Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 02
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 7
________________ અભ્યાસુના હાથમાં જ રહેશે બલ્કે હૈયામાં પણ રહેશે જ એ આશા રખાય. આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવાનું મન થઈ આવે છે કે મોટા ભાગના અભ્યાસુઓ “૧૦ કાળના રૂપો” બોલો, લખો-એવો વ્યવહાર કરે છે. વાસ્તવમાં ૧૦ કાળ નહીં પણ ૧૦ વિભક્તિ છે. ‘૧૦ વિભક્તિના રૂપો’’ એવો વાગ્યવહાર કરવો ઉચિત છે. ૧૦ વિભક્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. (૧) કાળલક્ષી : જેમાં વર્તમાના, હ્યસ્તની, શ્વસ્તની, ભવિષ્યન્તી, પરોક્ષા અને અદ્યતની એમ ૬ વિભક્તિ આવે. (૨) અર્થલક્ષી : જેમાં સપ્તમી, પંચમી, ક્રિયાતિપત્તિ અને આશીઃ એમ ૪ વિભક્તિ આવે. સપ્તમી (વિધ્યર્થ) વિગેરે ૪ ને કાળ તરીકે વ્યવહાર કરવો ઠીક નહીં... પં. શ્રી દિનેશભાઈએ આત્મીયભાવે આ પુસ્તિકાના થોડાજ પૃષ્ઠો નિહાળવા આપ્યા. આનંદ થયો. કાંઈક મિત્રભાવ અદા કરી શક્યાની હૈયાધારણ થઈ. નાનકડી આ પુસ્તિકારૂપ નાવ દ્વારા-સ્વાધ્યાય સાગરનું ખેડાણ થાય, શ્રુતસાગરના અનેક મૌક્તિકો-રત્નો હસ્તગત થાય. અનેકવિધ ટીકાગ્રન્થો, કાવ્યો, ચરિત્રોમાં અવગાહન થાય અને પ્રાન્તે કૈવલ્યશ્રીની પ્રાપ્તિ થાય એ જ, આ મહામહિમપળે પરમ પ્રિય પરમાત્માને પ્રાર્થના. - ૨૦૬૨, ડીસા. રાજુ સંઘવી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 298