Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૫૩૮ શ્રી જન સત્ય પ્રકાશ વૈશાખ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુજીના વખતે જિનકલ્પનો વ્યુચ્છેદ થયો એમ કેઈ પણ જૈન આગમ કહેતું નથી અને શ્વેતામ્બરો માનતા પણ નથી. શ્વેતામ્બર આગમો જિનકલ્પને બુચ્છેદ શ્રી જસુસ્વામી ભગવાનના નિર્વાણ પછીથી માને છે. જુઓ, વિશેષ આવશ્યક અને પ્રવચન સારોદ્ધાર – માપ રદ પુસ્ત્રાપs fથા. એ ગાથામાં જિનકલ્પને સુચ્છેદ સ્પષ્ટપણે જંબુસ્વામીથી જ જણાવ્યું છે. તે વેતામ્બરીય આગમ નામના લેખને લખનારે એટલું પણ ધ્યાન નથી રાખ્યું કે ખુદ પિતાની માનેલી તવાર્થ ટીકામાં જ માત્ર ભાવલિંગનું જ એકતિકપણું છે અને દ્રવ્યલિંગની ભજના છે તેમ જ પથ્યાભૂત વગેરેમાં પણ બાહ્ય લિંગની અને કાન્તિકતા જણાવેલી છે તે ઉપરથી અન્યલિંગે અને ગૃહિલિંગે મેક્ષ જવાનું થાય તે શાસ્ત્રકારને ઈષ્ટ છે, એ હકીકત પણ જોવામાં આવી નહિ. ખરી રીતે તે દિગમ્બર લકોને નગ્ન રહેવા ઉપર વધારે આગ્રહ થયો અને તેથી જ અન્યલિંગ અને ગૃહિલિંગથી સિદ્ધ થવાના ભેદ ઉડાડી દેવા પડ્યા. (આ ઉપરથી જે લોકે દિગમ્બર અને વેતામ્બરમાં માત્ર ક્રિયાને જ ભેદ છે પણ તત્વ સુદ્ધાને ભેદ નથી એમ માનતા હોય તેઓએ આંખ ખેલવાની જરૂર છે.) વળી તે લેખક, સ્ત્રી અને નપુંસકના મેક્ષને માટે જે કપિતપણું જણાવે છે તે પણ ખોટું જ છે, કારણ કે દિગમ્બર એ જ પિતાના ગોમટસારમાં સ્ત્રોને મેક્ષ જવાની સંખ્યાઓ જણાવી છે, અને યાપનીય સંધવાલાઓ તે સ્ત્રીને મોક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. ખરી વાત તો એ છે કે દિગમ્બરોએ નમ્રપણું ઉપર આગ્રહ રાખ્યો અને સ્ત્રીઓ સર્વથા નમ રહી શકે તેવું તેમને લાગ્યું નહિ. અને તેથી સ્ત્રીને ચારિત્રની મનાઈ કરવી પડી અને તે જ કારણથી સ્ત્રીને મોક્ષ નિષેધવા પડ્યા. અને તે પ્રસંગે નપુંસકને મેક્ષ નિષેધ્યો. આવી સીધી હકીકત પણ દિગમ્બર ભાઈઓ ને તમને એ નવાઈ જેવું છે. (ધ્યાનમાં રાખવું કે અન્ય મતમાં જોગણીઓ વસ્ત્ર વગરની હેય.) તે લેખક જે જણાવે છે કે વેતામ્બર જૈનધર્મના અનુયાયી અને અર્જુન માર્ગના અનુયાયીને મોક્ષ થવાનું માન્યું છે, તે સર્વથા ખોટું છે, કેમકે કોઈ પણ વેતામ્બર આગમ સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવમાર્ગ કે જેનું નામ જ જૈનત્વ છે તે સિવાય કેવળજ્ઞાન કે મોક્ષ કહેતે જ નથી. આ લેખકને કુરગડુની કથા માટે મૂલ સ્થાન આવશ્યકની ટીકા જવાનું ન ગમ્યું, નંદીસત્રની મલયગિરિ ટીકા જવાનું ન ગમ્યું, પણ કેવળ, સુત્ર અને અર્થોને ફેરવનારા અને ઓળવનારા એવા એક સામાન્ય મનુષ્યનું કરેલું જુદું ભાષાંતર કર્યું. પણ તે ઉપરથી શ્વેતામ્બર આગમો કે “વેતામ્બર મતની સમીક્ષા કે તુલના કરવી એ ગ્ય હેઈ શકે નહિ. વેતામ્બર આગમમાં તે નથી તે તપસ્વી અને કુરગડુ વચ્ચે ગુરૂ ચેલાને સંબંધ, કે નથી તો તેણે થુંકવાળું ભોજન ખાધું. વેતામ્બર શાસ્ત્રોએ ક્ષમાની પરાકાષ્ટાને માટે એ કુરગડુનું આપેલું દૃષ્ટાન્ત દિગમ્બરોને ન રૂચે તે તે સ્વાભાવિક જ છે. લેખકે ધ્યાન રાખવાની જરૂર છે કે શુકલ ધ્યાન મુદ્રની અંદર અંદર જ હોય છે અને તે અંતમુહૂર્ત કળ, કોઈ પણ જાતની પહેલાની ક્રિયા થતી હોય તેમાં પણ (જુઓ ૫૪ ૫૪૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44