Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 16
________________ દાનધર્મ ૨૪૧ સર્વ જીવોને જીવવાની ઇચ્છા હોય છે, તેથી સર્વ જીવોનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. એટલા માટે જ સમસ્ત પ્રકારનાં દાનોમાં અભયદાનની અધિક પ્રશંસા થાય છે. આ અને આના મા એક છે. આ મ મ મા यो ददाति सहस्राणि गवामश्वशतानि च। अभयं सर्वसत्त्वेभ्यस्तधानमतिरिच्यते ।। (મહાભારત–શાંતિપર્વ) જે મનુષ્ય હજારો ગાયો અને સેંકડો અશ્વોનું દાન કરે છે તેના કરતાં સર્વ પ્રાણીઓને જે અભયદાન આપે છે તે વધી જાય છે. * * * अभयं सर्वभूतेभ्यो दत्वा यश्चरते मुनिः। न तस्य सर्वभूतेभ्यो भयमुत्पद्यते क्वचित् ।। જે મુનિ સર્વ પ્રાણીઓને અભયદાન આપીને વિચરે છે તેને સર્વ પ્રાણીઓ તરફથી ક્યારેય ભય ઉત્પન્ન થતો નથી. અભયદાન પછી બીજા મહત્ત્વના દાન તરીકે જૈન શાસ્ત્રગ્રંથોમાં સુપાત્રદાનને ગણાવ્યું છે. સુયોગ્ય વ્યક્તિને દાન આપવું તે ઉભયને માટે ગૌરવભર્યું છે. સુપાત્ર શબ્દમાં સુ + પા + 2 એમ ત્રણ અક્ષરો છે. એટલે પાપ અને ત્ર એટલે રક્ષણ. જેઓ પોતાની જાતને અને ઉપદેશ દ્વારા અન્યને પાપથી બચાવે છે તે “પાત્ર' કહેવાય છે. એમાં પણ જે વધુ સારી યોગ્યતાવાળા હોય તે “સુપાત્ર' કહેવાય છે. સાધુસંતો સુપાત્ર કહેવાય છે. જે વ્યક્તિમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, શીલ, દયા, સંયમ વગેરે ગુણો હોય તે સુપાત્ર ગણાય. મુખ્યત્વે સાધુ-સંતોમાં એવા ગુણ હોય છે એટલે તે દાનના વિશેષ અધિકારી બને છે. ગૃહસ્થોમાં પણ કેટલાક સુપાત્ર હોય છે. એટલા માટે સુપાત્રના ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : ઉત્તમ, મધ્ય અને જઘન્ય, સાધુસાધ્વી, સંત-સંન્યાસીઓ ઉત્તમ સુપાત્ર છે, વ્રતધારી શ્રાવક-શ્રાવિકા મધ્યમ સુપાત્ર છે અને માર્ગાનુસારી સાધર્મિક બંધુઓ જઘન્ય સુપાત્ર ગણાય છે. ઉત્તમ સુપાત્ર એવાં સાધુ-સાધ્વીઓમાં પણ માર્ગમાં ચાલવાથી થાકી ગયેલા, રોગ વગેરેને કારણે પીડા અનુભવતાં, લોચ કરેલાં, અધ્યયન કરવાવાળાં તથા ઉત્તર પારણાંવાળાં સુપાત્રોને દાન આપવાથી વધુ ફળ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25