Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo
Author(s): Bechardas Doshi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત–પાલિભાષાનો ફાળો પંડિત બેચરદાસ માનવકુલમાં પરસ્પર કૌટુંબિક સંબંધ જે રીતે તુલનાત્મક પરીક્ષણ દ્વારા અનુભવાય છે તે જ રીતે ભાષાકુલમાં પણ એવો જ સબંધ સ્પષ્ટપણે છે એમ હવે સિદ્ધ થઈ ગયું છે. ધારો કે આપણી સામે જુદાં જુદાં દેખાતાં પાંચસાત કુટુંબનાં ભાઈબહેનો બેઠેલાં છે, તેમની એકબીજાની વપરાશની ભાષા જુદી જુદી છે, તેમનો પોશાક, ખાનપાન અને બીજી પણ રહેણીકરણી નોખી નોખી છે. આ ઉપલક દેખાતા ભેદભાવ દ્વારા આપણે એમ સમજી લઈએ કે એ કુટુંબો વચ્ચે પરસ્પર કોઈ પ્રકારનો સંબંધ નથી જ તો એ ખરેખર ભૂલભરેલું ગણાય. કોઈ તુલનાત્મક દૃષ્ટિ ધરાવનારો ખંતીલો અભ્યાસી એ તદન જુદાં જુદાં જ દેખાતાં કુટુંબોમાં ય તેમનામાં રહેલી એક મૌલિક સમાનતા શોધી બતાવે અને તે મૌલિક સમાનતાના પુરાવા તરીકે આપણી સામે તે કુટુંબોમાં વર્તતી કેટલીક તેમની એકસરખી મૂલ ખાસિયતો એક પછી એક વીણીવીણીને તારવી બતાવે ત્યારે માત્ર ઉપલક ભેદને લીધે અત્યાર સુધી એ કુટુંબોને જુદાં જુદાં માનનારા આપણે પણ તેમને એક માનવા લાગીશું. - આવો જ ન્યાય ભાષાકુળને પણ બરાબર લાગુ પડે છે. જે ભાષાઓનો મૂળ પ્રવાહ જ તદ્દન જો છે તેમના સંબંધમાં ભલે આ ન્યાય ન લાગુ થાય; પરંતુ જેમનો પ્રવાહ મૂળમાં એકસરખો છે તેમને વિશે તો જરૂર ઉપરનું ધોરણ બંધ બેસે એવું છે. ઉપરઉપરથી જોતાં ભલે તે ભાષાકુટુંબો તદન જુદાં જુદાં પરસ્પર એકબીજા વચ્ચે સંબંધ વિનાનાં માલુમ પડતાં હોય તેમ છતાં ય જ્યારે તે ભાષાકુટુંબોની અંદર રહેલી એક મૌલિક સમાનતાને આપણે જાણી શકીએ અને તેના પુરાવા તરીકે આપણી સામે તે નોખા નોખા દેખાતા ભાષાકુલોમાં વર્તતી કેટલીક તેમની એકસરખી મૂલભૂત અનેકાનેક ખાસિયતોને આપણે સ્પષ્ટપણે તેમના તુલનાત્મક પરીક્ષણ દ્વારા પૂરેપૂરી ખાતરીથી અનુભવી શકીએ ત્યારે એ ભાષાકુલો વિશેનો આપણે કલ્પેલો ઉપલકિયા ભેદનો ભ્રમ ભાંગે જ ભાંગે. પ્રસ્તુતમાં પ્રાકૃતિપાલિ ભાષા વિશે કહેતી વખતે આપણે તેમના મૂળ સુધી પહોંચી જઈએ તો જ એ હકીકત સ્પષ્ટપણે આપણા ધ્યાનમાં તત્કાળ ઊતરી જશે કે એ ભાષાએ ચાલું લોકભાષાઓના વિકાસમાં કેવો અને કેટલો ભારે ફાળો આપેલો છે. આજથી હજારો વરસ પહેલાં મૂળ એક આર્યભાષા હતી. પરિસ્થિતિનાં જુદાં જુદાં બળોને લીધે તેની બીજી અનેક પેટાભાષાઓ બની ગઈ. જેમકે; હીટાઈટ ભાષા, ટોખારિયન ભાષા, સંસ્કૃત ભાષા, પુરાણી ફારસી ભાષા, ગ્રીક ભાષા, લેટિન ભાષા, આઇરિશ ભાષા, ગોથિક ભાષા, લિથુઆનિઅન ભાષા, પુરાણી સ્લાવ ભાષા અને આર્મેનિઅન ભાષા. ભાષાનાં આ નામો સાંભળતાં કોઈને પણ એમ લાગવાનો સંભવ નથી કે આ બધી ભાષાઓ એકમૂલક વા અભિન્નપ્રવાહવાળી છે; તેમ છતાં ય તેમના તુલનાત્મક પરીક્ષણ દ્વારા એમ ચોકકસ માલૂમ પડેલ છે કે ભલે તે ભાષાઓના નામો જુદાં જુદાં હોય અને બીજી પણ તેમાં ઉપલક જુદાઈભલે દેખાતી હોય; પરંતુ તેમનામાં એટલે તે બધી ભાષાઓમાં મૂળભૂત એવી એકસરખી અનેક ખાસિયતો હોવાનાં ઘણાં ઘણાં અંધાણો મળી આવેલાં છે એટલે તેમને એમૂલક માન્યા વિના કોઈનો પણ ટકો નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત–પાલિભાષાને ફાળો એમનામાં જે એકસરખી અનેક ખાસિયતો છે તે બધી વિશે તો કહેવાનું આ સ્થાન નથી; છતાં તેમની પારસ્પરિક એકમૂલકતાનો સ્પષ્ટ ખ્યાલ આવે તે સારુ તેમના કેટલાક શબ્દો આ નીચે નોંધી બતાવું છું: સંસ્કૃત પતિઃ ગ્રીક પોતિર્ લેટિન પોતિસ લિથુઆનીઅન પતઈસ અપિ એપિ ” પિનામિ » બિબો ભરામિ ” ફેરો