Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અબ્દક૯પ
[૩૯]
ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા ઉપશ્રી કુમાળીપાલ પાળે આ (પર્વત)ના પૈસા શિખર ઉપર વીરપ્રભુનું મંદિર બનાવ્યું. (૫)
તે તે કુતૂહલથી બામ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળા પુરુ જુએ છે. (૫૧)
કાનને અમૃત સમાન (લાગતો) શોભાયે આ અબૂદ ક૫ શ્રી જિનપ્રભસૂરિએ રએ તેને ચતુર પુરુષે જુઓ-અનુભવે. (પર)
શ્રી અબુદ કપ સમાને
૨૫-સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાળ દેવ ગાદી પર આવ્યો. તે એક આદર્શ રાજા હતા. તે ભીમદેવને પુત્ર ક્ષેમરાજ તેને પુત્ર દેવપ્રસાદ તેના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર હતા. તેને જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. તેને રાજ્યાભિષેક સં. ૧૧૯૯માં થયો. રાજ્ય પ્રાપ્તિ પછી દશ વર્ષ સુધી રાજ્યની સીમા વધારવાનો પ્રયત્ન કરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પિતાની આજ્ઞાને આધીન કર્યા. ભારતમાં તે સમયે તેની બરાબરી કરનાર બીજે કે રાજા નહતો. તેનું રાજ્ય ઘણું મોટું હતું. શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીર ચરિત’માં તેની આજ્ઞાનું પાલન ઉત્તર દિશામાં તરકસ્થાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિધ્યાચળ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તના દેશમાં થતું જણાવ્યું છે. હેમચંદ્રાચાર્ય તેના રાજ્યગુરુ હતા. તેમના જ પ્રતાપથી તે ઘણય ધાર્મિક અને પ્રજા માટેનાં પરોપકારનાં યશસ્વી કાર્યો કરી શકો છો. અને તેણે જૈનધર્મ સ્વીકારી ઘણાં જૈન મંદિર બંધાવ્યાં હતાં. તેના સંપૂર્ણ ચરિત્ર માટે કુમારપાળ પ્રતિબંધ ‘દયાશ્રય મહાકાવ્ય” ‘કુમારપાળ ચરિત્ર વગેરે વાંચવા જરૂરી છે. તેને રાજ્યકાળ સં. ૧ર૩રમાં પૂરો થયો હતે.
--આ મહાવીર સ્વામીનું મંદિર દેલવાડાથી ઉત્તર પૂર્વમાં લગભગ માઈલ દૂર એરીયા નામના ગામમાં છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ છે, એમ શ્રી. ગૌ. હી. ઓઝાછજણાવે છે. પણ મુનિરાજ શ્રી જયંતવિજ્યજી મહારાજ પિતાની ચેકસ માહીતી મુજબ તે આદીશ્વર પ્રભુની મૂર્તિ હોવાનું પોતાના “આબુ' નામના પુસ્તકના પૃ. ૧૭રમાં જણાવે છે. બંને બાજુએ પાર્શ્વનાથ તથા શાંતિનાથની મૂર્તિઓ છે. આ ફેરફાર ક્યારે થયો હશે તેને પત્તો નથી લાગી શકે પણ પાછળથી જીણોદ્ધાર વખતે તે ફેરફાર થયો હોય અને પહેલાંથી ચાલ્યુ આવતું “મહાવીર સ્વામીનું મંદિર એ નામ આજ સુધી પ્રચલિત રહ્યું હશે એમ જણાય છે. મહારાજા કુમારપાળે આ મંદિર બંધાવી પિતાની જૈનધમી તરીકેની યશસ્વી કારકીર્દિ સૂચવી છે.
For Private And Personal Use Only