________________
ગા-૬૭
૧૦૩
પ્રાયશ્ચિત્ત આપવું.
ક્ષેત્ર-ક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને નિષ્પમાં અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
એ પ્રમાણે ત્રણે કળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવું.
ઉનાળો રક્ષકળ છે, શિયાળો સાધારણ પ્રળ છે. ચોમાસું સ્નિગ્ધ કાળ છે. તિથી
ઉનાળામાં ક્રમથી જધન્ય એક ઉપવાસ, મધ્યમ છ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ત આવે.
શિયાળામાં ક્રમથી જધન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
ચોમાસામાં ક્રમશઃ જધન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
સૂત્ર વ્યવહારમાં ઉપદેશ અનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર ક્રવામાં આવે છે. તે જાણ
[૬૮] નિરોગી અને પ્લાન એવા ભાવો જાણીને નિરોગીને કંઈક અધિક પ્રાયશ્ચિત આપવું.
– ગ્લાનને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપવું. - જેની જેટલી શક્તિ હોય, તેને તેટલું પ્રાયશ્ચિત્ત આપવું.
- દ્રવ્ય, લોબ, ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ થી ૨ એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે--
• પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. - કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. – કોઈ ઋજુ હોય અને કેઈ માયાવી પણ હોય.
- કેટલાંક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાંક અપરિણામી હોય તો કેટલાંક અપવાદને જ આયરનારા એવા અતિ પરિણામી હોય.
- કેટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાંક તેનાથી હીન પણ હોય.
- કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય તો કેટલાંક બંને શક્તિવાળા હોય.
- કેટલાંક વળી એક પણ શક્તિ વગરના હોય તો કેટલાંક અન્ય પ્રકારનાં જ હોય,
- આલાદિ કલ્પસ્થિત, પરિણત, જ્વજોગી, કુશળ અથવા અ૫સ્થિત, અાજોગી, અપરિણિત, અકુશળ, એ પ્રમાણે બંને પ્રશ્નરના પુરુષો હોય છે.
- એ જ પ્રમાણે ભસ્થિત પણ ગચ્છવાસી અથવા જિનશી બંનેમાંથી કોઈ હોઈ શકે.
આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ અને ગુણ વધારે હોય તેને અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org