Book Title: Atmadrushtinu Antar Nirikshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [૩૩૧. વીતરાગ-સેવાની વાત અને અંતરમાં ભય કે લાલચથી કામના-સિદ્ધિની અગર ધાર્મિક ગણવાની ઝંખના, ખરી રીતે વીતરાગસેવામાં આવી કઈ દુન્યવી વાસનાને સ્થાન જ હોઈ ન શકે, અને હેય તે તે લેકેજર દેવની ભકિત ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને પરંપરામાં જ માત્ર લેકેત્તર દેવને આદર્શ છે એમ કહ્યાં છતાં એ લકત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવદેવીઓની પૂજાસેવા પાછળ હોય છે તેવું જ માનસ પોષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ છે. એ જ સામ્પ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પિતાની જાત દારા ખુલ્લો કર્યો છે, જે તેને માટે પદાર્થપાઠ બને તેમ છે. પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વધર અરિહંત, અનંત ગુણકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે. મહાવૈદ્ય ગુણગ, ભવ રોગ વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પોતાના સ્તુત્ય દેવ વજધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે: આ ભગવાન મને અવશ્ય તારશે અને મારે સંસારગ નિવારશે. છી કડી પ્રભુમુખ ભવ્યસ્વભાવ, સારું મારે, તે પામે પ્રમાદ, એહ ચેતન ખરે; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ ક્કી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જે સાધકને “હું ભવ્ય છું એવી ખાતરી થાય છે. તેને પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પોતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદ્ધિની આશા જ બંધાતી ન હોય. આ સંદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તે માટે સંદેહ દૂર થાય અને પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17