Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ચ તિ. મુનિ મહારાજ રવિસાગરજીની અમદાવાદમાં ઉજવાયેલી જ્યંતિ—તા. ૧૯ મીતે શુક્રવારે આમલી પાળના ઉપાશ્રયમાં વૃદ્ધ મુનિ મહારાજ રવિસાગરજીની જયંતિ ઉવવા માટે એક સભા મળી હતી. સભામાં આશરે ૨૦૦ માણસોએ હાજરી આપી હતી. સન્નાના વિદ્યાર્થીએ ગુગલાચરણ કરી રહ્યા બાદ ઝવેરી કરાવલાલ ઉમાભાઈની દરખાસ્તથી અને ઝવેરી લાલભાઈ ચુનીલાલના ટેકાથી ઝવેરી મોહનલાલ મગનલાલે પ્રમુખપદ ચીકાર્યું હતું. શમ્મતમાં માસ્તર હીંમતલાલે પુજ્ય મુનિ મહારાજ રવિસાગરનું જીવન ચરિત્ર વાંચી સ ંભળાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રવિસાગરજીનું સસારીપણામાં વદ નામ હતું, તેમના જન્મ ગામ પાલીમાં સંવત ૧૮ માં થયા હતા. તેઓએ ૩૨ વર્ષની ઉંમરે મુનિ મહારાજ તેમનાગરજીના ઉપદેશથી અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. તેમણે ઘણું ઉત્તમ ચરિત્ર પાળી ગામા ગામ વિહાર કરી અને ઉપદેા આપી જૈન ધર્મન ઉલ્હાર કરવા માટે સખત પ્રયત્નો કર્યા હતા. તેત્રાએ મેસણુા, પાટણ, પાલપુર, સાણંદ, સુરત, અમદાવાદ, લીંમડી, પેથાપુર, વિરનગામ વિગેરે સ્થળે, ચામાસું કર્યુ હતું. ત્યારે બાદ દાસી મણીલાલ નથુભાઈ બી. એ. એ. પુજ્ય મુનિસનું વન ચરિત્ર શું શીખવે છે તે વિષે ઘણું સારૂં અને અસરકારક ભાષણ આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે આ યંતિ ઉવવાનો પ્રસરાનીય રીવાજ જગનના ઘણા સુધરેલા ભાગોપર ષ્ટિગોચર થાય છે, અને આપણી જૈન કામમાં પણ થોડા સમયથી આ રીવાજ દાખલ થયા છે. જયંતિ ઉજવવાથી ઘણા ફાયદા થાય છે. માના પુરાના જીવન ધિા ભવિષ્યની પ્રશ્નને માટે ઘણા અનુકરણીય-દષ્ટાંતરૂપ થઇ પડે છે. પુજ્ય મુનિ મહારાજ વિસાગ∞ પાને વિનમા તથા રોત સ્વભાવના હતા. તેઓએ એક ઘણું ઉત્તમ ચારિત્ર પાળ્યું હતું. તેમનો પ્રભાવ ત્રણ હતા. પોતાના જ્ઞાનનો ઘણા જ સારા ઉપયાગ કર્યા હતા. આનું તેમણે જણાવ્યું હતું કે ગુરૂતુ એ એક ઉત્તમ ગુણ છે. તો આપણે મહાન પુત્રોના જીવન ચરિત્રમાંથી ગુણ ગ્રણ કરવા બેઠો ત્યાદિ મુળચંદ આશારામ વૈરાટીએ ગાયું કે આવા માત્માનાં જીવન ચરિત્રા ફક્ત સાંભળવાથી ફઈ જોઈએ તેટલા લાભ થતો નથી પરંતુ તે મહાભા જેવા આપણે કવી રીતે ની શણુ અને તેવા યુવાને સતત પ્રયત્નો કરવા જોઇએ. યાદ મહેતા મગનલાલ માધવલ્ડએ મહાત્મા પુષોનાં જીવન ચરિત્રાથી થતા કાયદા વિષે ચરમ તિર્થંકર મહાવીર સ્વામી, હેમચંદ્રાચાર્ય, તે સિવાય સૉક્રેટિસ, રામ, સીતા, દમયંતી વિગેરેના દાખલા આપી અસરકારક ભાષણ કર્યું હતું. સારાદ પ્રમુખ સાહેબે જણાવ્યું હતું. મારે મુનિરાજ વિસાગરથ સાથે ૩૧ વર્ષને લાંબે અનુભવ થયાં હતા. તે સ્વભાવે શાન્ત નથી ગુદ સંયમ વ્રતધારી હતા. અને જૈન ધર્મના ઉદ્દાર કરવાને ઘણું કાણે વિારા કરતા હતા. ત્યારબાદ સધી સાનદ પિતામ્બર તથા શાહ આશારામ છગનલાલે સભાની પૂર્ણાહુતિમાં રવિસાગરનું યશોગાન ગાયું હતું અને છેવટે એર્ડિંગના સુપ્રીન્ટન્ટન્ટ કરલાલ ડાહ્યાભાઈ એ પધારેલા મગૃહસ્થાનો આભાર માન્યા બાદ મેળાવડા અખાસ્ત કરવામાં આવ્યા હતા. જૈન. ૨૯

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32