Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન ધર્મ પ્રકાશ : : વર્ષ ૮૪ મું :: વાર્ષિક લવાજપ-૨પ પેસ્ટેજ સહિત अनुक्रमणिका ૧ શ્રી વદ્ધમાન મડાવીર : મણકે બીજ–લેખાંક : ૨૯ ... (સ્વ. નોનિક) ૨૫ ૨ જપ અને ધ્યાન : (લેખાંક ૧૪ ) . ( દીપચંદ જીવણલાલ શાહુ) ૨૯ ૩ લલિતવિસ્તરાકાર અને ચિત્યવનનાં સૂત્રો (શ્રી હીરાલાલ ૨. કાપડીઆ) ૩૨ ૪ સ્વાધ્યાય ( શાહ ચતુર્ભુજ જેચંદ) ૩૪ ૫ સમાચાર ... ... ટા. પ. ૩ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ-મુંબઈ યુગદ્રા આચાર્ય વિજયવલભસૂરિજી મહારાજના અમર સમારકરૂપ મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણ મહોત્સવ શ્રી માણેકલાલ ચુનીલાલ શાડના પ્રમુખપદે જાયા હતા. આ સમારંભમાં સંસ્થાની અર્ધ સદીની ગૌરવભરી સફળતા અને શ્રી સંઘના ઉમળકાભર્યા સહકારની યાદ આપતા અને સંસ્થાને ભવિષ્યમાં પણ વધુ અને વધુ સહાય આપવાને અનુરોધ કરતા પ્રવચનો થયા હતા અને એડ બોયઝ યુનિયને તૈયાર કરેલ પૂર્વ વિદ્યાર્થી ઓની માહિતી આપતી ડીરેકટરીનું સંસ્થાના પ્રથમ વિદ્યાર્થી શ્રી ઓધવજી ધનજીભાઈ શાહના હસ્તે પ્રકાશન થયું હતું અને જૈન ધર્મ અને સંસ્કૃતિના વિવિધ વિષયેની લેખસામગ્રીથી સમૃદ્ધ સચિત્ર સુવર્ણ મહોત્સવ મંથનું પ્રકાશન શ્રી ગોવર્ધન ડી. પરીખ, રેકટર, મુંબઈ યુનિવર્સીટીના હસ્તે થયું હતું. સમારંભના પ્રમુખસ્થાનેથી પ્રવચન કરતાં શ્રી માણેકલાલ ચુનીલાલ શાહે જણાવ્યું હતું કે, ભગવાને વિકાસના અમેધ સાધન તરીકે જ્ઞાન અને ક્રિયાનું સમાન ભાવે આરાધન કરવાનું કહ્યું છે અને સાચું જ્ઞાન હોય તો જ સાચી કિયા થઈ શકે એટલા માટે " જ્ઞાનને અપ્રસ્થાન આપ્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જ્ઞાનની નાની સરખી પરબ છે.” | ઉચ્ચ શિક્ષણને પ્રચાર કરીને જૈન સમાજને સુખી, શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં વિદ્યાલયે અર્ધી સદીની યશસ્વી કામગીરી બજાવી છે. આ પ્રસંગે જૈન સંઘને નમ્રતાપૂર્વક અનુરોધ કરવાનું ઉચિત સમજું છું કે, તે દરેક પ્રકારની આર્થિક સગવડો ઉભી કરે અને શિક્ષણ સંસ્થાઓને પગભર અને શક્તિશાળી બનાવે. સંસ્થા માટે રૂપિયા પચીસ લાખની માતબર રકમ એકઠી કરવા બદલ શ્રી માણેકલાલ ચુનીલાલ શાહે સંસ્થાના મહામંત્રીઓ સર્વશ્રી ચંદુલાલ શાહ, મનુભાઈ કાપડીયા, જયંતીલાલ રતનચંદ શાહ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી અને બીજા કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. મહામંત્રીઓએ તેમના નિવેદનમાં સરથાને સમાજ તરફથી વધુ સહાય મળે તે માટે અપીલ કરી હતી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16