Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ના વર્ષમાં ડીસા મુકામે થયું. પૂજ્યશ્રીની વાણીથી સંધમાં વૈરાગ્યની છોળે ઉછળવા માંડી. અઠ્ઠમ તપ પૂર્વક શ્રી સીમંધર સ્વામીની આરાધના, સાંકળી અઠ્ઠમ, દુષ્કૃતગર્તા, સુકૃત અનમેદના, સામુદાયિક અષ્ટપ્રકારી પૂજા વગેરે વિવિધ આરાધનાઓ થઈ પંચસૂત્રના આધારે પ્રેરક પ્રવચન થયા. વાચનાઓ પણ થઈ
આ ઉપરાંત પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા ચાલતા શાસ્ત્રલેખન, શાસ્ત્ર પ્રકાશન વગેરે મતભક્તિના કાર્યો જેઈ ડીસાસંઘ અત્યંત પ્રભાવિત થયે. શાસ્ત્રલહીયાઓનું એક નાનકડું મિલન પણ ડીસા મુકામે જોયું. પૂજ્યશ્રીના માર્ગદર્શન થી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા ચાલતા સાતક્ષેત્રોની ભક્તિના કાર્યમાં પણ શ્રી સંઘે ખૂબ સુંદર સહકાર આપે.
પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલતા શ્રતભક્તિના કાર્યથી ઉલ્લસિત થઈ તેમાં લાભ લેવાની ભાવનાથી પૂજ્યશ્રીની પ્રેરણાથી ડીસા જૈન સંઘ કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ રચિત અભિધાન ચિંતામણિ આધારે મુનિશ્રી પૂર્ણચંદ્રવિજય મહારાજ, મુનિશ્રો મુનિચંદ્રવિજય મહારાજ, મુનિશ્રી દિવ્યરત્નવિજય મહારાજ તથા મુનિશ્રી મહાબેધિવિજ્ય મહારાજ દ્વારા અત્યંત પરિશ્રમપૂર્વક થયેલ “શ્રી અભિધાન વ્યુત્પતિ પ્રક્રિયા કોશ”ના બીજા ભાગના પ્રકાશનને સંપૂર્ણ લાભ સંઘ હસ્તકના જ્ઞાનનિધિમાંથી લીધે છે. જ્ઞાનનિધિના દ્રવ્યના આ સદુપયોગની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ. આવી જ રીતે બીજ પણ અનેક પ્રાચીન શાસ્ત્રગ્રંથના લેખન-પ્રકાશનાદિ શ્રતભક્તિને તેમજ શાસન પ્રભાવનાના વિવિધ કાર્યોને નવાડીસા જૈન સંઘ ખૂબ લાભ લે એવી શુભાભિલાષા અમે વ્યક્ત કરીએ છીએ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org