આર્મેનિયન બેરેમ ત્રય: » , ગેસ મઃ દોમોલ્સ લાવ દોમુ પામ પોદ - થમોલ્સ સુમુલ્સ રિલાવ ઘણું on રધિર ) એ-શ્રોસ » એર સ દોમુસ્ ધમઃ (સંસ્કૃત સિવાયની બીજી બીજી ભાષાઓના જે એકસરખા શબ્દો ઉપર દર્શાવ્યા છે તેમને હું શુદ્ધ રીતે અહીં આપણી ગુજરાતી લિપિમાં ઉતારી શક્યો નથી એથી અહીં બતાવેલા શબ્દો દ્વારા તેમનાં શુદ્ધ ઉચ્ચારણ કરી શકાય એમ નથી.) તે તે ભાષાનાં નામો પ્રજા ઉપરથી કે દેશ ઉપરથી પ્રચલિત થયેલાં છે. ઉત્તરમાં વસનારાઓની ભાષાનું નામ ઉદીચ્ય ભાષા, પૂર્વમાં વસનારાઓની ભાષાનું નામ પ્રાચ્ય ભાષા, મધ્યપ્રદેશમાં વસનારાઓની ભાષાનું નામ દેશીય ભાષા. એ જ રીતે મગધ દેશની માગધી ભાષા, શરસેન દેશની શૌરસેની ભાષા, પિશાચ દેશની પિશાચી ભાષા, અવંતી દેશની ભાષા અવંતિજા, સુરાષ્ટ્રની સૌરાષ્ટ્રી, મહારાષ્ટ્રની મહારાષ્ટ્રી, વિદર્ભની વૈદર્ભ, ગ્રેઈક નામની પ્રજાની ટોળીની ગ્રીક ભાષા, લેટિનમ નામના કરબાની લેટિન ભાષા, આર્યોની ઈરાની ભાષા, લોકોમાં પ્રચલિત ભાષાનું નામ લૌકિક ભાષા. આ રીતે ભાષાના નામકરણની ઘણી પ્રાચીન પ્રથા છે, આમાં ક્યાંય સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા કે અપભ્રંશ વા અપભ્રષ્ટ ભાષા આવાં નામ મળતાં નથી. મહાભાષ્યકાર જેવા કટ્ટર સનાતની પુરોહિતે પણ સંસ્કૃત નામે ભાષાનો ઉલ્લેખ કરેલો નથી. ત્યારે અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે એ નામો આવ્યાં શી રીતે ? એ નામોનો ઉદ્દભાવક કોણ? આનો ઉત્તર અતિસંક્ષેપમાં આમ આપી શકાય? થોડા સમય પહેલાં આપણા દેશમાં રાજશાહી હતી, તેનો અને તેની અતિસંકુચિત પ્રકૃતિનો આપણને અનુભવ છે. જે લોકો માત્ર પોતાની જ જાતને નરી સુખી સુખી જેવા વા કરવા ચાહે છે તેમને પોતાના ભાઈઓ તરફ પણ જુલમગારની પેઠે વર્તવું પડે છે, માટે જ તે સુખાર્થીઓની પ્રકૃતિ અતિ સંકુચિત બની જાય છે. એવી રાજશાહી જેવી જ આશરે બેત્રણ હજાર વરસ પહેલાં આપણા દેશમાં પુરોહિતશાહી ચાલતી હતી. માણસ માત્ર સમાન હક્કના અધિકારી છે એ નિયમને નહીં સ્વીકારી તેણે પોતાની જાતને સૌથી ઉત્તમ કલ્પી અને બીજી તમામ જનતાને પુરોહિતો માત્રથી ઊતરતી ગણી, આ સાથે તે પુરોહિતશાહીએ જ પોતાની ભાષાને પણ ઉત્તમ કોટિની માની અને બીજી આમજનતાની ભાષાને અનુત્તમ કોટિની કહી અર્થાત તે પ્રાચીન પુરોહિતવિકોએ પોતાની ભાષાને સંસ્કૃત એવું નામ આપ્યું અને જનતાની ભાષાને પ્રાકૃત અથવા અપભ્રષ્ટ કે અપભ્રંશ નામ આપ્યું. એવો આ સંસ્કૃત પ્રાકૃત વા અપભ્રંશ નામોની પાછળ વર્તમાનમાં તો ઘણા આવે એવો ઇતિહાસ છુપાએલ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વસ્તુસ્થિતિએ વિચારવામાં આવે તે સૌ કોઈ તટસ્થને એમ ચોકખું જ જણાશે કે અમુક ભાષા ઉત્તમ છે અને અમુક ભાષા અનુત્તમ છે એવી કલ્પના જ વાહિયાત છે વા અમુક ભાષાને બોલનારો વર્ગ શિષ્ટ છે અને અમુક ભાષાને બોલનારો વર્ગ અશિષ્ટ છે એવી કલ્પના પણ વળી વધારે વાહિયાત છે અને માનવતાનું દેવાળું કઢાવનારી છે. કોઈપણ ભાષાનું મૂલ્ય તેના ખરા અર્થવહનમાં છે. જે ભાષા જે લોકોને માટે બરાબર અર્થવહન કરનારી હોય તે ભાષા તેમની દષ્ટિએ બરાબર છે એટલે “કયાં જાય છે” એ વાક્ય જેટલું અર્થવાહક છે તેટલું જ બરાબર અર્થવાહક “ જાય છે” એ વાક્ય પણ છે; માટે એ બેમાંથી એકે વાકયને અશિષ્ટ કેમ કહેવાય ? ભાષાશાસ્ત્રની દષ્ટિએ તો અમુક એક ભાષા શિષ્ટ છે અને અમુક એક ભાષા અશિષ્ટ છે એવી કપના તદ્દન અસંગત છે. એ શાસ્ત્ર તો દરેક ભાષાનાં ઉચ્ચારણ અને તેનાં પરિવર્તનોનાં બળોને શોધી કાઢી તેમની વચ્ચેની સાંકળ બતાવી ભાષાના ક્રમિક ઇતિહાસની