Book Title: Jain Sahitya Sanshodhak Samiti 1923
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 100
________________ અધ્યાપક કવેલ લિખિત [: ખંડ ૨ ઈન્સ્ટીટ્યુશન્સ' નામના લેખમાં તેને જ મુખ્ય ગણે છે. વરરૂચિના પ્રાકૃત પ્રકાશમાં પ્રથમ નવ પ્રકરણમાં તેનું વ્યાકરણ આપવામાં આવ્યું છે, અને બાકીનાં ત્રણ પ્રકરણમાં બાકીની ત્રણ ભાષાએની વિશિષ્ટતા જણાવી છે. મૃચ્છકટિક નાટકમાં પ્રાકૃત ભાષાઓનું એક વિચિત્ર મંડળ ભેગું કરવામાં આવેલું છે જેથી કરીને તે નાટક ઉપગી પ્રાકૃત રૂપોની ખાણ બન્યું છે. વળી, વિકમેવશીના ચેથા અંકમાં પુરુરવ રાજાના આત્મપ્રલાપની ભાષા તદ્દન ભિન્ન જ છે, અને એક જાતની કાવ્યમાં વપરાતી અ૫ભ્રંશ ભાષા છે, જેને આધુનિક વૈયાકરણે મૂળ પ્રાકૃતથી, ઘણીજ જુદી ગણે છે. આ અપવાદે સિવાય સંસ્કૃત નાટકમાં ગદ્યમાં શૈરસેની, અને પદ્યમાં મહારાષ્ટ્રી,- સાધારણ પ્રાકૃત જ વપરાય છે. આ બન્ને માટેના નિયમો સરખાજ છે, પરંતુ ગદ્યમાં વપરાતી ભાષા કેવળ વ્યંજને ઉડાડી દેવામાં થોડી છૂટ લે છે, તથા ધાતુ અને પ્રાતિપદિકનાં કેટલાંક રૂપ તેનાં પિતાનાં ખાસ હોય છે, જે નીચે જણાવવામાં આવશે. તે પણ નાટકની ભાષા, ખાસ કરીને ગદ્યમાં, વરરૂચિના નિયમોથી ઘણી વાર વિરૂદ્ધ જાય છે. આ લઘુ વ્યાકરણ નાટકમાં વપરાતી સાધારણ પ્રાકૃત માટે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે. ખરેખર, અત્યાર સુધી પદ્યાત્મક પ્રાકૃતનાં ઘણાં ઉદાહરણે જાણવામાં ન હતાં; ફક્ત નાટકમાં તથા અલંકારના ગ્રંથોમાં આવેલાં પ્રાકૃત પાનાં થોડાંક નમુનાઓ જણાયા હતા પણ છે. વેબ હાલકવિના સપ્તશતકને કેટલાક ભાગ છપાવ્યું છે જેને લીધે મહારાષ્ટ્ર ભાષાનું મોટું ક્ષેત્ર ખુલ્લું થયું છે. તે કાવ્યમાં પ્રાકૃતના અભ્યાસને માટે ઘણી ઉપયોગી એવી આયા છે પરંતુ મારા પ્રસ્તુત કાર્ય માટે તે બહુ ઉપયોગી નહિ હોવાથી મેં આ લેખમાં તેમને ઉપગ બહુજ છેડે કર્યો છે. તે પણ પરિશિષ્ટમાં હાલકવિની દશેક આર્યાએ મેં આપી છે. વિભાગ ૧. લભભગ સવથા સંસ્કૃત શબ્દમાં કેટલાક ફેરફાર કરીને અને કેટલાક અક્ષરે ઉડાડીને પ્રાકૃત રૂપ સિદ્ધ થયાં છે. સંસ્કૃતના અશુદ્ધ ઉચ્ચારેને બદલે પ્રાકૃતમાં અસ્પષ્ટ અને અર્ધઉચ્ચાર કરવામાં આવે છે, તથા સંસ્કૃત ભાષાના સ્વભાવની વિરૂદ્ધ જઈને વારંવાર સ્વરસમુહને બાધ કરવામાં આવે છે. નીચેના પ્રકરણમાં, પ્રથમ તે શબ્દના અક્ષરોમાં થતા ફેરફાર વિષે અને, પછીથી, પ્રાતિપદિક અને ધાતુઓનાં રૂપમાં થતા ફેરફાર વિષે વિવેચન કરીશું. સ્વર પ્રકરણ પ્રાકૃતમાં , , , છે, સિવાયના બધા સ્વરે સંસ્કૃત પ્રમાણે છે. કે શબ્દમાં પ્રથમ અક્ષર = હેય તે તેને રિ થાય છે, જેમ કે ગરબા ને બદલે ળિ; કેટલીક વાર ચા ની પહેલાં વ્યંજન હોય તે તે વ્યંજનને લેપ કરવામાં આવે છે. જેમ કે સદશ લિ. જે ૪ ની પહેલાં વ્યંજન આવ્યો હોય તે ને અ અથવા થાય છે, અને જે તે વ્યંજન એઝસ્થાનીય હોય તે ૪ નો ૩ થાય છેજેમ કે , , gદિ વિદિ, અપૃથવી-જુહી, કરિ–પતિ. પરંતુ આવા ફેરફાર શબ્દના પ્રથમાક્ષર માં ભાગ્યે જ થાય છે, તે પણ લિ (વિ), sq (૧), ૩૬ (). ૧. જુના ના ચેથા અંકમાં ધીવર માગધી ભાષાનો ઉપયોગ કરે છે, તેમજ મુદ્રાક્ષસ માં કેટલાંક પાત્રે નિકૃષ્ટ ભાષા વાપરે છે. - ૨. ડૉ. પીલે શાસેનીવિષે મુજના બીજા પુત્ર ૮ માં વિવેચન કર્યું છે. પરંતુ તેમના કેટલાક નિયે અનિશ્ચિત છે,

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126