Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૨૮ ] દર્શન અને ચિંતન રાજહંસાકૃતિ પાત્ર, શરીરથી અલગ ન દેખાય એવું તેની સાથે ચેટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી :પાતળી ધારીથી કપડાની કિનારીનો ખ્યાલ પૂરે પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણુ પાસે ઊભી રહેલ તેની પરિચારિકા-જિકાની આકૃતિ–આ ત્રણ શિને આધારે ડૉ. વાસુદેવ હર્ષચરિતમાંના ઉપર નિર્દેશલ ૧૬ પદના સમાસ–વાક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢયો છે તે જ બાણને અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલાય શિલ્પ પ્રાપ્ત થયાં ન હતા અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હેત તેમ જ ઉપસ્થિત છતાં તેને મર્મ પકડાયે ન હોત કે એ મને બાણના કથન સાથે મેળ સધાયો ન હોત તો બાણનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વ ભેગી વિના કઈ કહીં શકત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણનો એ ગ્રં પઠનપાનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જયારે એ ખરે અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળશિલ્પને ફાળે જાય છે. તે વાક્યો ખરે અને પૂરે અર્થ આ પ્રમાણે નીકળે છે: રાણી યશોમતીએ આ વર્ષ જેટલી ઉંમરની કન્યા કુજિકાએ નમ વેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણી લઈ મોટું ધોયું. એ કુશ્વિકા સજીવ કન્યા છે કે તેવી આકૃતિની પૂતળી હેય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર એટેલ બહુ જ ઝીણા વસ્ત્રની લાલ તાંબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હેવાને લીધે એ ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હેઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ પરી” શબ્દ છે તે તરફ ડૉકટરે ધ્યાન ખેંચ્યું છે. રાજ્યવર્ધનના વીરસવર્ણન પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રજવું છે તે આ છે• दर्षात् परामृशन् नवकिरणसलिलनिसरैः समरभारसम्भावनाभिषेक मन चकार दिङ्नागकुम्भकूट विकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14