________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય તેની હમણાં આ ચાર (અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ)ની સમક્ષ નિંદા કરૂં છું. ૪૭ - મિથ્યાત્વથી વ્યામોહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત)નું સેવન કર્યું હોય તે સર્વની અત્ર હમણનિન્દા કરું છું. ૪૮
જિન ધર્મમાર્ગને જે મેં પાછળ પાડયા હોય અથવા તે અસત્ય માર્ગને પ્રગટ કર્યો હોય, અને જે હું બીજાને પાપના કારણભૂત થયે હોઉં તે તે સર્વની હમણાં હું નિન્દા કરું છું. ૪૯
જતુઓને દુઃખ આપનારાં હળ, સાંબેલું, વિગેરે જે મેં તૈયાર કરાવ્યાં હોય અને પાપી કુટુંબનું જે મેં ભરણપોષણ કર્યું હોય તે સર્વની હમણાં હું નિંદા કરૂં છું. ૫૦ - જિનભુવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુ.
For Private And Personal Use Only