્રાહ્મણ, વાણિયા, મુસલમાનો જાગીરદાર છે. બિહાર બંગાળમાં તો પુષ્કળ જાગીરદાર છે. એ બધાને આપણે ક્ષત્રિયો જ માની લઈ શકીશું? ' અર્થાત્ નાદાવદ એટલે જાગીરદાર કહેવામાં અને એ રીતે આણંદને સમજી લેવામાં આવે તો તે વધુ ઉચિત અને સાર્થક છે. એ જાગીરદારના અવશેષો તો આપણી સામે છે જ, પણ નાદૃાર શબ્દને અવશેષ પણ આજે છે. નહાવ૬ શબ્દ બદલાતો બદલાતો આજે જોઉં, જીરૂ મહોર વગેરે બની ગયો છે. હિન્દી સાહિત્યના પ્રખર કવિ મૈથિલીશરણ ગુપ્ત અને સીયારામશરણું વગેરે એ જોયુસ્ટના આજે આપણી સામે છે. એ પિતાને કહેવરાવે છે. આ તો એક ઐતિહાસિક સત્ય છે. ઇતિહાસમાં જે આપણે વજૂદ માનીએ તે આનંદ ગાહાવઈને જ્ઞાતૃકુળમાં લઈ જવાને શ્રમ બચી જાય અને નાગરિ અને નાયક ને સંબંધ આણંદ સાથે નહીં પણ પિસહસાલા સાથે જ રાખીએ તો વધુ બંધ બેસે અને અન્વર્થક ગણાય. એટલું માનવા છતાં સમાધાન પુરું થતું નથી; એક પ્રશ્ન તો રહી જાય છે કે તો પછી આણંદ પોતાનું ઘરબાર, પિતાનો પરિવાર, પિતાનું નામ અને પિષધશાળા (વાણિજ્યગ્રામમાં પિતાની પિષધશાળા હેવી અસંભવિત નથી) વગેરે બધી સગવડ કરીને તે કલ્લાકમાં શા માટે ગયા ? તેનું સમાધાન વૈશાળીની ભૌગોલિક પરિસ્થિતિમાંથી આપણને મળી શકે છે. વિશાળી અને તેનાં પરાંઓની સ્થિતિ આપણે જોઈએ. આજે પણ તેના અવશેષો તપાસીએ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36