Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૨૫ ૪૧ હે દેવાનુપિયા દેવેન્દ્ર દેવરાજ શકે યાવતું શક સીંહાસને રહી, ૮૪,ooo સામાનિક યાવતું બીજ ઘણાં દેવ-દેવી મધ્યે આમ કહ્યું – જંબૂદ્વીપમાં ભરત રોગમાં ચંપાનગરીમાં કામદેવ શ્રાવક પૌષધશાળામાં, પૌષધિક બહાચારી યાવતું દભસંથારે બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધમપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. કોઈ દેવ-દાનવ ચાવતુ ગંધર્વ વડે નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિતવિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે હું શક્રેન્દ્રના આ આની પદ્ધી કરતા જલ્દી અહીં આવ્યો. અહો દેવાનુ પિય ! ઋદ્ધિ-ઘુતિન્યશ-ભલવી-પુરુષાકાર પસકમ પ્રાપ્ત કરેલ છે. તે ઋદ્ધિ મેં જોઈ યાવતુ જાણી. તે માટે હું ખમાવું છું, તમે મને ક્ષમા આપો, તમે ક્ષમા કરવાને યોગ્ય છો, હું ફરીથી એમ નહીં કરું એમ કહી ને પડ્યો, અંજલિ જોડી, આ અર્થન માટે વારંવાર ખમાવે છે. પછી જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. ત્યારે કામદેવે પોતાને નિપસર્ગ જાણીને પ્રતિમા પારી. • વિવેચન-૨૫ - દાવ થવઈ અહીં યાવત્ શબ્દથી-કડાં, ગુટિત, બહેરખાં વડે ખંભિત ભુજા, કેયુર કુંડલ અને ગંડસ્થળને સ્પર્શ કરેલ કણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, વિચિત્ર માળા યુક્ત મુગટ, નવીન શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ, કલ્યાણકારી અને શ્રેષ્ઠ પુષ્પો તથા વિલેપનધારી, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળા ધારણ કરનાર, દિવ્ય વર્ણ-ગંધ-સ્પર્શ-સંઘયણ-સંસ્થાન વડે યુક્ત, દિવ્ય ઋદ્ધિ-ધુતિ-પ્રભા-છાયા-ચર્ચાતેજ-લેશ્યા વડે યુક્ત એવું, દશે દિશાઓને પ્રકાશિત કરતું, શોભાવતું, ચિત્તને આહાદક, જેને જોતાં ચક્ષુ થાકી ન જાય તેવું, મનોજ્ઞ, પ્રતિરૂપ દેવરૂપ વિકર્ષે છે. વિકર્વીને આકાશમાં રહી. નાની ઘુઘરીઓવાળા, પંચવણ વસ્ત્રોને પહેરીને કામદેવને કહ્યું – દેવેન્દ્ર શક અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - વજ પાણી, પુરંદર, શતકતુ, સહસાક્ષા, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, બગીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, જરહિત, સ્વચ્છ વસ્ત્રધારી, આરોપિત માળા યુકત મુગટવાળો, નવા-હેમચાર-ચિકિત-ચંચલ-કુંડલ વડે સ્પર્શ કરાતા ગાલવાળો, દેદીપ્યમાનશરીરી, લાંબી વનમાળાધારી [એવો શક્રેન્દ્ર] સૌધર્મલો સૌધમવતંસક વિમાનમાં સુધર્માસભામાં - X - X - X - ૮૪,૦૦૦ સામાનિક દેવો ચાવતું શબ્દથી 33-ગાયઅિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, 3,૩૬,૦૦૦ આમરક્ષક દેવો - x • x - આદિ મળે આ પ્રમાણે ‘આઇકુખઇ'-સામાન્યથી કહે છે, ‘ભાસઈ-વિશેષથી કહે છે, તેને જ પ્રજ્ઞાપતિ અને પ્રરૂપયતિ એ બે પદ વડે કહે છે. તેમાં શબ્દથી જાણવું કે - યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોગ કે ગંધર્વ વડે નિર્ઝન્ય પ્રવચનથી ચલિત કરવા સમર્થ નથી. ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ઋદ્ધિ ચાવતું શબ્દથી-ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ. ના મુનો કરાયા - ફરી તે આચરણ નહીં કરું. • સુગ-૨૬ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતું વિચારે છે. ત્યારે તે. કામદેવ શ્રાવક, આ વાત ચાવતુ જાણીને કે ભગવંત સાવત્ વિચરે છે, તો મારે ઉચિત છે કે ભગવંતને વાંદી, નમી, ત્યાંથી પાછા આવીને પૌષધ પારવો. એમ વિચારીને શુદ્ધ-પ્રવેશ્ય વસ્ત્રો યાવત્ અલા-મહાઈ ચાવતું મનુષ્ય વગથિી પરિવરીને ચંપાનગરી મધ્યેથી નીકળે છે, પુણભદ્ધ ચૈત્યે “શંખ-શ્રાવક” માફક આવીને ચાવતુ પર્યાપાસે છે. ત્યારે ભગવંત મહાવીરે, કામદેવને તથા તે પર્યદાને યાવતું ધમકથા સમાપ્ત થઈ. • વિવેચન-૨૬ : TET fછે - ભગવતી સૂત્રમાં કહેલ શંખ શ્રાવક માફક અહીં કહેવું. અર્થાત્ બીજ પંચવિધ અભિગમ-સચિત દ્રવ્ય ત્યાગ આદિ વડે સમોસરણમાં પ્રવેશે છે, પણ શંખે પૌષધ કર્યો હોવાથી સચિવાદિ દ્રવ્યના અભાવે અભિગમો કર્યા નથી, અહીં પણ તેમજ છે. ચાવત્ શબ્દથી આમ જાણવું - ભગવંત મહાવીર પાસે આવ્યો, ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી-નમી, બહુ નજીક કે દૂર નહીં, તે રીતે શુશ્રુષા કરતો, નમસ્કાર કરતો, અભિમુખ રહી અંજલિ જોડીને પર્યાપાસના કરે છે. ત્યારે ભગવંતે, કામદેવને અને તે પર્ષદાને અહીંથી ઉવવાઈ સૂત્ર મુજબ ચાવતુ ધર્મકથા સમાપ્ત થઈ, સુધી કહેવું. તે આ રીતે સવિશેષ બતાવે છે – ચાસ્પછી ભગવંત મહાવીરે, કામદેવ શ્રાવકને અને તે મહા-મોટી ઋષિ પર્ષદા, મુનિ પર્ષદા, યતિ પર્ષદાને, અનેક શત પ્રમાણ વંદને, અનેક શત પ્રમાણ છંદ પરિવારને, ધર્મ કહ્યો. ભગવંત કેવા છે ? - ઓઘબલિ, અતિબલિ, મહાબલિ. અપરિમિત બલ-વીર્ય-તેજ-માહાભ્ય-કાંતિ યુક્ત. શરદકાલિન નવીન મેઘના શબ્દની માફક મધુર નિર્દોષ અને ઇંદુભિ જેવા સ્વરયુક્ત, છાતીમાં વિસ્તીર્ણપણાથી “સરસ્વતી" સાથે સંબંધ છે. વર્તુળપણાથી કંઠને વિશે ગોળાકાર, મસ્તકે સંકીર્ણ, • x • સ્પષ્ટ વર્ણવાળી, અખલિત બોલાતી, સર્વ અક્ષરના સંયોગવાળી, પરિપૂર્ણ મધુર, સર્વ ભાષારૂપે પરિણમનારી “સરસ્વતી'-વાણી વડે, યોજનગામી શબ્દ વડે અઈ માગધી ભાષામાં બોલતા અરહંત ધર્મ કહે છે - X - ભગવંત કેવા ? અહંત - પૂજિત, પૂજાને યોગ્ય. સર્વજ્ઞ હોવાથી, જેને કંઈ છાનું નથી, તેવા ભગવંત શ્રદ્ધેય-ય-અનુષ્ક્રય એવા ધર્મને કહે છે - વિશેષ કથનથી કહે છે. તે ધર્મ માત્ર ઋષિ પર્ષદાને જ નહીં પણ વંદનાદિ અર્થે આવેલાં તે સર્વે આર્યો અને અનાર્યોને ખેદરહિતપણે કહે છે. તે અમિાનધિ ભાષા, બધાંને સ્વભાષામાં પરિણામ પામે છે. - - હવે ધર્મકથાનું સ્વરૂપ દર્શાવે છે – લોક છે, અલોક છે, જીવ-અજીવ-બંધ-મોક્ષ-પુન્ય-પાપ-આશ્રવ-સંવર-વેદના

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43