Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 468
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૯ કરે છે. કાચિક અને માનસિક બ્રહ્મચર્યને મેળાપ થાય ત્યારે આત્મિક શક્તિને ઉઘાડ થાય અને સ્વરૂપમાં સ્થિરતા જામે. સાંસારિક વાસનાઓનું જોર રહે નહી અને તે ભાગાભાગી કરીને ખસી જાય માટે પ્રથમ બ્રહ્મચર્યની જરૂર છે. ૬૩૫. શુભ નિમિત્તો ઉપર જ સત્ય સુખનો આધાર નથી. અનુકુલ નિમિત્તો મળે એટલે ધાર્મિક દારાદિક પરિવાર મળે, સુખ મળે, એમાં કાંઈ નવાઈ જેવું નથી, પરંતુ દરેક પ્રસંગે જીવન પર્વત અનુકૂળતા રહેવી અશકય છે કારણ કે અનુકુલ સંગોને ખસતાં વિલંબ થતું નથી; માટે ત્ય સુખ મેળવવું હોય તે પિતાના મન અને તનને સન્માર્ગે વાળીને સ્થિર કરવાની જરૂર છે. મન અને તન જે સ્થિર થાય તો સત્ય સુખને અનુભવ આપોઆપ આવી હાજર થાય છે, માટે સારા નિમિત્તોના ઉપર આધાર રાખીને બેસી રહેવું નહી. અને મન-કાયાને સન્માર્ગે વાળવામાં કટિબદ્ધ થવું. સત્ય સુખ, નિમિત્તોને આધીન નથી, એ તે મન-તનને સ્થિર કરીને આત્મગુણામાં રહેલ છે તે અન્ય નિમિત્તોથી કયાંથી મળે? સારા નિમિત્તો હાજર હાય પણ મન અને તન બાહ્ય ભટકતું હોય છે, તે નિમિત્તો લાભદાયક થતાં નથી. એટલે મન અને તન સ્થિર થયા પછી સારા નિમિત્તો લાભદાયી નીવડે છે; માટે સારા નિમિત્તો મેળવવામાં જે તમન્ના હોય છે, જેવી લાગણી રાખવામાં આવે છે તેવી મન અને તનને સ્થિર કરવામાં લાગણી રાખવી આવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484