Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ વાળી શકાતા નથી. પણ જે માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તેજ માબાપને બદલે વાળે કહી શકાય. કઈ ધનાઢ્ય પુરૂષ કઈ દરિ ( ગરીબ ) ને ટકે આપી ઉચે. ચઢાવે. ધનવાન બુદ્ધિવાન કરે એવામાં તે ધનવાન કોઈ કર્મના ઉદયથી નિધન થઈ જાય અને તે પિલ દરિક કે જે તેના આશરાથી ધનપનિ થયો છે તેની પાસે આવે ત્યારે તે પૂર્વના દરેક પણ પાત ધનાઢય બને પિતાના ઉપકારી શેઠને પોતાનું સર્વરવ આપી દે તો પણ તેને બદલા વાળી શકાતો નથી પણ જે તે દરિદી, તે સ્વામીને કેવલીભાષિત ધર્મને ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે, કાઈ પુરી, શ્રમણ ( સાધુ ) પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચન સાંભળી કાલ યોગે મરણ પામી કાઈપણ દેવલોકમાં દેવતાપણે ઉપજે ત્યાર તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાવવાળા દેશમાં મુકે અગર અટવીમાંથી ખેંચીને વરતવા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રોગથી મુક્ત કરે તો પણ તે ધર્માચાર્યને બદલે વાળી શકતો નથી. પણ જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વીતરાગ ધમમાં રથાપન કરે તે જ તેને બદલા વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિ છે પણ તેજ પ્રમાણે કહે છે, | ઋોર | કુતિઝાર નાતાત્તિ, સ્વાર્ષી ગુ જs. તક સુદ્દિામુત્રા, સુજાતર તા: || 3 || આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુધપ્રતિકાર છે તેમાં પણ ગુરૂ તો અહી અને પરભવમાં અનશય દુ:પ્રતીકારજ છે. સંખ્યકતદાતા સદગુરૂનો તે કરોડા ભાવમાં પણ કરડા ઉપાય કરતાં પણું પ્રત્યુપકાર થઈ શકતો નથી, કૃતજ્ઞ પુરૂધાનું એજ લાણ છે કે તેઓ નિત્ય ગુરુના પૂજનાર હાય છે કારણકે તેજ મહાત્મા છે, તેજ ધન્ય છે. તેજ કાર છે. તેજ કુલીન અને ધીર છે. તેજ જગતમાં વંદનીય છે. તેજ તપસ્વી છે અને તેજ પ ડિત છે કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પણું, સેવકપણું તથા કિંકરપણું કરતો થકે પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીઓની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પોતાના ઉપકારીઓને નમે છે અને તેથી તે પાપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી. કૃતજ્ઞ પુરુષ,

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36