Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ તેઓ હારી રહ્યા છે. અર૭-૨૯ પૂર્વે જણાવેલી વ્યુત્પત્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् । द्रव्यभिक्षणशीलत्वाद्, ब्राह्मणादिश्च विश्रुतः ॥२७-३०॥ કાષ્ઠ ભેદવાના કારણે સુથારને, દ્રવ્યને આશ્રયીને ભિક્ષુ કહેવાય છે. તેમ જ દ્રવ્યની અપેક્ષાએ ભિક્ષા માંગવાના સ્વભાવવાળા બ્રાહ્મણ વગેરે દ્રવ્યભિક્ષુ તરીકે પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ વર્ણવવાનું શરૂ કર્યું છે. દ્રવ્યભિક્ષુના અપ્રધાન અને પ્રધાન એમ બે પ્રકાર છે. અપ્રધાન દ્રવ્યભિક્ષુના પણ લૌકિક અને લોકોત્તર-એમ બે પ્રકાર છે. લૌકિક અપ્રધાન દ્રવ્યભિક્ષુનું જ અહીં નિરૂપણ છે. પૂર્વે “મિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ વર્ણવતાં જણાવ્યું હતું કે જે ભેદન કરે તેને ભિક્ષુ કહેવાય છે. એ વ્યુત્પત્તિને આશ્રયીને લાકડાને ભેદનાર સુથારને અહીં દ્રવ્યભિક્ષુ તરીકે વર્ણવ્યો છે. કર્મનું ભેદન કરનારા સાધુભગવંતો તો 666666666666666666 00000000ooooooooo bodo popododopodojo

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50