Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 265
________________ મૌનઃ વિભિન્ન સંદર્ભ આપણે આપણા સમગ્ર જીવનનું અવલોકન કરીએ તો એમ લાગશે કે આપણા જીવનમાં મૌનના અનેક સંદર્ભો છે, અનેક પ્રસંગો અને અનેક પરિપ્રેક્ષ્ય છે. સંસ્કૃત સાહિત્યમાં મૌનના અનેક સંદર્ભો પ્રાપ્ત થાય છે. એમ કહેવામાં આવ્યું કે, ‘મૌન સર્વાર્થ સાધનમ્' મૌન પ્રયોજનની સિદ્ધિ કરનાર છે.કોઈક વ્યક્તિની વાત સાંભળીને આપણે મૌન થઈ જઈએ છીએ તો એમાં આપણી સ્વીકૃતિ હોવાનું મનાય છે. ‘મૌનું સમ્મતિ લક્ષણમ્' મૌન એટલે સહમત હોવું. મૌન ક્યાં રહેવું જોઈએ એ સંદર્ભમાં એક સંસ્કૃત વિદ્વાને કહ્યું છે, ‘ઠુરાઃ યત્ર વક્તારઃ તત્ર મૌનં હિ શોભનમ્' આ રૂપકની ભાષા છે. જ્યારે દેડકા બોલતા હોય, ત્યારે મૌન જ શોભાસ્પદ ગણાય. એનું તાત્પર્ય એ છે કે, જ્યાં મૂર્ખાઓ બોલતા હોય ત્યાં મૌન થઈ જવું. જ્યાં જ્ઞાની લોકોની સભા હોય છે ત્યાં અજ્ઞાની લોકોનું મૌન થઈ જવું સારું છે. જ્યાં અજ્ઞાની લોકો હોય ત્યાં જ્ઞાની લોકો મૌન થઈ જાય છે. - જ્ઞાનિનાં પર્ષદિ પ્રાયો, મૌનમજ્ઞાનિનો વરમ્ | અજ્ઞાનિનાં સમક્ષે તુ, જ્ઞાની ભવિત મૌનભામ્ । જ્યાં વ્યક્તિનું પોતાનું અજ્ઞાન હોય ત્યાં એના માટે મૌન જ શ્રેયસ્કર છે. જ્યાં વિવાદ વધતો હોય ત્યાં મૌન અત્યંત શોભી ઊઠે છે. અજ્ઞા સ્વસ્ય યત્રાસ્તિ, તત્ર મૌનં હિ શોભનમ્ । વિવાદો વર્ધત યંત્ર, મૌનું તત્રાતિશોભનમ્ ।। સંકલ્પની દિશા : ક્યારે બોલવું અને ક્યારે મૌન થઈ જવું એનો વિવેક હોવો જરૂરી છે. મહાવીરે સોનેરી સૂત્ર આપ્યું કે, દરેક જગાએ બોલવાનો પ્રયત્ન ના કરો, મૌન રહો, મૌન રહેતાં શીખો. આજકાલ કેટલાક લોકો એવું મૌન પણ ધારણ કરી લે છે, જેની કોઈ ખાસ વિશેષ સાર્થકતા નથી હોતી. અનેક લોકો એવો સંકલ્પ કરે છે કે, હું એક કલાક મૌન પાળીશ.પરંતુ તેઓ આ સંકલ્પને ત્યારે જ પૂરો કરી શકે છે કે જ્યારે તેમણે સૂઈ જવાનું હોય છે. વ્યક્તિ સૂતી વખતે મૌનનો સંકલ્પ કરે છે. મૌન પણ થઈ જાય છે અને નિદ્રા પણ લઈ લે છે ! આ કાંઈ ખરાબ વાત નથી. અસ્તિત્વ અને અહિંસા ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274