Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 340
________________ ૩૦૭ શુકલધ્યાનનાં પુપ-ફળ. ' આ ચાર પ્રકારના વિચારે શુકલધ્યાનીના હૃદયમાં સદા સ્વભાવથીજ વર્તે છે. એ મહાન શક્તિને લીધે, શુકલધ્યાનીને આત્મા સવે પુગળ પ્રવૃત્તિના સંબંધથી (વિભાવ પ્રવૃત્તિથી) દૂર રહી, તમામ કર્મોથી છૂટી, અત્યંત પવિત્રતાને મેળવી, અનંત અક્ષય, અવ્યાબાધ (ઉપાધિ રહિત,) મોક્ષ સુખમાં તલ્લીન રહે છે. ' એ પ્રમાણે શુકલધ્યાનીના ૪ પાયા, ૪ લણ, ૪ આલંબન, અને ૪ અનુપ્રેક્ષા એમ ૧૬ ભેદનું વર્ણન થયું. ગ્રંથ કર્તાની લઘુતા. હું એક અલ્પજ્ઞ, વિષય અને કષાયનું જ ઘર, અનેક અન્ય દ થી પણ ભરેલે, શુકલધ્યાન જેવા ગહન વિષયનું યથાર્થ વર્ણન કરવાને અસમર્થ છું. કારણ કે શુકલધ્યાન તે મારા અનુભવની, બહાર છે. મેં જે કાંઈ લખ્યું છે તે કેવળીએ પ્રરૂપેલાં સૂત્ર અને કેટલાક ગ્રંથને અનુસરીને, અને કેટલેક ઠેકાણે તે સ્વાભાવિક બેધ પે લખ્યું છે. માટે વાંચનાર જિજ્ઞાસુઓ પાસે નમ્રતાથી માફી માગું છું. પરમ પૂજ્ય શ્રી કહાનજી ત્રાષિજી મહારાજની સંપ્રદાયના મહંતમુનિ શ્રી બાળબ્રહ્મચારી મુનિ શ્રી અમાલખાષજી મહારાજ રચિત ધયાન : કલ્પતરુ ગ્રંથની શુકલધ્યાન નામે ચેથી શાખા સમાસ,

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344