Book Title: Bharatiya Tattvavidya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 89
________________ ૭૮ સૃષ્ટિમાં પણ ઈશ્વરકત્વને અવકાશ નથી આપતા. ઉપરની ચર્ચાના સાર એ છે કે મીમાંસકા જેમ પોતાની દૃષ્ટિએ કવાદી છે તેમ સાંખ્ય, જૈન અને બૌદ્ધ પણ કવાદી જ છે. કમ કરવાનુ... અને તેનુ ફળ ભાગવવાનું સામર્થ્ય. પેાતામાં જ છે. તેથી કર્મ કરવામાં કે તેનુ ફળ ભેગવવામાં જેમ ઈશ્વરકત્વવાદી ઈશ્વરની પ્રેરણાને સ્થાન આપે છે, તેમ આ પરપરાએ આપતી નથી. તે કહે છે કે કૃત કર્મનેા પરિપાક થતાં તે પાતે જ સ્વસામર્થ્યથી ફળ આપે છે, અને સમગ્ર વિશ્વ-વૈચિત્ર્ય એ કર્માધીન છે. સાંખ્ય પરંપરામાં પ્રકૃતિના પૂર્ણ કર્તૃત્વનું જે સ્થાન છે તે જૈન અને ૌદ્ધ પર’પરામાં જીવ યા ચિત્તના કર્તૃત્વે લીધું છે. 1 ઈશ્વર વિષે પૂર્વનિર્દિષ્ટ દૃષ્ટિઓના મુખ્ય મુખ્ય મુદ્દા હવે બ્રહ્મવાદી ઔપનિષદ દશનાની ઈશ્વરવિષયક માન્યતાને વિચાર કરીએ તે પહેલાં ઉપર જે ભિન્ન ભિન્ન દનાને લઈ ચર્ચા કરી છે, તેના મુખ્ય મુદ્દા જાણી લેવા જરૂરી છે, જેથી એ સમજવુ' સહેલું પડે કે ઔપનિષદ દર્શીનેાની માન્યતામાં તે જ મુદ્દાએ કયાં અને કઈ રીતે સ્થાન પામ્યા છે. ન્યાય-વૈશેષિક, પાશુપતમાહેશ્વર, સાંખ્ય-ચેગ અને મઘ્ન એ ઈશ્વરને કર્તા માને છે, ત્યારે તેમની માન્યતામાં પહેલી વાત એ છે કે ઈશ્વર એ માત્ર નિમિત્ત યા અધિષ્ઠાયક કારણ છે, નહિ કે ઉપાદાન. તેવું કર્તૃત્વ યા નિમિત્તકારણત્વ પણ કાઈને મતે પ્રાણિક સાપેક્ષ તા બીજાને મતે પ્રાણિકનિરપેક્ષ છે. આવા કર્તૃત્વની સિદ્ધિ કાઈ મુખ્યપણે અનુમાન પ્રમાણથી કરી આગમના આધાર લે છે, તે બીજા કાઈ એ સિદ્ધિ મુખ્યપણે આગમને અવલખી કરે છે અને તર્કને માત્ર એના ઉપેાક્ખલક તરીકે સ્વીકારે છે. છવ્વીસતત્ત્વવાદી સાંખ્યયોગ પુરુષવિશેષને ઈશ્વર કહે છે, ત્યારે પણ તે પ્રકૃષ્ટ સત્ત્વના આશ્રયથી જ પ્રાણીઓના ઉદ્ધારક તરીકેનુ સ્થાન પામે છે. પણ એવા સત્ત્વના આશ્રય વિના તે સ્વતંત્રપણે કાંઈ કરી શકે નહિ. ચાવીસ કે પચીસતત્ત્વવાદી સાંખ્ય તે એક માત્ર મૂળપ્રકૃતિનું જ કર્તૃત્વ અને નિયામકત્વ સ્વીકારે છે. તે જ સ્વતંત્રપણે પુરુષાર્થ વાસ્તે પ્રવૃત્ત થાય છે. એટલે જેમ તે જગતનુ' ઉપાદાન તેમ નિમિત્ત કારણ પણ છે. જે શુભાશુભ કમ બુદ્ધિ દ્વારા થાય છે તે પાતે જ કાળ-પરિપાકે ફળ આપે છે. તે માટે બીજા કોઈ પ્રેરકની અપેક્ષા ૧. મન જો વૈશિષ્યમ્ । —મિધર્મોષ. ૪. ૧. ૨. યોગસૂત્ર ૨. ૧૨-૧૪—આ સૂત્રો અને ભાષ્યમાં જે કર્માશય તેમજ તેના વિપાકનું વણુ ન છે તે જોતાં એમ લાગે છે કે સાંખ્યપરપરાની કાઁગત ફળદાનશક્તિ અહીં વર્ણિત છે. તેથી જ વિપાકના પ્રસંગમાં ઈશ્વર યા એવી કાઈ તટસ્થ શક્તિને અવકાશ અપાયા નથી. છતાંય પ્રથમ પાદમાં શ્વિરના નિર્દેશ તા આવે જ છે. તે સૂચવે છે કે મૂળમાં એ નિર્દેશ સાધનામાં પ્રણિધાન પૂરતો હોય. ગણુધરવાદની પ્રસ્તાવનાનું કાઁવિચારપ્રકરણ, પૃ. ૧૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116