Book Title: Jain Itihas Author(s): Hemratnasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ A જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૫ યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૬ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરુ સમ સહનશક્તિ મળી છે પૃથ્વીની એક ઝંખના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૭ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પણ પળ યુગો સમ જાય ગુરુવર ખેદ ને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરું વંદના...૮ – પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય Jain Education International 7 For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210