Book Title: Bramhan Shraman Dhruvji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ બ્રાહ્મણશ્રમણ ધ્રુવજી [૯] ગુજરાતમાં ધ્રુવ ધણા છે અને હતા, પણ વજી તે એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ધણા પણ માલવિયજી એક મનમોહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈ ના ખાધ સૌને થઈ જાય. આ છે ” પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાને ઉદ્દેશ છે. ધ્રુવજી જન્મે બ્રાહ્મણ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌવ પરંપરાગત હોય એ તા સામાન્ય તત્ત્વ થયું, પણ એમણે એ તત્ત્વના બીજાએએ નહિ સાધેલ એવા અસાધારણ વિકાસ સાધ્યા હતા. શ્રમદીક્ષા લે તેનામાં કમકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મ છે અને પર‘પરાગત તપાત્રતા પણ સહેજે હેાય છે. પણ ધ્રુવજીની અહિંસાવૃત્તિ અને તપાવૃત્તિ જુદા પ્રકારની હતી તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણુદર્શનથી પરિમાર્જિત થયેલી હતી, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ઘડાયું. f 2 * લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલા હું કાશીથી ગુજરાતમાં ગયા ત્યારે · વસત ’માંનાં થોડાંક ધ્રુવજીનાં લખાણો જોયાં અને એમના તરફ ખેંચાયા. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ ', હિન્દુ ધર્મની ખળાથી, ' ધ વર્ણન, ' આપણા ધમ, ' ‘ હિન્દુ વેધ'' આદિ પુસ્તકા જોયાં, અને તેમની મારા ઉપર એવી ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તે મને કાઈ પણ ધાર્મિક પાઠ્યક્રમ ખખત પૂછે ત્યારે હું ધ્રુવચ્છનાં એ પુસ્તકા સર્વપ્રથમ સૂચવું છું, તે કે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકાની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારી તેા જાણે એ વ્યવસાય જ થઈ પડેલે. તે એટલે લગી કે ગુજરાત અહારના પ્રાંતામાં પણ હું ધ્રુજીનાં પુસ્તકાની સૂચના કરવાનું ચૂકતા નહિ. બીજી બાજુ તે વખતે કાઈ છાપામાં ધ્રુવજી વિશે એમ લખાયેલું વાંચ્યાનુ યાદ છે કે ધ્રુજી ખેશક અહઁગ અભ્યાસી અને ઢગલા"ધ વિવિધ વિષયેનાં પુસ્તકાનું સતત અવલોકન કરનાર છે તેમ જ સુયોગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું, અને ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7