Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ મા ડ પ્રાં ત ની પ્રા ચી ન જે ન પુરી બુ રા ન ૫ ૨ [ Kક પરિચય]= લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી નિરંજનવિજયજી કલાબત-જરીકસબની કારીગરી માટે પ્રસિદ્ધિ પામેલું બુરાનપુર શહેર નિમા જિલ્લામાં તાપી નદીના કિનારા ઉપર આવેલ છે. તેની પ્રાચીનતા ત્યાંને રમ્ય કિલ, મહેલ ગુરાડા, વગેરે અનેક સ્થળે જેવાથી પુરવાર થાય છે. અહીં પૂર્વે જેનેનાં લગભગ ૨૦૦-૩૦૦ ઘરે હતાં અને જૈનેની ઘણી જાહેજલાલી હતી. આના પુરાવા તરીકે અહીં કાષ્ટ કારીગીરીથી શોભતાં ભવ્ય આલીશાન, અઢાર જૈન મન્દિરે તથા બીજાં કેટલાંક ઘર મન્દિરા, વિદ્યમાન હતાં. તે મન્દિરની કારીગીરી સુંદર હતી. તેમજ ચિત્રકામના આદર્શ નમુના રૂપે અહીં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના મન્દિરમાં શ્રી સમેતશિખરજી તીર્થને ચિત્રપટ હતે. તથા ત્યાંનું કારીગીરી પૂર્ણ લાકડાનું સમવસરણ દર્શનીય હતું. પરંતુ વિ. સંવત ૧૯૫૩ની ભયંકર આગથી ગામમાં લગભગ ત્રણ હજાર જેટલાં ઘરે બળીને ભસ્મ થયાં હતાં. તેમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું આખું મન્દિર પણ ભસ્મીભૂત થઈ ગયું. આ મન્દિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જેવડાં ધણું જિનબિંખે પ્રભાવિક અને પ્રાચીન હતાં. આ મન્દિર ગામમાં મોટામાંમોટું ગણાતું હતું. પ્રાચીન તીર્થ ગાઈમાં પણ આ મન્દિર સંબંધી હકીકત છપાયેલ છે. આ મન્દિરને અગ્નિથી નાશ થતાં અને શ્રાવક સંધ હરેક બાબતમાં અવનતિને પ્રાપ્ત કરતા ગયા. ૩૦-૩૫ વર્ષ પૂર્વે શ્રાવકેનાં ૫૦-૬૦ ઘરે હતાં, તેમાંથી પણ હાલમાં ૮ થી ૧૦ ઘરની સંખ્યા રહી છે. અને પરિસ્થિતિ પણ બારીક આવી છે. આ અઢાર મન્દિરના વખતમાં બુરાનપુર [બહણપુર] ઘણી જ જાહેરજલાલી ભોગવી રહ્યું હતું અને એક તીર્થસ્થાનના રૂપમાં લેખાતું હતું. પહેલાં મહાન ધુરંધર જૈનાચાર્યો અને મુનિપુંગવે અહીં વિહાર કરીને આવતા અને આ ગામને પાવન કરતા. તેમજ ચાતુર્માસ કરીને જેનસમાજને ધર્મોપદેશ આપતા હતા. પરંતુ ચાલુ સૈકામાં આ તરફ મુનિવરને વિહાર ઘણો જ ઓછો થવાથી અને અને કાળચક્રાનુસાર જેનોની આબાદી દિન પ્રતિદિન કમ થવાથી સં. ૧૯૫૭માં પૂ. મુનિરાજ શ્રી હંસવિજ્યજીના હસ્તક અત્રેના શ્રી સંઘે મળીને અઢાર મંદિરનાં નવ જિનમદિર કર્યા હતાં. બાદ તે દરમ્યાન પણ જેનોની વસ્તી નિરંતર ઘટતી જવાથી તે નવ દેરાસરી વ્યવસ્થાને ૫ણ અને સંધ ન પહોંચી વળવાથી અને આશાતનાને સંભવ લાગવાથી ૧ સે વર્ષ પહેલાં આ બુરાનપુરમાં કુલ વસ્તી લગભગ ૧ લાખ માણસોની ગણાતી. સં. ૧૯૭૬ની સાલમાં ક૨ હજારની કુલ વસ્તી હતી. અને હાલમાં પ૨ હજારની કુલ વસ્તી ગણાય છે, ૨ તે સમયમાં અને મોટા ચાર-પાંચ ઉપાય હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46