SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસુના હાથમાં જ રહેશે બલ્કે હૈયામાં પણ રહેશે જ એ આશા રખાય. આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવાનું મન થઈ આવે છે કે મોટા ભાગના અભ્યાસુઓ “૧૦ કાળના રૂપો” બોલો, લખો-એવો વ્યવહાર કરે છે. વાસ્તવમાં ૧૦ કાળ નહીં પણ ૧૦ વિભક્તિ છે. ‘૧૦ વિભક્તિના રૂપો’’ એવો વાગ્યવહાર કરવો ઉચિત છે. ૧૦ વિભક્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. (૧) કાળલક્ષી : જેમાં વર્તમાના, હ્યસ્તની, શ્વસ્તની, ભવિષ્યન્તી, પરોક્ષા અને અદ્યતની એમ ૬ વિભક્તિ આવે. (૨) અર્થલક્ષી : જેમાં સપ્તમી, પંચમી, ક્રિયાતિપત્તિ અને આશીઃ એમ ૪ વિભક્તિ આવે. સપ્તમી (વિધ્યર્થ) વિગેરે ૪ ને કાળ તરીકે વ્યવહાર કરવો ઠીક નહીં... પં. શ્રી દિનેશભાઈએ આત્મીયભાવે આ પુસ્તિકાના થોડાજ પૃષ્ઠો નિહાળવા આપ્યા. આનંદ થયો. કાંઈક મિત્રભાવ અદા કરી શક્યાની હૈયાધારણ થઈ. નાનકડી આ પુસ્તિકારૂપ નાવ દ્વારા-સ્વાધ્યાય સાગરનું ખેડાણ થાય, શ્રુતસાગરના અનેક મૌક્તિકો-રત્નો હસ્તગત થાય. અનેકવિધ ટીકાગ્રન્થો, કાવ્યો, ચરિત્રોમાં અવગાહન થાય અને પ્રાન્તે કૈવલ્યશ્રીની પ્રાપ્તિ થાય એ જ, આ મહામહિમપળે પરમ પ્રિય પરમાત્માને પ્રાર્થના. - ૨૦૬૨, ડીસા. રાજુ સંઘવી
SR No.006058
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 02
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy