Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ભારતીય દરની કાળતત્વ સબંધી માન્યતા [ ૧૦૨૭ કાળને નિમિત્તકારણરૂપે વર્ણવી? એમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે. (૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પિતાનાં સત્રમાં કાળતત્વ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓને મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મેની વ્યવસ્થા કરવાને છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુક્તિનેહપ્રપૂરણું સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણ કાળતત્ત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાને સ્વીકાર કરે છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાળને પરાક્ષ માને છે અને તેઓ મીમાંસકને મતે કાળને પ્રત્યક્ષ માને છે. ૪. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તત્વ એ છે: પ્રકૃતિ અને પુ. આ બે સિવાય કોઈ તત્ત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારે છે. તેથી તે દર્શનમાં કાળ” નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષ્મ જડજગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે.? (૨) ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમાં સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર ગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયોને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળવ્યવહાર બુદ્ધિકૃત છે--- ૯૫નાજનિત છે. તે કલ્પના ક્ષણેના બુદ્ધિકૃત નાનામોટા વિભાગે ઉપર અવલંબેલી છે. ક્ષણે એ વાસ્તવિક છે, પણ તે મૂળ તવરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિ ૧. જુઓ રિવાજારજવું કયુઃ ” અ. ૨. મ. ૧, ઝૂ. ૨૨. २. "नास्माकं वैशेषिकादिवदप्रत्यक्षः कालः, किन्तु प्रत्यक्ष एव, अस्मिन्क्षणे मयोपलब्ध इत्यनुभवात् । अरूपस्याऽप्याकाशवत् प्रत्यक्षद भविष्याते।" अ. १, 1. ૧, . , . . . “દિશાવાવરચિઃ સકકર, કર. ૨, ફૂ. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9