Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ શ્રી જૈનધર્મ પ્રકાર માન કરું છું. અહિંસા ધર્મ એ મહા વાક્યને ઘેવ કરનારી અને ઘણી સદીઓથી જીવનમાં ઉતારનારી પ્રજામાં ચારે પુરૂષાર્થમાં સંપ' અને ઐકય થવું એ સુલભ છે. હિંદુસ્તાનની પ્રજામાં જે કોઈ પણ ધર્મસમૂહ એકમત થવા સંભવ હોય તે તે સ્વભાવથી જ શાંત અને પારકાનું મન દુખવવામાં અચકાતે જૈન ધર્મસમહજ છે. એ પુરૂષાર્થમાં તમે સફળ થાઓ તે મતભેદને તમે હમેશને માટે તમારા સંધમાંથી દેશનિકાલ કરી શકશે, અને બકરાંપને બહુ ઉંડા પા તમે નાખી શકશો, કે જે એકસંપ સર્વ ઉન્નતિનું મૂળ સૂત્ર છે. ધર્મ, કેળવણી અને રીવાજો ઉપરના તમારા સર્વના મતભેદે દૂર થઈ તમે સંપનાં સુખ અનુભવે એવી મારી શુભેચ્છાઓ હું તમારી સંફમાં સોંપું છું, અને તમારું આ સ્તુત્ય કામ નિર્વિને અને સુખરૂપ પાર ઉતરો એવું અતઃકરણપૂર્વક ઈચ્છું છું. હવે હું તમારા આજના નેતાને તેના સ્તુત્ય કામમાં મદદ કરવાની તમને ભલામણ કરું છું. પ્રાણી જે પ્રમાણમાં પિતાના ઘરના વડીલની આજ્ઞામાં રહેતાં શીખે હોય તે પ્રમાણમાં તે સાંવીક નેતાઓને માન આપતાં શીખે છે, અને સાંધક અધ્યક્ષને જે પ્રમાણમાં માનની નજરથી જુએ છે તે પ્રમા માં દેશના અધીશ રાજા તરફ માનથી દેરાય છે, અને જેઓ દેશના રાજાને માનથી ભજે છે તેઓજ જગતના ઇશ્વરની આજ્ઞાને માનનીય ગણે છે એમ સમજવાનું છે. એટલે આજે તમે તમારા આજના નેતા તરફ જે માન પ્રદર્શિત કરશે તે જેમ તમારા ઘરવ્યવહારની સ્થિતિને બતાવી આપશે તેમ ઈશ્વર અને રાજા તરફની તમારી અંતર લાગણીઓની કુચી રૂપ ગણાશે. આજના પ્રમુખને તમારા અધ્યક્ષ નીમવામાં તમે જેટલું તેમને માન આપ્યું છે તે કરતાં વધારે માન તમને પિતાને આપ્યું છે. જેની યોગ્ય સ્થળ પસંદગી કરવામાં પસંદ કરનારાની ગ્યતાનું માપ થઈ જાય છે, અને તમારી પસંદગી ઉપરથી તમે તમારી પિતાની યોગ્યતાની ઘણી સંતોષકારક પરીક્ષા જનસમૂહને આપી છે એમ કહેતાં મને હર્ષ થાય છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈ વિષે કોઈ અજાણ્યું નથી. આર્થિક ઉન્નતિના તેઓ નેતા છે એ તે એમના આર્થિક સાહસેથી સર્વને વિદિત છે, અને બીજા ત્રણ પુરૂષાર્થમાં પણ તેઓ તેવાજ ખંતી છે, એટલે તમને ચારે પુરૂષાર્થ તરફ દોરવા માટે તેઓ ચોગ્ય નર છે; અને તેમના નેતા પણ નીચે તમે સહીસલામત હાથમાં છે એ જાણી જૈન સંઘની અભિવૃદ્ધિ ઈચ્છનાર દરેક માણસ ખુશી થાય એવું છે. હવે તમને કેમ ઘેરવામાં આવે છે, અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31