________________
૩૧૬
બુદ્ધિપ્રભા.
સર્વ પ્રકારની પોતાની તથા પારકી સ્ત્રી સાથે સર્વથા સંભોગ કરવાનો ત્યાગ કરો તે સર્વ થી. બ્રહ્મચર્ય પાળવાને અશક્ત હોય તેને પિતાની સ્ત્રીવિના બીજી કોઈ પ્રકારની પર સ્ત્રી સાથે સંભોગ કરવાનો ત્યાગ એ દેશથી. એમાં પ્રથમ પ્રકારતે સર્વે વિરતી ચારીત્ર અંગીકાર કરનાર અને મોક્ષ માર્ગનુજ સાધન કરનારા સાધુ યતી નિર્મથ અણગારોનેજ સર્વદા સર્વથા આદરણીય છે. તેમને તે પ્રાણ પ્રણ બ્રહ્મચર્યથી ચલાયમાન થવું ઘટે નહી કારણ કે સ્ત્રી કેવળ કામવિકારનું ઘર છે. ભલભલા સાધુ સ્ત્રી સંગતથી નિશાન ચુકી ગયા છે. દુનીપામ ગહનમાં ગહન સ્ત્રી ચરિત્રજ છે. સ્ત્રીના ચીર પરિચયથી, તેને મેહ મય વચન વિલાસ પા હાવ ભાવથી ભાઈ પ્રબળ કામથી પીડીત થઈ અંતે આપખુદચાલનાર સાધુ ફુલબાલકની પેરે મામ ભ્રષ્ટ થઈને મહા વિડંબના પાત્ર થાય છે અને ક્ષણીક સુખને માટે અક્ષય સુખથી ચુકી જાય છે કારણ કે ચિત્રાદિમાં નિર્માણ કરેલી નારી પણ મનને #ભ પમાડે છે તે પછી સાક્ષાત જીવતી ત ( મહામાયા) નારી સાથે સંસી વાર્તાદિક કરતાં કેમ રહી શકાય એ વિચારવા જેવું છે માટે આત્માથ સાધુજનોએ સીએના પરિચયથી દુર રહેવુંજ હિતકારી છે અને એમ વર્તવાથીજ નવકેટી શુદ્ધ બ્રહ્મચર્યની રક્ષા થઈ શકે છે. જે મુષકને માર્જીરી તરફથી ભય રાખવાની જરૂર છે તેમ બ્રહ્મચારી સાધુને પણ સ્ત્રી સમુદાય તરફથી ભય રાખવાની જરૂર છે. હવે બીજો પ્રકાર પ્રહસ્થ વર્ગ માટે છે કારણ શીળ એજ પ્રાણી એને સાચે શણગાર છે. મોક્ષની સીધી સડક છે, શીળ સુગંધથી વાસીત ભવ્ય કમળે પ્રતિ સુગંધ લેવા વિવેકી ભમરી જાય છે. શાળા સુગંધી રહીત કુટડાં પ્રાણીઓ આવલના પુલ જેવા નકામા છે. ફાંકડ થઈ ફરતાં તેઓ અપમાન પામે છે અને સુશળ સજજને રાજસભામાં પણ સન્માન પામે છે. દેવો પણ તેમને સાનિધ્ય કરે છે અને તેમને જંગલ માં પણ મંગળ થાય છે. વળી પ્રાણીને શીળ કુળનો ઉદય કરનાર, શરીરને ભુષણ રૂપ પવિત્રતા કરનારૂ વિપત્તિ અને ભયને હરનાર, દુર્ગતિ અને દુઃખને નાશ કરનારે દુર્ભાગ્યાદિ કંદને દહન કરનારું, પ્રાર્થના કરેલ ચીંતામણી સખુ, વ્યાધ્ર સર્પ જળ અને અનળના ઉપસર્ગને શમન કરનારું અને સ્વર્ગ મોક્ષ આપનારૂં છે. વળી,
હરતિ કુલકલંક લુપતે પાપ પક, સુકૃત મુપચિતિ ગ્લાધ્યતા માતનોતિ; નમતિ સુરવર્ગ ફંતિ દુર્ગોપસર્ગ,
રચયતિ શુચિશીલ સ્વર્ગ મેક્ષે સલીલ. નિર્મળ શીળ કુલની મલીનતાને નાશ કરે છે. પાપ રૂપી કાદવને લોપ કરે છે, પુણ્યની વૃદ્ધિ કરે છે, શ્વાધ્યતાને વિસ્તાર કરે છે, દેવ સમુહને નમાવે છે. ભયંકર ઉપદ્રવને નાથ કરે છે અને સહજ માત્રમાં સ્વર્ગને મોક્ષ આપે છે.
તેય ત્ય િરપ સૂદ્ધજયહિ રપિ વવાપિસા રંગતિ, વાલો પશ્ચતિ પર્વત પુપલતિ કડપિ પીયુ પતિ; વિને યુત્સવતિ પ્રિય રિરપિ કીડા તડામયમાં,
નાથપિ સ્વમહત્ય, વ્યપિ નુણ શીલ પ્રભાવ દધુવં. શીળના પ્રભાવથી મનુષ્યને અગ્ની જળરૂપ થાય છે, સર્પ માળા રૂપ થાય છે, વાદ્ય હરણ રૂપ થાય છે, દુષ્ટગજ અધરૂપ થાય છે, પર્વત પાષાણ સદશ થાય છે, વિષ અમૃત સમાન થાય છે, વિM ઉંસવરૂ થાય છે, સમુદ્ર ક્રિડા કરવાના સરોવર રૂપ થાય છે, અને અટવિ પિતાના ગૃહરૂપ થાય છે.