Book Title: Buddhiprabha 1914 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ મામા વીસાગરજીના ચારિત્ર્ય ઉપથી ઉદ્ભવતા વિચાર. ૩૧ થતી. અન્ય મતવાળાઓમાં પણ તેઓશ્રીની છાપ પડતી હતી. બીજું શ્રીમદ્ રવિસાગરજીનું ચારિત્ર્ય નિરીક્ષણ કરતાં એમ માલમ પડે છે કે તેમની પાસે વિના પ્રયાસે અને અંતઃકરણના પ્રેમથી ઘણે દિક્ષા લેવા ઉત્સુક થતા. તેનું કારણ શું ? તેનું કારણ એટલું જ કે તેમના હૃદયની નિર્મળતા, સાસન ઉપર અથાગ પ્રીતિ, અને માન પાન પામવાની દુરે છ રહિત સરળ સ્વભાવની પરિણની તેજ છે. દિલા એ શાંતિને વિષય છે અને જે શિષ્યને ગુરુએ પાસેથી પુરતા પ્રમાણમાં શાંતિ ન મળે તો તેઓ કદી દિક્ષા લેવાને ઉસુક થાય નહિ. વળી બીજું તેઓશ્રીના ચારિત્ર્યમાંથી એ નિરીક્ષણ થાય છે કે, તેઓશ્રી કે. પણ સ્થળે લાંબે વખત નહિ રહેતાં ઘણું વિહાર કરતા. છેવટ સુધીની અવસ્થામાં પણ પોતે વિહાર કરવા મુકવા નથી, કારણ કે તેઓ તે એમ સમજતા હતા કે સાસનની ઉન્નતિ વિહાર કરી ઘણ અને પ્રતિબોધવાથીજ થવાની છે. અમુક દેશમાં કે અમુક પ્રદેશમાં રહી ઉપદેશ કરવાથી સાસનની ઉન્નતિ થવાની નથી. વળી વિકટ જેવા સ્થાએ તેમ જ્યાં ઘણા પ્રકારની અગવડ પડે તેવા પ્રદેશમાં પણ તેઓશ્રીએ સાસનની ઉન્નતિને માટે વિહારે કર્યો છે. તે પણ તેઓશ્રીના ચારિત્ર્ય ઉપરથી સહેજ સમજાય તેમ છે. આ શું બતાવી આપે છે? તેઓશ્રીની શાસનની વૃદ્ધિ કરવાની તીવ્ર અભિલાષા અને વિજય વિમુકાતા. કારણ કે જ્યાં સુધી ડાયાદિ વિયયની પ્રબળતા હૈય, માનની એડીમાં જકડાયા હેય, અભિમાનના શિખરે વિરાજતા હય, શિથિલાચાર બન્યા હોય ત્યાં સુધી આવી રીતના ઉગ્ર વિહાર થઈ શકે નહિ તે પછી પરની ઉન્નતિની તે વાત જ શી ? જ્યાં સુધી વિજય કપાયાદિની વિમુક્તતા થઈ નથી ત્યાં સુધી પરના કલ્યાણની તે વાત દુર રહી પણ પિતાના આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જે પુરુષો પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે તેજ પુરૂ પરની ઉન્નતિ કરી શકે છે. છતાં પણ કહેવત છે કે, “Charity begins at home. “પહેલું ઘર ને પછી બહાર” આ પ્રસંગે જે આપણે એક નાનકડું દર્શન લેશે તો તે પ્રસ્તુત વિષયને લેને અગ્ય નહિ , શકાય. એક શેઠને બે મુનિમ હતા. એક દિવસ પછી તે કે બે મુનિનની પરીક્ષા લેવા બન્નેને પૂછ્યું કે હે મુનિ ! કદાચ એમ ધારો કે તમારાં ને અમારાં ઘર જોડે હોય અને તમારું ને મારું ઘર બને સળગતાં હોય તો તમે પ્રથમ કેરું ઘર હેલો. તે બે પૈકી એકે કહ્યું કે એક ભાડું ને મારું ઘર સાથે બળાતાં હોય તે પહેલું તમારું હસવું કે પછી મારું હેલિવું. ત્યારે બીજોએ કહ્યું કે શેઠ, હું તે પહેલાં મારૂં હાલવું ને પછી તમારું ઠેલવું. આથી શેડ બીજો મુનિને ગુમાસ્તી રાખ્યો ને પ્રથમનાને રજા આપી. કારણ કે શેઠ વિચાર્યું કે જે માણસે પોતાનું સુધારી શકતા નથી તે કંઇ પારકાનું શ્રેય કરી શકતા નથી. તેવી જ રીતે જે પુરૂષો પોતાના આત્માનું જ ભલું નથી કરી શકતા તેઓ પારકાનું શું ભલું કરી શકવાના છે. શુદ્ધ ચારિત્ર અને હૃદય નિર્મળ ધોયા વિના બાહ્યાડંબર અને વાક્યાતુર્યથી કંઈ વળતું નથી તેથી તેની છાપ જોઈએ તેવા પ્રમાણમાં પડતી નથી. પછી તે ફાવે તેટલી મેરી પદવી ધરાવો. ફાવે તેટલું જ્ઞાન ધરાવે પણ જ્યાં સુધી હૃદયની નિર્મળતા નથી, માનને મનમાંથી વંસ થયો નથી, ધ ઈષ્ય આદિનું સામ્રાજ્ય ટક્યું નથી ત્યાં સુધી કંઇ સ્વપરની શુદ્ધિ થાય નહિ. આત્માની વિરુદ્ધતા–પવિત્રતા થયા સિવાય પરની ઉન્નતિ કરવાની આશા રાખવી એ વામાં કિલા બાંધવા સમાન છે. મનની પવિત્રતા હોય તે તે ટાંકી રહેતી નથી કારણું છે તેનાં કિરણો સંબંધમાં આવનારાઓના અંત:કરણમાં ઓતપ્રેત રૂપે કુદરતી રીતે જ છવાઈ રહે છે. આને પ્રત્યક્ષ દાખલો આપણું મહાત્મા રવિસાગરજીને છે કે જેઓની પાસે ઘણું દિક્ષીત

Loading...

Page Navigation
1 ... 29 30 31 32