________________
૩૬૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રણ
છે. કદાચ કઈ જાય તે લેભને વશે વિનાશ પામે છે. સુભૂમ અને બ્રહ્મદત્ત નામના ચકવર્તીને સાતમે ખંડ સાધવા જવાની ઈચ્છા થઈ. તદનુસારે તેમણે પિતાને આધીન દેવતાને વિમાન ઉપાડવા કહ્યું. તેઓ પણ ચકવર્તીને સમુદ્રમાર્ગે લઈ જાય છે. તેમાંથી એક દેવતાને એવી ઈચ્છા થઈ કે આટલા બધા દેવતાઓ ચક્રવતીને વિમાનને ઉપાડનાર છે તેમાંથી હું એક નિકળી જઈશ તે કાંઈ ચક્રવર્તીને બાધ આવશે. નહિં. પરંતુ ભાવિ સંજોગે એકી સાથે બધા દેવોને નિકળી જવાની થઈ તેથી ચક્રવર્તીનું વિમાન સમુદ્રમાં પડી ગયું ને અંતે સુભૂમને બ્રહ્મદર. ચક્રવર્તી લોભના વિશે મરીને સાતમી નરકે ગયા. તે આ ભરત ચક્રવતીને છ ખંડ સાધવાના હેઈને ચક્રરત્ન આયુધશાલામાં દાખલ થયું. છે, તેની વધામણી પણ આવી છે. એક બાજુ એ-આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું છે તેની વધામણી પણ આવી છે. બન્ને વધામણી એક સાથે આવવાથી ભારત વિમાસણમાં પડે છે કે આ બેમાંથી પહેલો મહાત્સવ કોને કરું? વિચાર કરતાં કરતાં મન સાથે દઢતા કરે છે કેઆ ચકરત્ન તે ઈહલૌકિક સુખને દેનારૂં છે, પરંતુ પિતાને થએલ કેવલજ્ઞાન તે તે આ લોક અને પરલોક બંનેનાં સુખ દેનારૂં છે, માટે પ્રથમ મહોત્સવ મારે તેને કરવો જોઈએ. તેમ વિચારી ઋષભ ભગવંતને વંદન કરવા જાય છે, દેશના સાંભળે છે વિગેરે ઉચિત ક્રિયા કરી ચકરત્નની ઉપાસના કરે છે. દરેક દિશાએ અઠ્ઠમ તપ કરવા પૂર્વક દેવની આરાધના કરે છે-એમ એ ખંડ સાધે છે. પાછા આવ્યા ત્યારે ચરિત્ન આયુધશાલામાં પેસતું નથી. ત્યારે વિચાર કરે છે કે હજુ કઈક દેશ સાધવે બાકી લાગે છે. વિચાર કરતાં બાહુબલજીને દેશ સાધવે બાકી રહેલે જણાયેતેને દૂત પાસે કહેણ મોકલાવ્યું કે પોતે તે તરફ સાધવા માટે જાય છે. બાહુબલીઝ બહુ બળવાળા હતા, તેઓ હારે તેમ ન હતા, બાર વરસ યુદ્ધ ચાલ્યું છે. છેવટે ઇંદ્ર આવીને સમજાવ્યા છે કે તમે ઈફવાકુ કુળના આદીશ્વર ભગવાનના સુપુત્ર થઈને તમારા બેની ખાતર બીજા છાનો વિનાશ કેમ કરે છે? પછી ભરત ને બાહુબલ માંહોમાંહે લડે છે. તેમાં દષ્ટિ યુદ્ધ, વાગૂ યુદ્ધ, મુષિ યુદ્ધ અનુક્રમે લડે છે. છેવટે મુણિ યુદ્ધમાં ભારતની મુષ્ટિથી બાહુબલીઝ અડધા જમીન