કેડી તરફ આપણને લઈ જાય છે. એ શાસ્ત્ર બતાવેલી કેડીને જોતાં આપણી ભારતીય આર્યભાષાના વિકાસની મુખ્ય મુખ્ય રેખાઓની ભૂમિકાઓ આ પ્રમાણે છેઃ ભારત-યુરોપીય ભાષા, ભારત-ઈરાની ભાષા અને ભારતીય–આર્ય ભાષા. પ્રસ્તુતમાં અંતિમ એવી ભારતીય આર્ય ભાષા વિશે ખાસ કહેવાનું છે. ભારતીય આર્ય ભાષાની પણ પ્રધાનપણે ત્રણ ભૂમિકાઓ છે: પ્રાચીન ભારતીય આર્ય ભાષા, મધ્યયુગીન ભારતીય આર્ય ભાષા અને નવ્ય ભારતીય આર્ય ભાષા. આ ત્રણે ભૂમિકાઓને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષારૂપે પણ સમજાવી શકાય. આપણુ આર્ય ભાષાનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. આવો અને આટલો પ્રાચીન ઇતિહાસ બીજી કોઈ ભાષાને હોય એવું હજી સુધીમાં જણાયેલ નથી. જે કે મથાળામાં પ્રાકૃત અને પાલિ એ બે નામો જુદાં જુદાં બતાવેલાં છે; છતાં ય વસ્તુસ્થિતિએ એક પ્રાકૃત નામમાં જ તે બન્ને ભાષાનો સમાવેશ થઈ જાય છે. પ્રાકૃત ભાષાઓ ભારતીય આર્ય ભાષાના ઇતિહાસની એક અગત્યની ભૂમિકારૂપ છે. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધથી માંડીને ભારતીય તમામ સંતોએ એટલે છેલ્લા યુગના પૂર્વ ભારતના સરહપા, કહ૫, મહીપા, જયાનંતપ વગેરે સિદ્ધો, દક્ષિણ ભારતના જ્ઞાનેશ્વર, તુકારામ, ઉત્તર ભારતના તુલસીદાસ, કબીર, નાનક, પશ્ચિમ ભારતના નરસિંહ મહેતા, આનંદઘન વગેરે સંતોએ પોતાના સાહિત્યનું મુખ્ય વાહન પ્રાકૃત ભાષાઓને બનાવેલ છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે આ પ્રાચીન અને અર્વાચીન તમામ સંતો આમજનતાના પ્રતિનિધિસમ હતા અને આમજનતાના સુખદુ:ખના સમવેદી હતા. - પ્રાકતભાષાનું પ્રધાન લક્ષણ આ પ્રમાણે આપી શકાય: એક તરફથી પ્રાચીનતમ ભારતીય આર્ય ભાષા એટલે ઠેઠ વેદોની ભાષા અને બીજી તરફથી વર્તમાનકાળની બોલચાલની ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ. એ બન્ને વચ્ચે અર્થાત આદ્ય ભાષા અને અંતિમ ભાષાના સ્વરૂપોની વચ્ચે વર્તનારા ભારતીય ભાષાના ઇતિહાસની જે સાંકળરૂપ અવસ્થા છે તેને પ્રાકૃતનું નામ આપી શકાય વડા પ્રધાન લક્ષણું ગણી શકાય. કોઈ ને કોઈ પ્રકારે પ્રાકૃતસ્વરૂપે સંક્રમણ પામ્યા પછી જ તે આદ્ય અથવા પ્રાચીનતમ ભારતીય ભાષા. આર્ય ભાષા વા વેદોની ભાષા વર્તમાન કાળે બોલચાલમાં વર્તતી નવીન ભારતીય ભાષાના રૂપમાં પરિણામ પામી શકે, એ એક ભાષાશાસ્ત્રનો સુનિશ્ચિત સિદ્ધાંત છે. એવી જાતનાં વિવિધ સંક્રમણ વિના આ નવી અનેક આર્ય ભાષાઓનો ઉદ્ભવ કેમ કરીને થાય? Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત-પાલિભાષાનો ફાળે આવાં ભાતભાતનાં સંક્રમણોમાં પસાર થતાં પ્રાકૃત ભાષાઓ આ નવી ભાષાના રૂપને પામી છે એ જ એમનો ભાષાઓના વિકાસમાં મોટામાં મોટો ફાળો છે. ભાષાઓના ક્રમવિકાસની પ્રક્રિયા એ ભાષાશાસ્ત્રનો મૂળ પાયો છે. ધ્વનિઓનું વિવિધ પ્રકારનું સંક્રમણ કાંઈ આકસ્મિક નથી તેમ અનિયમિત પણ નથી. એ સંક્રમણ સર્વથા વૈજ્ઞાનિક નિયમને વશવર્તી છે અને તે અમુક અમુક નિયમોને વશવર્તી હોઈ એકદમ સુનિયમિત છે, આમ છે માટે જ આપણું પ્રાચીન ભાષાકુળો અને અર્વાચીન ભાષાકુળો વચ્ચે એકસરખું સાંગ અનુસંધાન સચવાયેલ છે અને એને લીધે જ ભૌગોલિક પરિસ્થિતિને લીધે નોખા નોખા પડી ગયેલા છતાં એક આર્ય ભાષા બોલનારા આપણામાં એટલે તમામ પ્રાંતના અને તમામ વર્ગના લોકોમાં એવો કોઈ મોટો વિચ્છેદ થઈ ગયો હોય એવું ભાષાવિકાસની દૃષ્ટિએ જરાય જણાતું નથી વા પરાપૂર્વથી ચાલ્યા આવતા આપણા સામાજિક પ્રવાહમાં કોઈ મોટું અંતર પડી ગયું હોય એમ પણ અનુભવાતું નથી. ગંગાનાં પાણી નિરંતર બદલાયાં