Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 973
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ~~ ~ ~-~ બહાલી નિવૃત્તિ સ્ત્રી-હૃદયના પ્રાણભૂત હાલી હવે તું મારી પાસે રહેલી આવ! કારણકે તારા વિરહથી હું ક્ષણ ક્ષણ તલસું છું અને મનમાં જે તાપ થાય છે તે તે “ઘા વાગેલ હોય તે જાણે” તેની પેઠે હું ફક્ત જાણું છું. સંયમ ગુણ શ્રેણિરૂપ પર્વત પર આરેહતા હારા વિના અન્ય કોઈ આધારનથી. અંશે અંશે પણ હારૂં દર્શન અને સ્વરૂપ પ્રાપ્ત થતાં સંયમગુણ શ્રેણિ ગિરિ પર અંશે અંશે ક્રમે ક્રમે આરહાય છે અને તું પૂર્ણ પણે મહને પ્રાપ્ત થતાં સંયમ ગુણ શ્રેણિ પર્વત પર ચઢી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. આત્મા, પિતાની નિતિ સ્ત્રીને કથે છે કે સમતા રૂપે સરોવરમાં હું હંસ છું અને તું હંસી છે-હંસ અને હંસી જેમ માનસરોવરમાં આનન્દકીડા કરે છે તેમ સમતારૂપ સરવર હંસ અને હંસીની પેઠે ઐક્યભાવે આપણે બન્ને આનન્દકીડા કરીએ છીએ. આપણે બને સમતાસરેવરમાં સહજસુખરૂપ મૌક્તિકને ભોગ કરીએ છીએ એમ તું અંતરમાં અવબોધ!હે નિવૃત્તિલને! અન્તસૃષ્ટિમાં હું હરિ છું અને તું લક્ષ્મી છે. તું મારી સારી છે અને ત્યારે હું પ્યારે છું. આપણે આન્તરિકષ્ટિમાંઅપૂર્વતાદામ્ય સંબંધ સજાતીય છે એમ અવધ. હર અર્થાત્ મહાદેવ છું અને તું ગંગા અને ગૌરીરૂપ છે. હું જ્યારે ચંદ્ર છું ત્યારે તું અસંખ્યપ્રદેશમાં ચકરી છે. હું સાગર સમાન છું અને તું ચંદ્ર સમાન છે. હું પતંગની ઉપમાને ધારણ કરું છું અને તું દેરીની ઉપમાને ધારણ કરનાર છે. હું સૂર્યરૂપ છું અને તું સૂર્યના કિરણ પ્રકાશ જેવી છે. સૂર્યથી તેને પ્રકાશ ભિન્ન નથી તેમ તું મારાથી ભિન્ન નથી. હે નિતે !!! હું મૌતિક સમાન છું અને તું છીપ સમાન છે. હું આત્મા, કેવલ જ્ઞાનવડે સર્વ જગતમાં વ્યાપ્ત હોવાથી જ્ઞાનયાપેક્ષાએ વિષ્ણુરૂપ છું અને તું મહાશક્તિ દેવીરૂપ છે. આન્તર વિશ્વમાં વિષ્ણુ અને મહાશકિતરૂપેહું અને તું બને એકત્ર ઐક્યભાવે રહીએ છીએ હે પ્રિયમાં પ્રિય પ્રાણુસ્વરૂપનિ ! મહારાથી તું રહે છતે મારા મનમાં દુઃખ થાતું નથી. હે નિવૃત્ત !M તું કર્મરૂપ પડદામાં છુપાઈ રહે તે મારા મનમાં જે દુઃખ થાય છે તે હવે ક્ષણમાત્ર પણ સહન કરી શકાય તેમ નથી. હે પ્રિયનિવૃત્ત. તું હવે હુને જલદી દર્શન દે. તારું મૂળ સ્વરૂપ દેખાડ. હારા મુખ પર રહેલે કર્મરૂપ ઘુંઘટ ખોલી દે અને મને દર્શન આપ. તું કર્મ રૂપ ઘુંઘટ છોડીને જ્યારે મને દર્શન દેશે ત્યારે હુને સત્ય શાતિ થશે અને જન્મ જરા મરણ આધિ વ્યાધિનાં દુઃખ સર્વથા નષ્ટ થશે એમ પૂર્ણ વિશ્વાસ આવે છે. કુંડમાં નવગજ જલ વધે તેવી રીતે ૧૦૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 971 972 973 974 975 976 977 978 979