Book Title: Jain Darshanni Ruprekha
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ ૨૯ અધ્યાયમાં આપેલ છે. તે મુખ્યત્વે ભિક્ષને માટે છે પરંતુ સંજોગો પ્રમાણે ગૃહસ્થોને પણ લાગુ પડે છે. જ્ઞાનના પ્રકારો જ્ઞાનના પાંચ પ્રકાર છે : (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યાય અને (૫) કેવલ. આત્માનો મૂળભૂત ગુણ (સ્વભાવ) “જ્ઞાન” છે. વનસ્પતિથી માંડીને માણસનું હુંપણાનું જ્ઞાન દરેક બદલતી પરિસ્થિતિમાં પણ કાયમ જ હોય છે. સ્વાવસ્થા, શુષુપ્તાવસ્થા, જાગૃતાવસ્થા, બાલ્ય, કૌમાર કે વૃદ્ધાવસ્થા તે તમામમાં પૌોલિક તેમજ સાંયોગિક ફેરફારો અનેક જાતના થાય છે. પરંતુ આત્મજ્ઞાન – “હુંપણાનું જ્ઞાન કાયમ જ રહે છે. બાહ્ય વસ્તુઓ કે પ્રસંગોનું જ્ઞાન આત્માને ઈન્દ્રિયો દ્વારા મળે છે ત્યારે તે “પરોક્ષ જ્ઞાન કહેવાય છે કેમકે તે ઈન્દ્રિયોની મદદથી મળેલ છે, પરંતુ ઈન્દ્રિયોની મદદ વિના આત્માને સીધેસીધું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આથી ઉપર જણાવ્યું તેમ જ્ઞાનના પાંચ પ્રકારો કહ્યા. તેમાં “મતિ' એટલે ઈન્દ્રિયો તથા મન દ્વારા ચિંતન, વિચાર અને તર્કથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને “મતિ જ્ઞાન' કહે છે. “શ્રુત' એટલે સાંભળેલું. પૂર્વ કાળમાં શાસ્ત્ર જ્ઞાન “શ્રત હતું. પરંતુ હાલ વ્યાખ્યાન વાચન વગેરેથી જે જ્ઞાન મેળવીએ તે “શ્રુત'ની કક્ષામાં આવે તે પણ ઈન્દ્રિયો દ્વારા જ મળે છે તેથી પરોક્ષ જ્ઞાન છે. બાકીના ત્રણ પ્રકારો પ્રત્યક્ષ જ્ઞાનના છે. “અવધિ જ્ઞાન એટલે આત્મિક બળથી અમુક ક્ષેત્રની અવધિ (limits)માં થતી ઘટનાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય તે અને મન:પર્યાય એટલે બીજાના મનની વાત જાણી લેવાની શક્તિ પ્રાપ્ત થાય તેઆ બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કેમકે કશાની બાહ્ય મદદ વિના આત્મા આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. છેલ્લું “કેવળ જ્ઞાન’ તે સંપૂર્ણ જ્ઞાન જે આબાધિત છે અને જે આત્માને જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32