કરતાં હોવા છતાં જેમ તે એકરૂપમાં દેખાય છે તેમ આપણી પ્રાચીન પરંપરાઓ અને અર્વાચીન પરંપરાઓ નિરંતર બદલાતી રહી છે છતાં તેમાં સળગસૂત્રતા અખંડતા અભિન્નતા સતત સાતત્ય ટકી રહેલાં છે એવું આજે હજારો વરસ પછી પણ આપણે અનુભવીએ છીએ એ પ્રતાપ ભાષાઓના સંબંધમાં સચવાયેલી મૌલિક સમાનતાનો છે એમાં લેશ પણ શક નથી. આર્યપ્રજાઓ જ્યારે વિજેતારૂપે ભારતમાં ઊતરી પડી અને આતર પ્રજાઓ સાથે સંઘર્ષમાં આવી ત્યારે આર્યપ્રજાની ભાષાઓને પણ બીજી અનેક આતર પ્રજાઓની ભાષાઓ સાથે બરાબર સંઘર્ષમાં ઊતરવું પડેલું અને એમાં કેટલેક અંશે વિજય મેળવ્યા પછી જ આર્ય ભાષા ભારતમાં પોતાનું સાંસ્કૃતિક સ્વરૂપ પ્રાપ્ત કરી શકી. વેદોના સમયથી માંડીને બ્રાહ્મણગ્રંથોના સમય સુધીની આર્ય ભાષા પોતાના સમયની બીજી બીજી - ભાષાઓ સાથે સંઘર્ષમાં આવતાં છતાં કેટલીક માંડવાળ પછી પોતાનું સ્વરૂપ બરાબર ટકાવીને વિજયી બની માટે જ એ ભાષાને ભારતીય આર્ય ભાષાની પ્રથમ ભૂમિકારૂપે ગણી શકાય. - એકબીજી પ્રજાઓથી અતડા રહેવું વા બાહ્ય રંગ કે ચોકખાઈને મિથ્યાભિમાનથી પ્રેરાઈ બીજી બીજી આર્યતર પ્રજાઓ સાથે સંસર્ગમાં ન આવવું એ વૃત્તિ આર્યોમાં નહતી. જેમાં સમુદ્રમાં અનેક નદીઓ ભળી જાય છે અને સમુદ્રરૂપ બની જાય છે તેમ આર્યોમાં અનેક આતર પ્રજાઓ એવી રીતે ભળી ગઈ છે કે પછી તેને આપેંતર કહીને નોખી પાડવાનાં એંધાણ જ જાણે ભૂંસાઈ ગયાં હોય એવું બની ગયું અને આર્યોનો એક નવો એવો મોટો સમાજ જ બની ગયો. આનો અર્થ એ થયો કે હવે કોઈ આતર છે એમ કળાવું જ અશક્ય બની ગયું – આર્ય અનાર્ય તે બધા વચ્ચે પરસ્પર લોહીનો સંબંધ, કામકાજનો ગાઢ સંબંધ, ભાષાઓનો પણ પરસ્પર વિનિમય; એને લીધે એકબીજી ભાષાઓએ આર્યોની ભાષા ઉપર સારી એવી અસર કરી અને એ અસરને આયોએ બરાબર આવકારી પણ ખરી, તેમ આર્યોની ભાષાએ આર્યતર ભાષાઓ ઉપર પણ સામી એવી જ અસર કરી. આમ એકબીજી ભાષાઓમાં કોઈએ કશું ય આભડછેટનું તત્ત્વ મુદ્દલ નહીં સ્વીકારેલું, પરંતુ દરેક ભાષાએ બીજી ભાષાની અસરને આવવા દેવા પોતાનાં બારણાં તદ્દન ખુલ્લાં રાખેલાં. ' આવી વિશાળહૃદયી પરિસ્થિતિને લીધે આર્ય ભાષાએ આતર ભાષાના હજારો શબ્દોને પોતામાં પોતાની રીતે સમાવી લીધાના જે પ્રામાણિક પુરાવાઓ ભાષાસંશોધકોને મળી આવ્યા છે તેમાંના કેટલાક આ પ્રમાણે છે: Page #5 -------------------------------------------------------------------------- ________________ ર૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ભારત અને બેબિલોનિયા વચ્ચે ઘણું મોટું અંતર છે; છતાં જ્યારે આર્યો ત્યાં, ફરતાં ફરતાં પહોંચેલા ત્યારે ત્યાંનાં આજથી આશરે ત્રણેક હજાર વરસ પહેલાનાં સંધિપત્રમાં ત્યાંના આર્યતર રાજકર્તાએ પોતાના ઈષ્ટદેવનાં જે નામો લખેલાં હતાં તે જ નામો આપણા આર્યોનાં પણ ઇષ્ટદેવનાં બની ગયાં. બેબિલોન સંધિપત્રમાં વેદમાં ઈન—દ-૨ ઈન્દ્ર મિ-ઈતિ-ત-૨ મિત્ર અ--ન અથવા ઉ––વન વરુણ ન–અન્સ- તિય નાસય નાસત્ય શબ્દ વેદમાં યુગલરૂપ અશ્વિનો માટે વપરાયેલ છે. બેબિલોનિયા માટે ઋદમાં મંડળ ૧ સૂક્ત ૧૩૪ મંત્ર ૧-૭ માં બેલસ્થાન શબ્દ આપેલ છે અને બિબ્લિક પ્રજા માટે વેદમાં ભિન્ફગ્ય શબ્દ વપરાયેલ છે. આર્ય પ્રજા ઓસ્ટ્રિક પ્રજાઓ સાથે, દ્રવિડ પ્રજાઓ સાથે અને તિબેટીચીની પ્રજાઓ સાથે સંબંધમાં આવી ત્યારે તે તે પ્રજાની ભાષાના પણ હજારો શબ્દો આર્ય ભાષામાં આર્ય રીતે મળી ગયેલા શોધી કઢાયા છે. તેમાંના ઘણા જ થોડા આ છે : આર્ય ભાષામાં ભળી ગયેલા આતર શબ્દો : કેટલાક ઓસ્ટ્રિક શબ્દો : તિતઉ એટલે ચાલણી ઓસ્ટિક ઉચ્ચારણ આર્ય ઉરચારણ રાકા ?” પૂનમ પોનન્ એટલે બાણ સિનિવાલી ” ચંદ્રની કળા જણાતી કૌપેહ. કપસ-કપાસ હોય એવી અમાસ કદલી-કેળ નેમ છે અડધું માતંગ ૧ ) માતંગ-હાથી કોયલ નિયોરકોઈ ” નારિકેલ-નાળિયેર કિતવ જુગારી અથવા ધૂર્ત વાહતિરંગ - વાતિંગણવાઈગણઅટવી અટવી–જંગલ વંગણ કુલાલ ચીનાઈ તિબેટી ઉચ્ચારણ આર્ય ઉરચારણ સંકુલ તાંદુલ–ચોખા એટલે ઇલ્સઈખ–શેરડી તિલ ?” ખોંગ ર ' ) જેમ કોઈપણ ચાલુ વહેતી નદીમાં બીજા બીજા પ્રવાહો ભળી તદ્રુપ બની જાય છે તેમ જ આપણી જીવતી અને જનતામાં ફેલાયેલી આર્ય ભાષામાં ય આવા હજારો આતર શબ્દો ભળી જઈ આર્યરૂપ બની જાય એ કોઈપણ જીવતી ભાષા માટે તદ્દન સ્વાભાવિક છે. વેદોમાં, બ્રાહ્મણગ્રંથોમાં અને ત્યાર પછીના મહાભારતથી માંડીને અત્યાર સુધીનાં સંસ્કૃત સાહિત્યમાં એવા આતર શબ્દોને આર્યરૂપે બનાવી વગર સંકોચે તે તે ઋષિઓએ અને કાવ્યકાર પંડિતોએ ખપમાં લીધેલા છે એટલું જ નહીં, પણ આપણા કુંભાર તલ ગંગા ૧. ઓક્ટ્રિકમાં માતંગનો અર્થ મોટો હાથ' થાય છે. ૨. ચીનાઈ તિબેટીમાં ખીંગનો અર્થ “નદી' થાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત-પાલિભાષાનો ફાળો ૨૫ આર્યપ્રવાહમાં એવાં કેટલાં ય આર્યંતર કર્મકાંડો, પ્રણાલિકાઓ અને પરંપરાઓ આર્યરૂપ પામી આજલગી ચાલતાં આવેલાં છે, એની પણ કોઈ વિચારક સંશોધક ના નહીં પાડી શકે. આપણામાં આર્યંતર લોહી આર્યરૂપ પામી ભળેલું છે એ હકીકત કાંઈ આજના શોધકોએ જ શોધી કાઢેલ છે એમ નથી, પરંતુ આપણા મહર્ષિ મીમાંસાશાસ્ત્રકાર શખર અને મહાપંડિત કુમારિલભટ્ટ પણ એ હકીકતને સ્પષ્ટપણે જાણતા હતા, તેથી એ બાબત તેમણે પોતાના શાબર ભાષ્યમાં તથા તન્ત્રવાહિકમાં નોંધ આપેલી છે. અને ત્યાં ખાસ ભલામણ પણ કરેલી છે કે જે આયોં એ ભાષાના એટલે આર્ય ભાષા અને આર્યંતર ભાષાના જાણકાર હશે તેઓ વેદોની પરંપરાને અને વેદોના ભાવને ઠીક ઠીક સમજી શકશે. આ રીતે સમગ્ર માનવમૈત્રીના ધ્યેયને વરેલી આર્ય પ્રજા અને તેની આર્ય ભાષા પોતાના વિકાસમાં આગેકૂચ કરી રહી હતી. ભ્રમણમાં આગળ તે આગળ વધતી આયોંની ટોળીઓ જ્યારે ભારત-ઈરાની આર્ય ભાષાના સહવાસમાં આવી ત્યારે એ બન્ને ભાષાઓએ વળી એકબીજાની છાપ પરસ્પર બરાબર લગાડી દીધી, તે હકીકત પણ આજે વર્તમાન જે અવેસ્તા સાહિત્ય છે તે દ્વારા સ્પષ્ટ જણાઈ આવે છે. આ નીચે એવાં કેટલાંક નામો, વિભક્તિવાળાં નામો અને ક્રિયાપદો એ બન્ને ભાષાનાં આપ્યાં છે જેથી એ બન્ને ભાષાઓનો અત્યંત નિકટનો સંબંધ સહજ રીતે ખ્યાલમાં આવી જશે. ભારત-ઈરાની આર્ય ભાષા ભારતીય આર્ય ભાષા એસ્ત શ્રેષ વસુ-પવિત્ર વોહુ ક્રૂત ભૂમી હમા અહુર સ્વા અહ્વા વચ્ચેખીચા ઉોઈખ્યા અઝેમ વર્ અમા મત્ એટલે "" 22 3 33 33 વિભક્તિવાળાં નામો એટલે 3 "" "" 23 39 "" "" "" "" તેમખ્યામહી એટલે અરતી "" અહી વએદા સક્ત ભૂમિ સત્રા એટલે સાથે અસુર વાસ્તને અસ્ય–એનું વિભક્તિવાળાં ક્રિયાપદો વચોભિચ–વચનો વડે ઉભયેભ્યઃ—યુગલ માટે સ્વઃ-પોતે અહમ હું વયસ્–અમે અસ્માન–અમોને મત્—મારાથી નમિષ્યામહે–નમીએ છીએ ભરતિ–ભરે છે—પોષણ કરે છે અસિ–તું છે વેદ જાણ્યું Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ઈ. સ. પૂર્વે બે હજાર વરસ કરતાં ય વિશેષ પ્રાચીન આપણી ભારતયુરોપીય આર્ય ભાષાનો નમૂનો એક સંસ્કૃત અર્વાચીન વાક્ય દ્વારા આ રીતે બનાવી શકાય: હરિશ્ચન્દ્રશ્ય પિતા અશ્વસ્ય ઉપરિસ્થિતઃ ગચ્છનું પચ્ચ વૃકાન જવાન. આ વાક્યનું બે હજાર વરસ કરતાં પહેલાંના સમયનું ઉચ્ચારણ આમ કલ્પી શકાય ? ઝરિકન્દ્રાસ્યા પતેત્ અસ્વાસ્યા ઉપરિ અતોસ્ ગમશ્વાન્સ પર્ફ બ્લાસ્ ઘધાન એ જ રીતે અન્વેદના પ્રથમ સૂક્તનું તથા ગાયત્રી