Book Title: Jain Danviro Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 2
________________ ૫૩ જૈન દાનવીરે તેણે ત્રણ લાખ દ્રવ્યથી તે ઘડે ખરીદી લીધો. ભાવનું ભાગ્ય હવે બરાબર ઉદય થવા માંડયું. તેણે ઘડીથી થયેલાં બીજા બચ્ચાં મહારાજા વિક્રમને ભેટ આપ્યાં. ઉદાર દિલના રાજાએ આના બદલામાં તેને મધુમતિ (મહુઆ) આદિ બાર ગામનો રાજા સુબા ની. ભાવડ ગરીબ મટી પહેલાં કરતાં પણ વધારે સુખી થયો. તેણે મધુમતિમાં ખુબ ઠાઠથી પ્રવેશ કર્યો અને પિતાનાં બાર ગામ સંભાળ્યાં. આગળના વાણીયા કેવા બુદ્ધિકુશળ હતા તેને આ નમુનો છે. જે શેઠીઓ પહેલાં પિતાની કલમના બળથી વહીવટ ચલાવતો હતો તેણે હવે પિતાના બુદ્ધિબળથી રાજવહીવટ ચલાવવા માંડયો. રાજાએ તેને રાજા બનાવ્યો કે તરત જ મારાથી રાજ્ય થશે કે કેમ તેને વિચાર કર્યા સિવાય એકદમ બાર ગામ સંભાળ્યાં, અને એક સુનિપુણ રાજાની પેઠે પિતાને રાજ વહીવટ દીપાવ્યો. ભાવડને અહિયાં તેની સ્ત્રી ભાવલાથી એક પુત્રરત્ન ઉત્પન્ન થયું.૧ અને તેનું નામ ભવડ (આ ચરિત્રનાયક) પાયું. ભાવડે પોતાના પુત્રને એગ્ય અવસ્થા થયા પછી એગ્ય કેવળણી આપી તેનાં ઘેટીના શેઠની પુત્રી સુશિલા સાથે સ્વયંવરથી લગ્ન કર્યા. થોડા વખત પછી વૃદ્ધ ભાવડ સ્વર્ગે ગયો અને તેના બહાદુર પુત્રે રાજકારભાર સંભાળ્યો. ભાવડે પિતાના પિતાની પેઠે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કર્યું. તેણે પિતાની પ્રજાના સુખને માટે વાવ, કુવા તળાવ આદિ સગવડો બનાવી પ્રજાના આશિર્વાદ મેળવ્યા. એક વખતે અચાનક મેગલ સૈન્ય ત્યાં ચડી આવ્યું. મેગલ સૈનિકે સાથે ભવડ હાર્યો અને બાદશાહ તેને તથા બીજા ઘણુ માણસને પિતાની સાથે લઈ ગયો. પરંતુ ત્યાં ગયા પછી મોગલ બાદશાહ તેની સાથે બહુ ઉદારતાથી વર્યો હોય તેમ જણાય છે કારણ કે તે ત્યાં રહીને પણ પિતાના ધર્મની ક્રિયા ખુશીથી કરતો હતો. આને માટે રાસકાર લખે છે કે આ રજ દેશ જેમ આપણા ન્યાતિ વસાવચ્ચે વાસ રે તિહાપિણિ ચૈત્ય કરાવિયે, મહારે ધર્મ અભ્યાસ. ૬ આ. કા. મ. પૃ. ૬૬૧ ભાવડ જ્યાં રહેતો હતો ત્યાં વિહાર કરતા જૈન મુનિએ આવે છે. (આ ઉપરથી એમ લાગે છે કે આ નિસ્પૃહી મુનીશ્વરે ઉપદેશને માટે છ દેશમાં પણ ફરતા હશે-હતા) ૧ આ પુત્ર કેવો થશે તેને માટે શત્રુજ્ય રાસના કર્તા કહે છે કે સૂરજ સપ્ત અવે કરી, એક ભુવન દીપાવે તેહરો એહને સૂત તિનકને કરિસ્ય ઉધત ગુણ ગેહર. આનંદકાવ્ય મહોદધિ પૂ. ૬૫૬ ૨ આ મેગલ બાદશાહનું નામ નથી આપ્યું પરંતુ શત્રુંજય રાસના કર્તા તેને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – દુઃખમ કાલના મહાત્મથી મુગલ તણું બેલ જેર રે સમુદ્રના પુર જેમ સહુ ધરા લેયે પ્રાણ જેમ બહુ ફેર રે આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩-૪ પૃ. ૬૬ વિ. ૬. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11