Book Title: Ayurvedno Itihas
Author(s): Durgashankar Kevalram Shastri
Publisher: Gujarat Vidya Sabha

View full book text
Previous | Next

Page 269
________________ ૧૦] આયુર્વેદના ઇતિહાસ વિદ્યાએ ગુરુને ઘેર રહીને શિખાતી તેમ આયુર્વેદ પણ ગુરુને ઘેર રહીને શીખવાનું ચરક–સુશ્રુતના કાળથી ચાલ્યું આવતું ધેારણુ પચાસ વર્ષોં પહેલાં આ દેશમાં સામાન્ય હતું. બંગાળમાં એને ‘ ટાલ ' પદ્ધતિ કહે છે, પણ ભારતમાં સર્વત્ર એ પદ્ધતિ ચાલુ હતી. એ પદ્ધતિ પ્રમાણે વૈદ્યક ભણેલા વૈદ્યો હાલમાં પણ ગુજરાતમાં છે; એટલું જ નહિ, પણ ગુજરાતના પ્રથમ પંક્તિના વૈદ્યોમાં ગણાય છે. આ પ્રાચીન શિક્ષણપદ્ધતિ શ્રેષ્ઠ ગુરુ અને ઉત્તમ શિષ્યને ચોગ હાય તે ઉત્તમ પરિણામ ઉપજાવી શકે છે, પણ શિક્ષણના સામાન્ય પ્રચાર માટે આ પદ્ધતિ નિરુપયેાગી છે. વળી, જ્યારે જૂની અને નવી સ` વિદ્યાઓનું શિક્ષણ શાળા-પાઠશાળાએ ભારત અપાય છે ત્યારે એક આયુર્વેદનું જ શિક્ષણ એથી જુદી રીતે અપાય એ કેમ ચાલી શકે? આ વિચારસરણીને પરિણામે સંસ્કૃત પાઠશાળાઓ સાથે તથા એથી સ્વતંત્ર રીતે પણ આયુર્વેદની શાળાએ પહેલાં વ્યક્તિગત પ્રયત્નથી અને પાછળથી સમૂહગત પ્રયત્નથી આધુનિક સમયના આરંભથી ચાલુ થઈ છે. આયુર્વેદની આ શાળા-પાઠશાળાઓના અભ્યાસક્રમ શા રાખવા એને નિષ્ણુય પહેલાં તેા તે તે સંસ્થાના અધ્યાપકેા જ કરતા; ક્રાઈ જાતનું સામાન્ય ધારણ ન હતું. પણ દાક્તરી વિદ્યાના અહેાળા પ્રચાર સાથે વૈદ્યોને દાક્તરો સાથે હરીફાઈ ઉત્પન્ન થતાં શારીર આદિ દાક્તરી વિદ્યાનાં કેટલાંક અંગાનું જ્ઞાન પણ આયુર્વેદના જ્ઞાન સાથે જોડવું એ કેટલાક ઉભય વિદ્યાના સંસ્કારવાળા વૈદ્ય–દાક્તરેાને આવશ્યક લાગ્યું. મુંબઈમાં આ હેતુથી ઈ. સ. ૧૮૯૬ માં એ વખતના સારા વૈદ્યો અને દાક્તરાના સહકારથી વૈદ્ય પ્રભુરામ જીવનરામે ' આયુર્વેદ વિદ્યાલયની સ્થાપના કરી. જેને કેટલાક વિરેાંધીએ મિશ્ર શિક્ષણુ કહે છે તેવું શિક્ષણ આપનારી કદાચ આ પહેલી સંસ્થા હશે. એ પછી તા અ. લા. આયુર્વેČટ્ટ મહામંડળે પાતે સ્થાપેલ વિદ્યાપીઠ માટે પણ આયુર્વેદના સંપૂર્ણ જ્ઞાન સાથે શારીર, પ્રસૂતિશાસ્ત્ર, શલ્યતંત્ર

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306