મંત્રનું ભારત-ઈરાની આર્ય ભાષામાં જે જુદું ઉચ્ચારણ થાય છે તેને નીચે દર્શાવેલો નમૂનો આ પ્રમાણે બતાવે છેઃ - ઋદ ઈરની આર્યભાષા અગ્રિમ ઈડે પુરોહિતમ અશ્ચિમ ઈઝદઈ પુરઝધિતમ યસ્ય દેવમ્ ઋત્વિજમ્ યશ્નસ્ય દઈવમ ઋત્વિશમ્ હોતારમ્ રત્નધાતમમ હઊતારમ્ રત્ન ધાતમમ ગાયત્રી મંત્ર ઈરાની આર્યભાષા તત્ સવિતુર્વ રેણ્યમ તત સવિતુ ઉવરઈનિઅમ ભગો દેવસ્ય ધીમહિ ભર્ગક દઈવસ્ય ધીમધિ ધિયો યો નઃ પ્રચોદયાત ધિયઝુ યર્ નસ પ્રચઉદયાત નવ્ય ભારતીય ભાષાઓના વિકાસમાં જે પ્રાકૃત ભાષાએ ઘણો મોટો ફાળો આપેલ છે તે પ્રાપ્ત ભાષાનું સૌથી પ્રાચીનતમ રૂ૫ આદિમભારતયુરોપીય ભાષા પછી તેનું બીજું રૂપ ભારત-ઈરાની આર્ય ભાષા અને પછી તેની ત્રીજી ભૂમિકા તે ભારતીય આર્ય ભાષા અને આ પછી આવી પ્રાકૃતની પોતાની ભૂમિકા. આ પ્રાકૃતની ઉત્તર ભૂમિકા તરીકે ત્યાર પછીની મધ્ય યુગની વિવિધ પ્રાકૃત, અપભ્રંશ અને બાદ વર્તમાન હિંદી, મરાઠી, બંગાળી, ગુજરાતી, સિંધી, પંજાબી, ઉડિયા વગેરે ભાષાઓ અને તેમની જુદી જુદી બોલીઓ. હવે પ્રાકૃત ભાષાનાં પ્રાદુર્ભાવક બળોનો વિચાર કરી વર્તમાન ભારતીય નવ્ય ભાષાઓના વિકાસમાં તેના મહત્વના ફાળા વિશે પણ જાણી લઈએ. વેદોને વા બીજાં ધર્મશાસ્ત્રોને ભણવાભણવવાનો અધિકાર એક માત્ર વિપ્રપુરોહિતવર્ગને જ હતી, આમજનતાને તેમના સંપર્કમાં આવતી અટકાવેલી હોવાથી આમજનતાનાં ઉચ્ચારણ પુરોહિત જેવાં ન રહે એ સ્વાભાવિક છે. એક તો પુરોહિતો ભણેલા અને વળી તેમનો ઉચ્ચારણ કરવાનો વિશેષ મહાવરો હોવાથી તેઓ અભ્યાસ અને પાઠના બળે જડબાતોડ ઉચ્ચારણ પણ કરી શકતા ત્યારે આમજનતાને એવો મહાવરો મુદ્દલ નહીં અને અભ્યાસકે પાઠનો તો મોકો ન જ મળતો હોવાથી તેઓની પુરોહિતોનાં જેવાં ઉચ્ચારણ કરવાની ટેવ ન પડી તેમ ન ટકી એટલે આમજનતાનાં અને વિક–પુરોહિતવર્ગનાં ઉચ્ચારણો વચ્ચે ફરક પડી ગયેલ. વિપ્રની ભાષામાં કહીએ તો તે પોતાનાં ઉચ્ચારણોને સંસ્કૃત માનતો અને આમજનતાનાં ઉચ્ચારણોને પ્રાકૃત સમજતો, આ ઉપરાંત વેદોનાં સૂકતો ગ્રંથસ્થ થઈ ગયાં એટલે તેની ભાષા વહેતી નદીની જેવી મટીને નહીં વહેતા ખાબોચિયા જેવી થઈ ગઈ. આ પરિસ્થિતિને લીધે હવે તે બંધાઈ ગયેલી ભાષાનો વિકાસ થતો અટકી પડ્યો અને આમજનતાની વહેતી જીવતી ભાષા તો વિકસવા માંડી–બીજી રીતે કહીએ તો જ્યારથી વેદોની ભાષા બંધાઈ ગઈ જકડાઈ ગઈ અને વહેતી અટકી પડી ત્યારથી પ્રાચીન સમયથી ચાલ્યાં આવતાં આમજનતાનાં પ્રાકૃતોને પ્રકાશમાં આવવાનો અને ઉત્તરોત્તર વિકાસ પામવાનો અવસર મળી ગયો. Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત–પાલિભાષાને ફાળો એમ કહેવામાં આવે છે કે ઉદીચ્યોનાં ઉચ્ચારણે ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં અર્થાત તેમનાં ઉચ્ચારણ વેદોની ભાષાને બરાબર મળતાં આવતાં ત્યારે પ્રાચ્યોનાં ઉચ્ચારણ વેદોની ભાષાને મુકાબલે ઊતરતાં હતાં અને મધ્ય પ્રદેશવાળાઓનાં ઉચ્ચારણો ન ઉત્તમ તેમ ન ઊતરતાં, પરંતુ મધ્યમસરનાં હતાં. ઉદીચ્ય પ્રજા એટલે વર્તમાન વાયવ્ય સરહદ અને પંજાબ પ્રાંતની વસતિ. પ્રાયો એટલે વર્તમાન અવધ, પૂર્વ સંયુક્ત પ્રાંત અને ઘણે ભાગે બિહારની પ્રજા અને ગંગા-યમુનાના પ્રદેશમાં વસતા લોકો તે મધ્ય દેશીય પ્રજા. આમ આ ત્રણે લોકસમૂહોની ભાષા આમજનતાની ભાષા રૂપે ઝપાટાબંધ વિકસવા માંડી, ફેલાવા માંડી અને ઉત્તરોત્તર ઉચ્ચારણોની દષ્ટિએ વિવિધ પરિવર્તનો પણ પામવા લાગી. બરાબર આ જ ટાંણે એ સમાજમાંથી કેટલાક આત્માથી પુરુષો આમજનતાના ભેરુરૂપે પ્રગટ થયા. તેમાં મુખ્ય નાયકરૂપે કપિલ, શ્રીકૃષ્ણ, મહાવીર અને બુદ્ધનું સ્થાન હતું. જે ટોળીના