Book Title: Buddhiprabha 1960 04 SrNo 06
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 13
________________ તા ૧-૪- – બુદ્ધિપ્રભા દૂર દૂર દૂરના દરવેશ: હો યોગીન્દ્ર ! મા નાગપાર ભગવાન મહાવીરે પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી સાડાબાર વર્ષ સુધી જે ઘોર તપસ્યા કરી તેનાં Dરણે આજે ૨૪૮૬ વર્ષ પછી પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. સાધનાકાળ દરમ્યાન તેમને જે ભયંકર ઉપસર્ગો નડયા તેની વિગતે સાંભળતાં જ આપણાં સેવા ખડાં થઈ જાય છે. એક કાળા માથાને માનવી આટઆટલું દુઃખ સહન કરી શકતું હશે ? છતાંયે ઉપસર્ગોની અગ્નિપરીક્ષામાંથી તેઓ ક્ષેમકુશળ પસાર થઈ જાય છે અને શુદ્ધ કાંચનની પેઠે ઝગમગી ઉઠે છે ત્યારે આપણને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની નીચેની પંક્તિઓ યાદ આવે છે, વાયરે કુળતાં મેટાં વહાણ કે જંગી ઝાડ પડે રે લોલ, સાગરે પાણી પાડા ખાશે કે લાખ લાખ લેટ ઉડે રે લોલ દુગર લે મિનારા તુર ગગનમાં આંધી ચડે રે લોલ વાર વાર માટે વીજ કડાકા કે વાર વાર મેધ તુટે રે લોલ તેય યારે આભને દીવલડે રે કે જરીન તું હી રે લોલ ઉપગની ભયંકર આંધીમાં આપણા આ દીર્ધ તપસ્વીના આત્માની જ્યોત જરા પણ ઝાંખી થતી નથી. આ અવધૂતને આત્મા ક્ષપકશ્રેણીએ ચટ અનંત જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રકટાવે છે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. સર્વ કેને બાળી ભસ્મ કરી જોગંદર જવા દુધારના પંથે પરવરે છે. આજે કલ્પના નથી આવતી પણ તે વખતને સમાજ ધર્મને નામે યજ્ઞ-યાગ દ્વારા ભયંકર હિંસા આવી ર હ. હિંસામાં જ મુકિત લોકો માનતા હતા. વર્ણાશ્રમ ધર્મનાં સુંડાં પરિણામ સમાજ મકાતી માગવી રહ્યો હતો. જન્મથી ઉચ્ચ ગણાતા કામાં જન્મેલા બીજાઓને નીચ ગણતા હતા, પછી ભલે તેમનામાં ઉચ્ચ ફળોમાં જોઈતાં કર્મ ક ગુણ હૈ કે ન હોય. ભગવાન મહાવીર વિપીની સતત સાધના ધ્યાન, ચિંતન પછી એક વસ્તુ નિશ્ચિત કરી શકયા કે જગતમાં હિસાથી કદિ શાનિ આવતી નથી. સાચી સાત અહિંસાના પાલનમાં છે. તેમણે અહિં. સાનો ખુબ જોરથી પ્રચાર કર્યો. અહિંસા એ ધર્મ છે એમ પ્રતિપાદન કર્યું. હિંસાથી હિંસા જ જન્મે છે. માટે અહિંસા એજ જગત શાંતિનો ઉપાય છે. તેમણે ઉગ્ર આંદોલન અને સતત ઉપદેશ દ્વારા હિંસક યજ્ઞ-યાગે બંધ કરાવ્યા. ગુણકર્મ વિનાના નામના વર્ણાશ્રમીઓને ઉદેશીને તેમણે કહ્યું કે વાસ્તવિક રીતે વર્ણ વ્યવસ્થા જમાન નથી, પણ કર્મગત છે. કર્મથી બ્રાહ્મણ ઘવાય છે કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શુદ્ધ થવાય છે.” ભગવાને સ્થાપેલા ચતુર્વિધ સંઘમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ખેત, વગેરે જુદી જુદી જાતના લે હતા તે સર્વને સમાન ગણું તેમણે એ સાબિત કરી બતાવ્યું કે ગુણથી જ માણસ ઉંચનીચ ગણાવો જોઇએ. જન્મ તે એક અકસ્માત છે. ભગવાન મહાવીરની આ ઉદાર છીના આપણે પેટભરી વખાણ કરીએ છીએ, તે માટે આપણે અભિમાન લઈએ છીએ. પરંતુ વ્યવહારમાં ભગવાન મહાવીરના ચુસ્ત અનુયાયીઓ આજે પણ જન્મગત ઉંચની ગણાતા લોકોને અનુસરતા હોય છે. ભગવાન મહા વીરના આદેશનું આપણે કેટલું પાલન કરીએ છીએ તે આ ઉપરથી જણાઈ આવે છે. ભગવાન મહાવીરની અહિંસા પણ વીરોને શરીરની અહિંસા છે. તે સાચા આધ્યાત્મિક બળની અપેક્ષા રાખે છે તેમણે અહિંસાનું જે તત્વ પિતાના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28