________________
૧૮ અથશ્રી સોમ સેભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર,
(લેખક છે. ૨. શાહ ગીરધરલાલ હીરાભાઈ)
(અંક પાંચમાના પાને ૧૬૦ થી અનુસંધાન ). (સુચના:-પાંચમા અંકના પાને ૧૫ મે “વીરભૂતશેખર એને બદલે વીર ભત શેખર” વાંચવું. પાને ૧૬૦ મે “સાતમા માર્ગમાં” છે તેને બદલે “સાતમા ચર્ચમાં” વાંચવું.)
કાવ્ય અંદર કરી, રણમલ અને તેમના પુત્ર પુંજાને “રાજની” પદવીથી ઓળખાવે છે ત્યારે અંગ્રેજી ઈતિહાસમાં તેઓ “રાવની પદવીથી ઓળખાયા છે. પંજા રાજાને આપણે કેવી “વિધિ વીરના” બિરૂદથી ઓળખાવે છે તે યથાર્થ છે. એદલજી ડોસાભાઈ પિતાને અંગ્રેજીમાં લખેલા ગુજરાતના ઈતિહાસમાં પાને માં કહે છે, તેની મતબલ એ છે કે, ગુજરાતના રાજા (બાદશાહ ) ના પચવાડામાં રાવ ! એક કાંટા હતે. એ ઈતિહાસમાં તથા રાસમાળામાં એ રાવ પુજા વિષે જે લખેલું છે તે વાંચવાથી આપણુ કવીના લખાણુની સત્યતા વિષે વધારે ખાત્રી થાય છે.
સેમ સુંદર સૂરિ ઇડર કંઈ સાલમાં ગયા તે તથા તારંગાજીના ડુંગર ઉપરના દેહરામાં ગેરવીંદ શેઠની ભરાવેલી (બનાવેલી)અજીતનાથ પ્રભુની પ્રતિ માની પ્રતિષ્ટા તેમણે કઈ સાલમાં કરી તે કાવ્યમાં બતાવ્યું નથી. તેથી તે વિષે અનુમાન કરી નક્કી સાલ નહિ, તે આશરાનો સમય પણ આપણે ઠરાવ ઈએ. કુમારપાળ રાજાને સમય એદલજી ડોસાભાઈએ ગુજરાતના અંગ્રેજી ઈતિહાસમાં ઈ. સ. ૧૧૪૩ થી ઈ. સ. ૧૧૭૪ (સંવત ૧૧૯૮ થી સંવત ૧૨૩૦) ધી બતાવ્યો છે. એટલે ઈડર ગઢ અને તારંગા ગઢ ઉપરના તે રાજાનાં દેહરાં સંવત ૧૧૯૮ અને સંવત ૧૨૩૦ ના વચ્ચે ૩૧ વરસના અરસામાં બંધાયેલ હોવાં જોઈએ. હવે આ કાવ્યથી એમ જણાય છે કે સેમ સુંદર સૂરિના વખતમાં ઈડરને ગોવિંદ શેઠે એ બંને દેહરાને ઉદ્ધાર કરાવ્યો હતો. સંવત ૧૪૭૦ (ઈ. સ. ૧૪૨૨ ) માં સેમ સુંદર સૂરિ વડનગરમાં હતા એમ મેં પાછળ બતાવ્યું છે. તે પછી તેઓ ઈડર ગયા હતા. અને છેવટે તારંગાજીના દેહરામાં શ્રી અજીતનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તેઓ ગોવીંદ શેઠ જોડે ઈડર પાછા ગયા ત્યારે મુંબન