આગેવાન મહાવીર અને બુદ્ધ હતા તે ટોળીઓ વૈદિક કર્મકાંડરૂપ યજ્ઞાદિકને આધ્યાત્મિક શુદ્ધિનું સાધન ન માનતી અને તેથી તે, વિપ્રપુરોહિતોએ નિર્માણ કરેલી કોઈ ધાર્મિક યા સામાજિક વ્યવસ્થાને પણ વશવર્તી નહીં હતી. હિંસાપ્રધાન યજ્ઞાદિકને ધર્મરૂપે નહીં સ્વીકારનારી આ ટોળીઓ કેવળ શબ્દોનાં ઉરચારણોને જ શ્રેયસ્કર નહીં સમજતી ત્યારે વિપ્રપુરોહિતો તો એમ કહ્યા જ કરતા કે એક પણ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ જ કલ્યાણકારી નિવડે છે. આ ટોળીઓને વિપ્રપુરોહિતોએ કેવળ “વાય” નામ આપેલું. ત્રાત્ય એટલે બ્રાહ્મણોએ નિર્માણ કરેલી સંસ્કારાદિક પ્રવૃત્તિને નહીં સ્વીકારનારી પરંતુ ચિત્તશુદ્ધિ માટેના વ્રતનિયમોને આચરનારી પ્રજા. પુરોહિતો એ ટોળીઓને ઉત્તમ નહીં સમજતા. આ ટોળીઓના અગ્રણી પુરુષો વેદોની ભાષાનાં જડબાતોડ ઉચ્ચારણોને પણ સ્પષ્ટ રીતે બોલી બતાવવા સમર્થ હતા છતાંય તેઓએ એ વૈદિક ઉચ્ચારણોને બલે આમજનતામાં વ્યાપેલાં ઉચ્ચારણોને વિશેષ મહત્ત્વ આપ્યું. કેમકે તેમનો ઉદ્દેશ પોતાનું ધર્મચક્ર આમ જનતા સુધી પહોંચાડવાનો હતો અને એમ કરીને માનવતાના જેમના હકો છિનવાઈ ગયા હતા તેવી આમ જનતાને માનવતાના સર્વ હકો સુધી લઈ આવવાની હતી. આથી કરીને અત્યાર સુધી જે આમજનતાની ભાષાને પ્રકર્ષ નહીં મળેલો તે પ્રકર્ષ શ્રી મહાવીર અને શ્રીબુદ્ધ દ્વારા વધારેમાં વધારે મળ્યો અને આ સમય જ પ્રાકૃત ભાષાના અભ્યદયનો હતો. આ સમયનું પ્રાકૃત તે જ પ્રાકૃત-ભાષાની પ્રથમ ભૂમિકા. મહાવીરે અને બુદ્ધે પોતાનાં તમામ પ્રવચનો સમગ્ર મગધ, બિહાર, બંગાળ વગેરે પ્રદેશોમાં ફરીફરીને લોકભાષામાં જ આપ્યાં. એ બન્ને સંતો આમજનતાના પ્રતિનિધિરૂપ હતા, આમજનતાના સુખદુઃખમાં પૂરી સહાનુભૂતિ રાખનારા હતા અને તેઓએ આમજનતાની ભાષાને પ્રધાનસ્થાને બેસાડી ઘણી મોટી પ્રતિષ્ઠા આપેલી છે. જો કે એ સમયની ગ્રંથસ્થ વૈદિક ભાષામાં ય આમજનતાની ભાષામાં જે પરિવર્તનો આવેલાં તેમનાં મૂળ પડેલાં હતાં છતાં તેમાં તે પરિવર્તનો બીજરૂપે અને પરિમિત માત્રામાં હતાં ત્યારે આમજનતાની ભાષાને વિશેષ પ્રતિષ્ઠા અને પ્રચારનાં સ્થાન મળવાથી તેમાં તે પરિવર્તનો ઝપાટાબંધ વધવા લાગ્યાં અને એ રીતે વિવિધ પરિવર્તન પામતી આમજનતાની પ્રાકૃત ભાષા હવે દેશમાં ઝપાટાબંધ ફેલાવા લાગી. આમ પોતાની પૂર્વભૂમિકારૂપ આદ્ય ભાષાથી માંડીને આર્ય ઈરાની સહિત વૈદિક ભાષાનો સમગ્ર શબ્દવારસો ધરાવતી આમજનતાની આ પ્રાકત ભાષાએ જે પ્રકારનાં પરિવર્તનો સ્વીકાર્યો અને એ જ પરિવર્તનો તેની મધ્ય યુગની પ્રાતના વિકાસમાં, તથા વિવિધ અપભ્રંશોના વિકાસમાં અને છેક છેલ્લે ભારતીય નેવ્ય ભાષા હિંદી, મરાઠી, ગુજરાતી, બંગાળી વગેરે ભાષાઓના વિકાસમાં મોટો મહત્ત્વનો ભાગ ભજવનારાં નિવડ્યાં અને નવી ભાષાઓની બોલીઓના–નોખી નોખી અનેક બોલીઓના--પણ ઉત્તરોત્તર વિકાસનાં કારણરૂ૫ બન્યાં તે તમામ પરિવર્તનો વિશે પણ થોડું વિચારીએઃ Page #9 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સંયુક્ત વ્યંજનો જ્યાં શબ્દની અંદર હતાં વા આદિમાં હતાં તેમાં જે ફેરફાર થયો તે આ પ્રમાણે છે: હસ્ત ને બદલે હથ પછી હવે કર્ણ ને બદલે કણ પછી કાન અક્ષિ ને બદલે અખિ પછી આંખ અથવા અછિ પછી આંછ મક્ષિકા ને બદલે મકિખઆ પછી માખ અથવા મછિઆ પછી મારા ક્ષેત્ર ને બદલે ખેત પછી ખેતર અથવા છેત્ત પછી શેતર ક્ષીર ને બદલે ખીર પછી ખીર અથવા છીર પછી હીર કુક્ષિ ને બદલે કુકિખ પછી કૂખ કે કેન્દ્ર ગવાક્ષ ને બદલે ગવકખ પછી ગોખ પ્રસ્તરને બદલે પત્થર પછી પથ્થર અથવા પાથર પુષ્કર ને બદલે પુખર પછી પોખર અથવા