Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 327
________________ ૨૦ ઘર તરફ ૧ બે દિવસ બાદ, ડૉન કિવકસોટ કંઈક હરતાફરતા થયા, એટલે ડૉન ઍન્ટોનિયોની રજા લઈ ઘર તરફ વિદાય થયા. હવે તેમને એક વર્ષ બખ્તર પહેરવાનું ન હોવાથી, તથા હાલ તુરત તો ઘાયલ શરીરે પહેરી શકાય તેમ પણ ન હોવાથી, સાન્કોના ગધેડા ઉપર જ તે બધું લાદવામાં આવ્યું. સાન્કોને આમ પગે ચાલતા અને ડેપલને દોરતા ઘેર પાછા વળવાનું થયું. પાંચમા દિવસે રાતે તેઓ એક વીશીમાં ઊતર્યા. પણ તે પછીની રાતે ખુલ્લા ખેતરમાં તેમનો રાતવાસો થયો. ડૉન કિવકસોટને હવે ડુલસિનિયાના જ વિચાર વધુ જોરથી આવવા લાગ્યા. તેમણે સાન્કોને ફટકા ખાઈ લઈ, તેમનો માયા-જાળમાંથી છૂટકો કરવા વીનવવા માંડયું; કારણ કે, મર્લિનના શબ્દો પ્રમાણે, એ ફટકા ખાવાનું સાન્કો પૂરું કરે, તેની સાથે જ લેડી ડુલસિનિયા માયામુક્ત થઈ, જ્યાં હોય ત્યાંથી સીધાં ડૉન કિવકસોટને આવી મળે તેમ હતું. જો લેડી ડુલિસિનયા માયામુક્ત થાય, તો પણ આ બધું કંઈક લેખે લાગ્યું કહેવાય ! પણ સાન્કોએ હવૈં એ વાતના સાચાપણામાં શંકા બતાવવા માંડી. પોતે માર ખાય તેથી લેડી ડુલસિનિયા મંત્ર-મુક્ત થાય, એમ શી રીતે બને ? ઉપરાંત નાઈટ-પણાની માલિકે વાંચેલી ચોપડીઓમાં એવો કોઈ દાખલો બન્યાનું વાંચવામાં આવ્યું છે? ડૉન વિકસોટે કહ્યું, “ભગવાન તને સજ્બુદ્ધિ આપે; કારણ કે લેડી ડુલસિનિયા · મારાં પ્રેમ-રાજ્ઞી છે, અને તું મારો નોકર છે; એટલે લેડી ૨૭૫

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344