Book Title: Jain Darshanni Ruprekha Author(s): T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 9
________________ શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નથી. આથી આપણે આધિભૌતિક પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આપણા જીવે (આત્માએ) સ્વ-ધર્મમાં રહીને જ પ્રગતિ કરવી જોઈએ, પરંતુ ભૌતિક પ્રગતિ કરવી હોય તો કામ, ક્રોધ, લોભ વગેરે કષાયોના પર ધર્મમાં થઈ શકે. પસંદગી આપણી જ છે. આથી જૈન પરિભાષામાં “ધર્મનો અર્થ એ થયો કે તે એવું તત્ત્વ છે કે જે “જીવ’ને એટલે આત્માને ગતિશીલતા બક્ષે છે. આ ગતિશીલતા માણસને સારા રસ્તે ચડાવે તેમજ ખોટે રસ્તે પણ ચડાવે. આપણો “સ્વભાવ શું છે તે સમજવામાં ભૂલ કરીએ તો આપણે “પરભાવમાં પ્રગતિ કરીએ. જે આપણે સામાન્ય રીતે કરતા આવ્યા જ છીએ, પરંતુ આપણા “સ્વભાવને સમ્યગ દૃષ્ટિથી સમજીએ તો આપણી પ્રગતિ જુદી ઢબે જ થાય. (૩) “અધર્મ - ત્રીજું દ્રવ્ય “અધર્મ' છે. અહીં પણ “અધર્મ” એટલે પાપ તેમ નથી સમજવાનું. “અધર્મ એટલે જૈન પરિભાષામાં તે દ્રવ્ય કે જેનાથી માણસની સારી કે નરસી પ્રગતિ અટકે. આ સ્થિતિ પ્રગતિ-હીનતા (Rest)ની છે. જેમકે આકાશમાં ઉડતું પંખી ઉડવાનું બંધ કરે અને ઝાડની ડાળ ઉપર બેસી વિશ્રામ કરે તો તે સ્થિતિ “અધર્મ દ્રવ્યની થઈ. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે Rest – વિશ્રામની સ્થિતિ હોય તો ખોટું શું છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. જૈન તત્ત્વજ્ઞો કહે છે કે આત્માનું લક્ષણ હંમેશાં પ્રગતિ કરવા તરફનું જ હોય છે. જે પરિસ્થિતિમાં આપણને “અવગતિ થયાનું લાગે છે તે ખરેખર તો પ્રગતિના કારણભૂત સ્થિતિ છે કેમકે અવગતિની સ્થિતિમાંથી આત્મા પસાર થાય ત્યારે તેને અનુભવ મળે છે કે અમુક કારણસર તેની પ્રગતિને બદલે અવગતિ થઈ છે. તેનો અનુભવ થતાં કદાચ બે ત્રણ જન્મો પણ થાય. પરંતુ એક ક્ષણ તો એવી આવશે જ કે જ્યારે આ અનુભવ લઈને આત્મા સાચા રસ્તા ઉપર ચડશે. આથી સંપૂર્ણ વિશ્રામની સ્થિતિ આત્માની જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32