Book Title: Bramha ane Sam Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 3
________________ બ્રહ્મ અને સમ ૨૩૧ હોઈ તેનું સંસ્કૃતમાં તમને એવું રૂપ બને છે. કાનના ઉપાસકે અને ચિંતકો બ્રાહ્મણ કહેવાયા. પહેલે વર્ગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો; બી વગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણ પામેલ અને તેનાં જ પ્રતીક દ્વારા સૂક્ષ્મતમ તત્વ સુધી પહોંચેલે, તેથી મુખ્યપણે પ્રકૃતિલક્ષી રહ્યો. આ રીતે બન્ને વર્ગની બુદ્ધિનું આદ્ય પ્રેરક સ્થાન જુદુ જુદું હતું, પણ બને વર્ગની બુદ્ધિનાં વહેણે તે કઈ અંતિમ સત્ય ભણું જ વધે જતાં હતાં. વચલા અનેક ગાળાઓમાં આ બન્ને વહેણની દિશા ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. કયારેક એમાં સંઘર્ષ પણ જન્મતો. પણ સરને આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્વ છે, અને એવું તત્ત્વ બધા દેહધારીઓમાં સ્વભાવે સમાન જ છે એ સ્થાપનામાં વિરો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધ્ધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિલક્ષી બીજે વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતે સ્પર્શત અંતર તરફ વળે અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક વાત કે ત્રણ તત્વ છે, તે જ દેહધારી છવ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિંતન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનને આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું પરમ તત્વ તે જ વ્યકિતગત જીવ છે, જીવ વ્યક્તિ એ પરમ તત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદૈત પણ સ્થપાયું. અને એ અદ્વૈતને આધારે જ અનેક આચારાની જના પણ થઈ ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં જુદાં, પણ છેવટે તે બન્ને પ્રવાહો એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે આત્મલક્ષી અને પ્રકૃતિલક્ષી બને વિચારની ધારાઓ અંતે એક જ ભૂમિકા ઉપર આવી મળી. ભેદ દેખાતો હોય તે તે માત્ર શાબ્દિક, અને બહુ બહુ તો વચલા ગાળામાં સંઘર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6