Book Title: Acharya Jawaharlalji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધશે અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરીરનું દર્દ ચાલુ થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ ‘શ્રી જવાહર વિદ્યાપીઠ' ની સ્થાપના કરવામાં આવી. ૧૧૦ મુ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દૃઢ સંસ્કાર ઉદય પામ્યા હતા. ( ૨ ) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવાદી અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય : ૨. સરદાર વલ્લભભાઈ પટેલ વિ. સં. ૧૯૯૩, રાજકોટ ૩. શ્રી બાળગંગાધર તિલક વિ. સં. ૧૯૭૨, અહમદનગર વિ. સ. ૧૯૯૩, પોરબંદર વિ. સં. ૧૯૮૪, બીકાનેર વિ. સં. ૧૯૭૨, અહમદનગર વિ. સં. ૧૯૭૧, પારનેર (માહિતી મળતી નથી. વિ. સં. ૧૯૮૭, બીકાનેર (માહિતી મળતી નથી. ) ૧૨. સૌરાષ્ટ્ર-રાજસ્થાનના રાજવીઓ વિવિધ સ્થળોએ વિ. સં. ૧૯૮૪, ભીનાસર ૧૩. સર મનુભાઈ મહેતા (૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દ્રષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. For Private & Personal Use Only ૪. શ્રી પટ્ટાભી સીતારામૈયા ૫. માં મદનમોહન માલવિયાજી ૬. સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ ૭. સેનાપતિ બાપટ ૮. સંત વિનોબા ભાવે ૯. શ્રી રામનરેશ ત્રિપાઠી ૧૦. કાકા કાલેલકર ૧૧. શ્રી ઠક્કરબાપા } Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9