પુકુર સત્ય ને બદલે સચ્ચ પછી સાચ કે સાચું કાર્ય ને બદલે કજજ પછી કાજ-કારજ વૃશ્ચિક ને બદલે વિંછિઆ પછી વીંછી અથવા વીણ અને બદલે અજજ પછી આજે શસ્યાને બદલે સેક્સ પછી સેજ મર્યાદા ને બદલે મજજાયા પછી માજા ઉપાધ્યાય ને બદલે ઉવજઝાય પછી ઓઝા સંધ્યા ને બદલે સંઝા પછી સાંજ વર્તી ને બદલે વટ્ટી પછી વાટ ગર્ત ને બદલે ગડુ પછી ખાડો નિમ્ન ને બદલે નિણ પછી તેનું–નાનું સંજ્ઞા ને બદલે સંણ પછી સાન સ્તભ ને બદલે થંભ પછી થાંભલો અથવા ચંબા કે ખંભા પર્યસ્તિકા ને બદલે ૫લસ્થિઆ પછી પલાંઠી રસ્થાન ને બદલે થીણુ પછી થીણું મુષ્ટિ ને બદલે મુર્િ પછી મૂઠી દષ્ટ ને બદલે દિ૬ પછી દીઠો કમલ ને બદલે કુંપલ પછી કુંપળ જિલ્લા ને બદલે જિળ્યા પછી જીભ કૃષ્ણને બદલે કણહ પછી કાન સ્નાન ને બદલે હાણ પછી નાણું આદર્શ ને બદલે આયરિસ પછી અરિસો કે આરસો ગુહ્ય ને બદલે ગુઝ પછી ગૂંજે Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાષાના વિકાસમાં પ્રાકૃત–પાલિભાષાને ફાળો ૨૯ હવે કેટલાંક અસંયુક્તવ્યંજનોનાં પરિવર્તનો : રાજન -- રાજ અથવા લાજ અથવા રાય નગર –– યર – પછી નર નયન – નયણ – પછી નેણ મેઘ –મેહ – પછી મે કથા – કહ– પછી કહેવું રેખા – લેહ – પછી લીહા– લી બધિર – બહિર – પછી બહેરો શોભામત - સોહામણ – પછી સોહામણું ઘટ – ઘડ– પછી ઘડો પાઠ – પાઢ – ૫છી પાડો ગુડ – ગુલ – પછી ગોળ તડાગ – તલાય – પછી તળાવ અથવા તાલાવ વચન – વણું – પછી વેણ દીપ–દીવ – પછી દીવો ભગિનીપતિ-બહિણીવઈ- પછી બનેવી અથવા બનહોઈ દશ - દસ – પછી દસ શબ્દ – સદ્ – પછી સાદ સિંહ – સિંઘ અથવા સહ-પછી સંગ અથવા સંઘ અથવા સી સ્વરોનાં પરિવર્તનો આ પ્રમાણે છેઃ , , એ અને ઔનો પ્રયોગ જ નિકળી જવા પામ્યો છે. ઋ ને બદલે અ–– ધૃત – ઘય – પછી ઘી કૃત – કરિઅ– પછી કર્યું , , રિ– ઋદ્ધિ – રિદ્ધિ – પછી રાધ , , ઈ- પૃષ્ટિ – પિટ્ટિ - પછી પીઠ , , ઉ – વૃદ્ધ – વુ - પછી બૂટો પિતૃગૃહ – પિહિર – પછી પીહર કે પીયર માતૃગૃહ – માઉડર – પછી માય. એ ને બદલે એ અને અઈ– શેલને બદલે સઈલ અથવા સેલ. ઐરાવણ – અઈરાવણું – પછી અઈરાવણ ઓ ને બદલે ઓ અને અ9 – કૌશામ્બી–– કઉસંબી – કોસંબી – કોસંબી – કોસમ ધવન – જેબ્રણ– જોબન Page #11 -------------------------------------------------------------------------- ________________ 30 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ રીતે વ્યંજનો અને રવરોનાં ઉચ્ચારણોનાં બીજાં પણ ઘણાં ઘણાં પરિવર્તનો આવવા પામ્યાં છે. મધ્યયુગની પ્રાકૃતોનાં પણ આવાં જ પરિવર્તનો દેખાય છે ત્યારે અપભ્રંશમાં વળી આથી વધારે બીજે વિવિધ પ્રકારનાં પરિવર્તનો છે. આમ પરિવર્તન પામતી પ્રાકૃત ભાષા અને પાલિ ભાષાએ વર્તમાનકાળની નવ્ય ભાષાઓ હિંદી, ગુજરાતી વગેરે અને તેની જુદી જુદી પ્રાંતિક બોલીઓમાં ઘણું મોટો ફાળો આપેલ છે, તે ઉપરનાં થોડાં ઉદાહરણોથી પણ સ્પષ્ટ થઈ જાય છે. સંસ્કૃત ભાષા પ્રાકૃતમાં સંક્રમ્યા વિના આ નવ્ય ભાષાઓના પ્રાકટયમાં સીધું નિમિત્ત નથી થઈ શકતી અર્થાત આપણી ભારતીય પ્રચલિત તમામ આર્ય ભાષાઓ અને બોલીઓનું પ્રધાન નિમિત્ત પ્રાકૃત અને પાલિ ભાષા છે; પરંતુ સંસ્કૃત નથી જ એ યાદ રાખવાનું છે. આ લેખ માટે નીચેના ગ્રંથોનો ખાસ ઉપયોગ કરેલો છે: 1. ભારતીય આર્ય ભાષા અને હિંદી ભાષા - ડો. સુનીતિકુમાર ચેટરજી (ગુજરાત વિદ્યાસભા) 2. ઋતંભરા - ડૉ. સુનીતિકુમાર ચેટરજી 3. રાજસ્થાની ભાષા - " 4. પ્રાકૃત ભાષા - ડો. પ્રબોધ બેચરદાસ પંડિત 5. ખોરદેહઅવેસ્તા - કાંગા 6. ભાષાવિજ્ઞાન - મંગળદેવ શાસ્ત્રી 7. અશોકના લેખો-ઓઝા r વિ