Book Title: Jain Sahitya Sanshodhak Samiti 1923
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 99
________________ अध्यापक कॉवेल लिखित प्राकृत व्याकरण - संक्षिप्त परिचय ઈ. સ. પૂર્વેના સૈકાઓમાં, ભારતવષ માં સંસ્કૃત ભાષામાંથી અપભ્રષ્ટ થઈ ને કેટલીક ભાષાઓ ( ખેલીઓ ) ઉત્પન્ન થઈ જેને સાધારણ રીતે પ્રાકૃત કહેવામાં આવે છે. આ ભાષાઓની શેાધ ખાળના વિષય ભાષાશાસ્ત્રીને તેમજ ઇતિહાસ લખકને ઘશે! રસ આપી શકે તેમ છે. હાલની પ્રચલિત ભાષાઓ અને મહા સસ્કૃત વચ્ચે સંબંધ જોડી શુંખલાનું કામ બનાવનાર આ પ્રાકૃત ભાષાઓનું (અને ખાસકરીને ‘ પ્રાકૃત ’ નામક ભાષાનુ) જ્ઞાન હાલમાં વપરાતાં કેટલાંક રૂપે. સમજવાને ઉપચાગી છે એટલું જ નહિ, પરંતુ તે ભાષાસંધની એક ઈંડા-યુરોપીઅન શાખાના ઇતિહાસમાં પ્રકાશ પાડે છે, તથા લૅટીનમાંથી ઉત્પન્ન થએલી આધુનિક ઈટાલીઅન અને ફ્રેંચ ભાષાએ સરખાવતાં જે સ્વરમાધુય નું આપણને ભાન થાય છે તે માધુ ના નિયમાના અનુપમ દ્રષ્ટાંતા પૂરાં પાડે છે. તદુપરાંત ખાજા ઘણા રસાત્પાદક ઐતિહાસિક પ્રશ્ના સાથે પ્રાકૃત ભાષાના નિકટના સબ`ધ છે. સલાનના મદ્રેનાં તથા ભારતવષઁના જૈનાનાં ધમ પુસ્તકાની ભાષા પ્રાકૃતનાં ભિન્ન ભિન્ન રૂપા છે; અને ખરેખર બ્રાહ્મણ્ણાની સસ્કૃતના વિશેષ દર્શાવીને જનસમાજના હૃદય ઉપર સચેાટ અસર કરવા માટે ઐાદ્ધ ગ્રથામાં પાલિ ભાષાના ઉપયોગ કરવામાં આવ્યા છે. જ્યારે અલેકઝાન્ડરના આધિપત્ય તળે ગ્રીક લાકા ભારતવર્ષના સંબધમાં આવ્યા ત્યારે પ્રાકૃત ભાષા જનસમાજમાં પ્રચલિત હશે. જેમાં ઈ. સ. પૂર્વે લગભગ ૨૫૦ વર્ષના ઍન્ટીઆકસ અને ખીજા ગ્રીક રાજાઓનાં નામા આવ છે એવા અશાક રાજાના શિલાલેખાની ભાષા પણ એક જાતની પ્રાકૃતજ છે; તે જ પ્રમાણે એન્ટ્રીયાના ગ્રીક રાજાના વૈભાષિક સિક્કાઓ ઉપર પણ પ્રાકૃત ભાષા લખેલી જોવામાં આવે છે. જુના હિંદુ નાટકામાં પણ આ ભાષાઓના હિસ્સા આછે નથી; કારણ કે તેમાં મુખ્ય નાયકા સસ્કૃતના ઉપયોગ કરે છે, પણ સ્ત્રીએ અને સેવકા જુદી જુદી જાતની પ્રાકૃત ભાષા વાપરે છે, જેમાંના પરસ્પર ફેરફારો ખેલનારની કક્ષાપ્રમાણે, સ્વરમાધુય ના નિયમનુ' અનુસરણ કરે છે. વૈય્યાકરણા ‘ પ્રાકૃત ’ શબ્દને તેઃ સર્વ ગાત એમ જણાવી પ્રતિ એટલે સ'સ્કૃત સાથે સંબંધ જોડે છે. આ વિષયમાં હેમચન્દ્રે નીચેપ્રમાણે જાવ્યુ` છે: મતિ સંસ્કૃત તત્ર મળ્યું તત આપતું વા માતમ્ । પણ મૂળ તેના અથ ‘ સાધારણ' અગર મસ’સ્કારો એવા હશે, કારણ કે મહાભારતમાં એક સ્થળે બ્રામ્હણાના ધિક્કાર કરવા નહિ એમ જણાવી લખ્યુ` છે કેઃ— दुर्वेदा वा सुवेदा वा प्राकृताः संस्कृतास्तथा ॥ લભગલ આધુનિક વૈય્યાકરણા ‘ પ્રાકૃત ’ નામ તળે ઘણી ભાષાઓના સમાવેશ કરે છે, પરંતુ તેમાંની ઘણી ખરી પાછળથી થયેલાં ક્ષુલ્લક રૂપાંતર માત્ર છે. જેમ જુના વૈય્યાકરણ તેમ તેના ગ્રંથમાં ઘેાડી પ્રાકૃત ભાષાઓ. તેજ પ્રમાણે ઘણા પુરાણા વૈય્યાકરણ વરરૂચિએ ફક્ત ચાર જ પ્રાકૃત ભાષાઓનું વિવેચન કર્યું છે, જેવી કે મહારાષ્ટ્રી, પૈશાચી,' માગધી, અને શારસેની. આમાંથી પહેલી એટલે મહારાષ્ટ્રો ભાષાને તેણે વિશેષ મહત્ત્વની ગણી છે; તથા સન સાહેબે પણુ પાતાના ૧. પૈશાચી ભાષા ખાસ ઉપયેાગી છે કારણકે વૃત્તથા તે ભાષામાં લખાયલી છે.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126