________________
૧૯
બળતણ નાંખવાથી અગ્નિ શાંત થતી નથી તેમ વાસના રૂપી અગ્નિ ભૌતિક ઈચ્છાઓની તૃતિથી શાંત થતી નથી અને વાસનાની શાંતિ ન થાય ત્યાં સુધી સાંસારિક જીવનમાં સુખની શોધ નિષ્ફળ રીતે જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે. આથી ભગવાન બુદ્ધ ખરું કહ્યું કે, “આપણે આપણી ભૌતિક ઈચ્છાઓની પરિતૃપ્તિથી આપણી જાતને જેમ આનંદિત કરીએ છીએ તેમ દુઃખી પણ કરીએ છીએ.” આ રીતે સુખ અને દુઃખની ઘટમાળમાંથી મૃત્યુ સુધી મુક્ત થઈ શકતા નથી. આથી વૃત્તિ સંક્ષેપ – વૃત્તિઓની ભૌતિક ઈચ્છાઓની મર્યાદા એ બાહ્ય તપનો અગત્યનો પ્રકાર છે જે ફક્ત ખાવાપીવામાં જ નહીં પરંતુ સમગ્ર જીવન વ્યવહારને આવરી લે છે.
(૪) રસ પરિત્યાગ : ખાવાપીવામાં રસવૃત્તિને મહત્ત્વ આપવાને બદલે પોષણ તત્ત્વને મહત્ત્વ આપી તપશ્ચર્યાના માર્ગે આગળ વધવું. આયંબીલ પાળવીતે રસ પરિત્યાગનો પ્રકાર છે. રસ પરિત્યાગથી જીભના સ્વાદ ઉપર નિયંત્રણ રાખી શકાય છે અને જેને જીભ ઉપર નિયંત્રણ છે તેને જીવન ઉપરનું નિયંત્રણ સ્વાભાવિક બને છે.
(૫) વિવિક્ત - શય્યાસન : શાંત ચિત્તે ધ્યાનમાં બેસી શકાય તેવા એકાંત સ્થળે વાસ કરવો.
(૬) કાયકલેશ : શરીરને કષ્ટ આપનાર પરિસ્થિતિમાં પણ મનની સ્થિરતા કાયમ રહે તે રીતે શરીરને કેળવવું.
માનસ પરિવર્તન
આ રીતે અત્યંતર તપની સાથોસાથ આ પ્રકારના બાહ્ય તપનો સુમેળ સાધીને સકામ નિર્જરાને પંથે આપણે આગળ વધી શકીએ તો સંચિત કર્મોનો નાશ કરી શકાય તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી એવી ઘોર તપશ્ચર્યા કરી કે આ બાર વર્ષ દરમ્યાન ખાવાના દિવસોનો સરવાળો તો ફક્ત એક વર્ષ જેટલો જ માંડ થવા જાય. તે ઉપરાંત જે શારીરિક કષ્ટો સહન
જૈન દર્શનની રૂપરેખા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org