________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્ઞાપના.
અથવા
(વાંચનારને ભલામણ- ) વાંચનાર ! આજે તારા હસ્તકમળમાં આવું છું, મને યત્ન પૂર્વક વાંચજે, મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરજે, હું જેજે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ. કરશો તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આભશાતિ પામી શકશે.
તમે જાણતા હશે કે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહિં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પિતાનો વખત ઈદે છે અને અવળે રસ્તે ચડી જાય છે, આ લેકમાં અપકીર્તિ પામે છે તેમજ પલેકમાં નીચી ગતીએ જાય છે.
તમે જે પુસ્તકે ભણ્યા છો. અને હજુ ભણે છે તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો આ ભવ અને પરભવ બન્નેમાં તમારું હિત કરશે. ભગવાનનાં કહેલાં વચનોને એમાં ઉપદેશ કરે છે.
તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશે નહિ. તેને ઉડશે નહિ. વઘ પાડશો નહિ, કે બીજી રોઈ પણ રીતે બગાડશો નહિ. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરૂષોએ કહ્યું છે કે વિવેક ત્યાંજ ધર્મ છે.
તમને એક એ પણ ભલામણ છે કે જેઓને વાંચતા નહિ આવડતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પામે નહિ તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહિ. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાન્તિ, આનંદ મળે, તો પરોપકારી, દયાળુ, ક્ષમાવાન વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
મોક્ષ માળા,
For Private and Personal Use Only