Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo
Author(s): Bechardas Doshi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત-પાલિભાષાનો ફાળો ૨૫ આર્યપ્રવાહમાં એવાં કેટલાં ય આર્યંતર કર્મકાંડો, પ્રણાલિકાઓ અને પરંપરાઓ આર્યરૂપ પામી આજલગી ચાલતાં આવેલાં છે, એની પણ કોઈ વિચારક સંશોધક ના નહીં પાડી શકે. આપણામાં આર્યંતર લોહી આર્યરૂપ પામી ભળેલું છે એ હકીકત કાંઈ આજના શોધકોએ જ શોધી કાઢેલ છે એમ નથી, પરંતુ આપણા મહર્ષિ મીમાંસાશાસ્ત્રકાર શખર અને મહાપંડિત કુમારિલભટ્ટ પણ એ હકીકતને સ્પષ્ટપણે જાણતા હતા, તેથી એ બાબત તેમણે પોતાના શાબર ભાષ્યમાં તથા તન્ત્રવાહિકમાં નોંધ આપેલી છે. અને ત્યાં ખાસ ભલામણ પણ કરેલી છે કે જે આયોં એ ભાષાના એટલે આર્ય ભાષા અને આર્યંતર ભાષાના જાણકાર હશે તેઓ વેદોની પરંપરાને અને વેદોના ભાવને ઠીક ઠીક સમજી શકશે. આ રીતે સમગ્ર માનવમૈત્રીના ધ્યેયને વરેલી આર્ય પ્રજા અને તેની આર્ય ભાષા પોતાના વિકાસમાં આગેકૂચ કરી રહી હતી. ભ્રમણમાં આગળ તે આગળ વધતી આયોંની ટોળીઓ જ્યારે ભારત-ઈરાની આર્ય ભાષાના સહવાસમાં આવી ત્યારે એ બન્ને ભાષાઓએ વળી એકબીજાની છાપ પરસ્પર બરાબર લગાડી દીધી, તે હકીકત પણ આજે વર્તમાન જે અવેસ્તા સાહિત્ય છે તે દ્વારા સ્પષ્ટ જણાઈ આવે છે. આ નીચે એવાં કેટલાંક નામો, વિભક્તિવાળાં નામો અને ક્રિયાપદો એ બન્ને ભાષાનાં આપ્યાં છે જેથી એ બન્ને ભાષાઓનો અત્યંત નિકટનો સંબંધ સહજ રીતે ખ્યાલમાં આવી જશે. ભારત-ઈરાની આર્ય ભાષા ભારતીય આર્ય ભાષા એસ્ત શ્રેષ વસુ-પવિત્ર Jain Education International વોહુ ક્રૂત ભૂમી હમા અહુર સ્વા અહ્વા વચ્ચેખીચા ઉોઈખ્યા અઝેમ વર્ અમા મત્ એટલે "" 22 3 33 33 વિભક્તિવાળાં નામો એટલે 3 "" "" 23 39 "" "" "" "" તેમખ્યામહી એટલે અરતી "" અહી વએદા સક્ત ભૂમિ સત્રા એટલે સાથે અસુર વાસ્તને અસ્ય–એનું વિભક્તિવાળાં ક્રિયાપદો વચોભિચ–વચનો વડે ઉભયેભ્યઃ—યુગલ માટે સ્વઃ-પોતે અહમ હું વયસ્–અમે અસ્માન–અમોને મત્—મારાથી નમિષ્યામહે–નમીએ છીએ ભરતિ–ભરે છે—પોષણ કરે છે અસિ–તું છે વેદ જાણ્યું For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11