Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શન'ને ઉત્તર ૫૩૭ દિગમ્બર ભાઈઓએ વેતામ્બરનાં કેસરીયાજી જેવાં તીર્થો તેમજ કાર્યાદિ ગ્રંથેને જેમ હડફ કર્યા છે તેમ પલ્લીવાલની કામને પણ તે હડફ કરવા માગે છે. ચોરી, કરનારો પણ જાહેર રીતે અને બલાત્કાર પૂર્વક ચરી કરે તે તેને—ધાડપાડું કે લૂંટાર કહેવો પડે છે–માટે–એ શબ્દો પિતાના ઉપર લાગુ ન થાય તે વાતનું દિગમ્બર ભાઈ ઓએ પૂરતી રીતે ધ્યાન રાખવું. જેમ ચેરી કરનારા લૂંટારૂને ચોરેલે અને લૂંટેલે માલ પાછો જય, તે વખતે હાયપીટ કરવી પડે છે તેવી રીતે દિગમ્બરે હાયપીટ કરી પલ્લીવાલે માટે રોદણાં રૂવે તે કેવળ અન્યાય સિવાય બીજું કંઈ છે જ નહિ. વેતાંબરીય આગમ' શીર્ષક લેખ જૈનદર્શનના એ જ અંકમાં પલ્લીવાલ ભાઈઓને જુદી રીતે ભરમાવવા માટે તાખરીય આગમનના મથાળેથી જે લેખ લખવામાં આવ્યો છે તે કેવલ પલીવાલ ભાઈઓને ફસાવવા માટે છે. પ્રથમ તો તે લેખમાં કઈ પણ પ્રકારે આગમના ઉત્થાન સંબંધી કંઈ પણ હકીકત જ નથી. ભદ્રબાહુજી જે શ્રુતકેવલી હતા તેમને દુષ્કાળની વખતે નિવાસ નેપાલ દેશમાં જ હતા. તે વખતે તેઓ કર્ણાટક તરફ ગએલા જ નથી અને તે દુષ્કાળમાં ચૌદ પૂર્વો જેટલું સંપૂર્ણ મૃત જળવાઈ રહેલું જ હતું, માટે શ્રવણબેલગોલા ભદ્રબાહુ શ્રુતકેવલિ છે જ નહિ. (શ્રવણ બેલગોળાના લેખની-પશ્વિમતા અને કલ્પિતતા માટે શ્રીમાનું દર્શનવિજયજીના “વિવર રાત્ર વરસે વરે ' એ વગેરે લેખ જોઈ લેવા. *વેતામ્બરીય આગમ નામના લેખને લખનારાએ અનાયાસે એમ તો કબુલી લીધું છે જ કે-વેતામ્બર–દિગમ્બર તરીકેના વિભાગમાં માલવાને દેશ કેન્દ્ર તરીકે છે અને તેથી વેતામ્બર આગમ જે રથવીર પોથી, સહસ્ત્ર મલ દ્વારા દિગમ્બરની ઉત્પત્તિ જણાવે છે તે સત્ય સાબીત થાય છે. વધારે આશ્ચર્યની વાત તે એ છે કે તેઓ વસ્ત્ર, પાત્ર અને કોળી આદિ ઉપકરણોને વેતામ્બરોએ દુષ્કાળને લીધે રાખ્યાં, એવું હડહડતું જુઠું અને યુક્તિથી પણ શન્ય ખેલે છે. વળી આ ભાઈ લખે છે કે દુષ્કાળને લીધે એક ઘેરે સાધુઓએ ખાવું છોડી દીધું. આ ભાઈને એટલી પણ ખબર નથી કે સાધુઓને માટે વપરાતા ભિક્ષુ શબ્દ જ અનેક ઘરેથી ભજન લેવાનું સ્પષ્ટ સૂચવે છે. માટે સાચી હકીકત એ છે કે–દિગમ્બરોએ પાત્ર વગેરે ઉપકરણ છોડી દીધું તેથી તેઓને ભિક્ષાવૃત્તિ છેડી દઈ એક જ ઘેર ભોજન લેવું પડયું. એવું છતાં વેતામ્બરની ભિક્ષાવૃત્તિ પર દોષ દેળવે તે કેવલ પક્ષમાહ જ છે. એટલું જ નહિ પણ વસ્તુઓનું રાખવું, જે દુષ્કાળને અંગે શ્વેતામ્બરોએ કર્યું એમ જે જણાવે છે તે કેવળ કહેનારનું હાસ્યાસ્પદ કથન જ છે કેમકે દુષ્કાળની વખતે વસ્ત્રની હાજત નવી ઉભી કરે એ તો દિગમ્બરોના જ મગજ માં શેભે. લેખકે ધ્યાન રાખવું કે શ્વેતામ્બરના કોઈ પણ ગ્રન્થમાં ભદ્રબાહુ શ્રુતકેવલી મહારાજ. દુષ્કાળમાં કર્ણાકટ ગયા એવું લખાયું છે જ નહિ અને તે લેખકના જોવામાં આવ્યું હોય તો તેમણે પહેલી જ તકે જાહેર કરવું. આવાં આવાં જુઠાં લખાણો કરીને શ્વેતામ્બરોને ભરમાવવા અને ફસાવવા એ કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44