________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 10-11] શ્રી ધનપાલનું આદર્શ જીવન [35] ઉપર બતાવેલ છે યતનાનું નિશદિન આરાધન કરતે ધનપાલ ત્રિકાલ પૂજ, ગુરૂભકિત તથા સુપાત્રમાં દાન આપવા વગેરે અનેક કાર્યોમાં ઉદ્યમશીલ રહેતે હતો અને પોતે કરેલા નિયમમાં કોઈ પણ જાતને મિથ્યાત્વને ભાંગો ને લાગે, તેને માટે વારંવાર સંભાળ પૂર્વક રહેતો. મહાવીરદેવના મંદિરમાં દિવસે દિવસે ધારાનગરીની શોભા ઘણી જ વધતી જતી હતી. વર્ષાઋતુને પ્રારંભ કાલ ચાલી રહ્યો હતો. ગગનમડલમાં કાળાં વાદળાં ચારે તરફ દોડધામ મચાવી રહ્યાં હતાં. ઝરમર ઝરમર મેઘ વર્ષ હતું. નાના તળા–બાબચી જાણે સમુદ્ર ન બની ગયાં હોય તેમ ભાસતાં હતાં. પાણીની રેલમ છેલમ ઉછળી રહી હતી. વૃક્ષો, છોડવાઓ, વેલાઓ, અને અનેક જાતની વનસ્પતીથી ભરપૂર પૃથ્વીમાતાએ જાણે લીલા રંગની સાડી ન પહેરી હોય તેમ ભાસતી હતી. મયૂર અને બપૈયાઓ આનંદની છોળો ઉછાળી રહ્યાં હતાં. ખેડુત વર્ગ અત્યંત હર્ષિત થઈ ગયો હતો. ધારાનગરીના લોકે ગોખમાં, પોતપોતાના સ્થાનમાં બેસીને પ્રકૃતિનું સુંદર દશ્ય જોવામાં તલ્લીન થઈ ગયાં હતાં. આ સમયે પરમાર્હત કવિ ધનપાલ ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરના મંદિરમાં મધ્યાન્હ પૂજા કરતા હતા. પ્રભુના મંદીરમાં ધૂતના દીપકે અશુભ પરમાણુને શુદ્ધ કરી રહ્યાં હતાં, ખુશબોદાર ધુપની સુવાસ સમસ્ત દેવાલયમાં ફેલાઈ રહી હતી. ધનપાલ પ્રભુ મહાવીરની મૂર્તિનું અપૂર્વ અર્ચન (પૂજન) કરી રહ્યા હતા. તેનું સમસ્ત શરીર પરમાત્માની ભકિતથી પુલકિત થયું હતું. તેનું ચંદ્ર સમાન ઉજજવલ મુખાર્વિન્દ આનંદના અતિરેકથી અત્યંત મનોહર લાગતું હતું. પૂજાનું કાર્ય સંપૂર્ણ થયા બાદ ધનપાલ મનોહર કંઠથી સુંદર આલાપથી, સંસ્કૃત લોકોના ગાનથી સ્તુતિ કરવા લાગે તે નીચે પ્રમાણે बलं जगदूधिसनरक्षणक्रम, क्षमा च किं संगमके कृतागसि // इतीव संचिंत्य विमुख्यमानसं, रुषेवरोषस्तव नाथ निर्ययौ // 113 // कतिपयपुरस्वामी कायव्ययैरपि दुर्घहो, मितवितरिता मोहेनासौ पुरानुसृतो मया // त्रिभुवनविभुर्बुद्धया (व्या राध्योऽधुना सुपदप्रदः, प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्ययः / / 114 / / [gs મe s--g0 રરૂર ] અર્થ - હે નાથ ! તારું બલ જગતને વિઘાત (સંહાર) કે રક્ષણ કરવામાં 1 ततः श्रीमन्महावीरचैत्यं गत्वा ननाम च। वीतरागनमस्कारं श्लोकयुग्मेन सोऽब्रवीत् // 112 / / प्र० म०प्र० For Private And Personal Use Only